AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GODHARA: પંચમહાલમાં ફરી વાઘ આવ્યો હોવાના ફોટા ફરતા થયાઃ જાણો શું કહે છે વનતંત્ર

ઘોઘંબાના ગોયા સુન્ડલ આસપાસના વિસ્તારોમાં વાઘ આયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જંગલ વિસ્તારમાં વાઘ અને દીપડા દ્વારા માનવ પર હુમલો કરવામાં આવ્યો હોવાના ફોટા અને મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જેના પગલે વન તંત્રએ તપાસ શરૂ કરી છે.

GODHARA: પંચમહાલમાં ફરી વાઘ આવ્યો હોવાના ફોટા ફરતા થયાઃ જાણો શું કહે છે વનતંત્ર
ફાઈલ તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 1:19 PM
Share

પંચમહાલ (Panchmahal) જિલ્લાના ઘોઘંબા (Ghoghamba) તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાઘ (Tiger) અને દીપડા દ્વારા માનવ પર હુમલો કરવામાં આવ્યો હોવાના સોશિયલ મીડિયા (Social media) માં વાયરલ (Viral) થયેલા ફોટો અંગે વન વિભાગ (Forest Department) દ્વારા તપાસ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ફોટોગ્રાફ્સ વાયરલ થયા બાદ સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે સ્થિતિ વાઘ આવ્યો વાઘ આવ્યો જેવી થવા પામી છે.

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલા ગોયાસુંડલ ગામ અને તેની આસપાસ આવેલા જંગલ વિસ્તારમાં વાઘ અને દીપડો આવી માનવ પર હુમલો કરવામાં આવ્યો હોવાના ફોટા અને મેસેજ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા સ્થાનિક વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો, ગત વર્ષે આજ સમય દરમિયાન આજ ગામમાં દિપડાના હુમલા થવાને લઈને 3ના મોત થયા હતા જયારે 2 ને ઈજાઓ પણ થવા પામી હતી, જેથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ ને લઈને આ ગામ સહીત આસપાસના મોટાભાગના ગામોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.

સોશિયલ મીડિયામાં વાયરલ થાયેલા મેસેજને લઈને વન વિભાગ દ્વારા સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને આ ગામના આસપાસમાં આવેલા ગીચ જંગલ વિસ્તારમાં સર્ચ કરવામાં આવ્યું તેમજ વાયરલ થયેલા ફોટો પ્રમાણે તપાસ પણ કરવામાં આવી. જે તપાસ બાદ આ પ્રકારની કોઈપણ ઘટના આ વિસ્તારમાં ન હોવાનું સામે આવ્યું છે.

વન વિભાગ દ્વારા સ્થાનિક આગેવાનોને સાથે રાખીને સ્થાનિક ગ્રામજનોને વાયરલ થયેલ ફોટાઓ તેમજ સંદેશાઓ ખોટા હોવાનું જણાવી ભયમુક્ત રહેવા માટે તેમજ સાવચેતી માટે ગીચ જંગલ વિસ્તારમાં ન જવા માટે અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ હાલ પણ સોશિયલ મીડિયામાં ફેક મેસેજ -ફોટોસ વાયરલ થતા હોય વન વિભાગ દ્વારા આ ખોટા મેસેજ ફેલાવનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

હાલ તો વન વિભાગ અને સ્થાનિકોની સ્થિતિ વાઘ આવ્યો વાઘ આવ્યો જેવી થવા પામી છે. પંચમહાલ વન વિભાગના રાજગઢ રેન્જના વન અધિકારી સહિતના વનકર્મીઓ દ્વારા ગીચ જંગલ વિસ્તારમાં સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું અને આવી કોઈ જ ઘટના ન બની હોવાનું સામે આવ્યા બાદ સ્થાનિકોને આ સમગ્ર મામલો ખોટો હોવાનું જણાવી ભયમુક્ત રહેવા અને જરૂરી સાવચેતી રાખવા માટે પણ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ VADODARA: પાથરણવાળાથી વેપારીઓ તોબા પોકારી ગયા, સમસ્યાના ઉકેલ માટે કર્યું એવું કે તંત્ર દોડતું થયું

આ પણ વાંચોઃ ગુજરાતમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું, અમદાવાદમાં 8 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડીનો અનુભવ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">