Paush Amavas 2021: બુધવાર અને પૌષ અમાસનો સંયોગ, જાણો પિતૃના નામે દાનનો મહિમા
Paush Amavas 2021-અમાસને પિતૃઓની તારીખ પણ કહેવામાં આવે છે. આ દિવસે પૂર્વજોને તર્પણ આપવામાં આવે છે.પૌષ મહિનાના કૃષ્ણ પક્ષની અંતિમ તારીખે આવે છે, તેને પૌષ અમાસ કહેવામાં આવે છે
Paush Amavas 2021- 13 જાન્યુઆરી, 2021 એ બુધવાર અને પૌષ અમાસનો સંયોગ ઉભો થયો છે. અમાસ , જે પૌષ મહિનાના કૃષ્ણ પક્ષની અંતિમ તારીખે આવે છે, તેને પૌષ અમાસ કહેવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે અમાસ વ્રત રાખવાથી ચંદ્ર દેવ સુખ અને સમૃદ્ધિ આપે છે. અમાસને પિતૃઓની તારીખ પણ કહેવામાં આવે છે. આ દિવસે પૂર્વજોને તર્પણ આપવામાં આવે છે. અમાસ પર પૂર્વજોના નામે તેમના કપડા દાન કરવા જોઈએ. અમાવસ્ય પર તાંબાના વાસણમાં તલ અને શુદ્ધ જળ ભેળવીને ‘પિત્રુભ્ય: નમ:’ મંત્રનો જાપ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપવુ ફળદાયક માનવામાં આવે છે.
પંડિત ઉપાધ્યાયના જણાવ્યા મુજબ, અમાસ પહેલા ચતુર્દશી તિથિ પર ગંગા સ્નાન કરવુ ખૂબ જ સારુ છે. આ પછી, ગંગામાં દીવો પ્રગટાવવાથી પિતૃઓને શાંતિ મળે છે, આ પરંપરા સદીઓથી ચાલી રહી છે,ગંગામાં દીવો પ્રગટાવી અને તેમને પાણીમાં પ્રવાહિત કરી તેમની શાંતિની પ્રાર્થના કરવાથી પિતૃઓને શાંતિ મળે છે.
ક્યારે છે પૌષ અમાસનું શુભ મુહૂર્ત ? પૌષ અમાસ તિથિની શરૂઆત – 12 જાન્યુઆરી 2021, મંગળવાર બપોરે 12 વાગ્યેને 22 મિનિટથી પૌષ અમાસ તિથિ સમાપ્ત – 13 જાન્યુઆરી 2021, બુધવાર બપોરે 10 વાગ્યેને 29 મિનિટ સુધી