AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Monsoon 2022: પાટણમાં જામ્યો વરસાદી માહોલ, સાત તાલુકાઓમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ, વાવણીના કર્યા શ્રીગણેશ

રાજ્યમાં મેહુલિયો જામ્યો છે. અનેક જિલ્લાઓમાં સારો વરસાદ પડી ગયો છે. પાટણ જિલ્લામાં 7 તાલુકાઓમાં સારો વરસાદ થતા ખેડૂતોએ વાવણીના મંડાણ કર્યા છે.

Gujarat Monsoon 2022: પાટણમાં જામ્યો વરસાદી માહોલ, સાત તાલુકાઓમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ, વાવણીના કર્યા શ્રીગણેશ
ખેડૂતોએ વાવણીનો કર્યો પ્રારંભ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 5:16 PM
Share

પાટણમાં સારો વરસાદ (Patan Rain) વરસી રહ્યો છે. જિલ્લાના સાત તાલુકાઓમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતો(Farmers) પણ હવે ખેતીકામમાં જોતરાઈ ગયા છે. પાટણ શહેરમાં ગત રાત્રે એક કલાકમાં અઢીં ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જિલ્લાના 7 તાલુકાઓમાં વાવણીલાયક વરસાદ પડી ગયો છે. જેમા સાંતલપુર(Santalpur) તાલુકામાં છેલ્લા 24 કલાકમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ચાણસ્મામાં 1 ઈંચ વરસાદ પડ્યો છે. સરસ્વતિ તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ તરફ સમી તાલુકામાં બે દિવસમાં 4 ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. સિદ્ધપુર તાલુકામાં બે દિવસમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે રાધનપુર તાલુકામાં બે દિવસમાં 8.5 ઈંચ વરસાદ ખાબકી ગયો છે.

ખેડૂતોએ વાવણીના કર્યા શ્રીગણેશ

જિલ્લામાં સારો વરસાદ થતા ખેડૂતોમાં હર્ષની હેલી જોવા મળી છે. સાત તાલુકાઓમાં સારો વરસાદ પડતા ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા છે. જેમા ચાણસ્મા તાલુકામાં 56 હેક્ટરમાં બાજરી, 354 હેક્ટરમાં મગ, 4 હજાર 784 હેક્ટરમાં અડદ, 40 હેક્ટરમાં તલ, અને 4 હજાર 670 હેક્ટરમાં કપાસ અને 3 હજાર 600 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કર્યુ છે. તાલુકામાં કુલ 14 હજાર 4 હેક્ટરમાં વાવેતર કર્યુ છે. આ તરફ હારીજમાં કુલ 12 હજાર 615 હેક્ટરમાં, બાજરી, અડદ, મગફળી, તલ અને શાકભાજીનું વાવેતર કર્યુ છે. તો પાટણમાં ખેડૂતોએ 10 હજાર 625 હેક્ટરમાં વાવેતર કર્યુ છે જેમા મુખ્યત્વે કપાસ, અડદ, બાજરી, અને શાકભાજી મુખ્ય છે. જ્યારે રાધનપુર તાલુકામાં કુલ 11,650 હેક્ટરમાં વાવેતરમાં કરવામાં આવ્યુ છે. જેમા 3 હજાર 640 હેક્ટરમાં અડદ, 1100 હેક્ટરમાં કપાસ અને 840 હેક્ટરમાં શાકભાજી તેમજ 4 હજાર 780 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કર્યુ છે.. જિલ્લામાં હારીજ, ચાણસ્મા, પાટણ, રાધનપુર, સમી, સાંતલપુર, સરસ્વતિ, શંખેશ્વર અને સિદ્ધપુર સહિતના તાલુકા મળીને કુલ 96 હજાર 198 હેક્ટરમાં વાવેતર કરી દેવામાં આવ્યુ છે.

આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી

ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે સાબરકાંઠા અને અરવલ્લીમાં 24 કલાકમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">