Panchmahal: પાવાગઢમાં શારદીય નવરાત્રિથી માઇભક્તો લઈ શકશે ધજા ચઢાવવાનો લ્હાવો, જાણો ધજા ચઢાવવાના દર તથા ધજાના માપ અંગેની સમગ્ર વિગતો

પાવાગઢમાં (Pavagadh) મહાકાળી મંદિરના શિખર ઉપર દિવસમાં 5 વાર ધજા બદલાશે. તેમજ ધજા ઉપર જયશ્રી કાલિકા માતાજી લખવામાં આવશે. શિખર ધજા ચઢાવવાની સમગ્ર કામગીરી મંદિર ટ્રસ્ટ અને અનુભવી સ્ટાફ દ્વારા જ કરવામાં આવશે.

Panchmahal: પાવાગઢમાં શારદીય નવરાત્રિથી માઇભક્તો લઈ શકશે ધજા ચઢાવવાનો લ્હાવો, જાણો ધજા ચઢાવવાના દર તથા ધજાના માપ અંગેની સમગ્ર વિગતો
માઇભક્તો પાવાગઢ મંદિર ઉપર ચઢાવી શકશે ધજા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2022 | 1:58 PM

સો મહિનાની એટલે કે શારદીય નવરાત્રિ (Shardiya Navratri) હવે ઘણી નજીક છે ત્યારે માઇભક્તોના આસ્થા કેન્દ્ર પાવાગઢ મંદિર  (Pavagadh Mandir) ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત હવે માઇભકતો મહાકાળી માતાને ધજા ચઢાવી શકશે. આ નિર્ણયનો 26 સપ્ટેમ્બર એટલે કે નવરાત્રિના પ્રથમ દિવસથી જ અમલ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 500 વર્ષ બાદ મંદિરના શિખર ઉપર ધજારોહણ કરવામાં આવ્યું હતું. પાવાગઢ મંદિરનું શિખર સૈકાઓથી ખંડિત હાલતમાં હતું અને હિન્દુ માન્યતા તેમજ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ખંડિત શિખર ઉપર ધજા ચઢાવી ન શકાય. આથી મંદિર ઉપર ધજા નહોતી.

ખંડિત મંદિરના નવનિર્માણ બાદ  500 વર્ષે બાદ વડાપ્રધાન મોદીના હસ્તે થયું હતું ધજારોહણ

નોંધનીય છે કે થોડા માસ અગાઉ મંદિરનો કાયાકલ્પ કરવામાં આવ્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 500 વર્ષ બાદ મંદિરના શિખર ઉપર ધજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માઇભક્તો ધજા ચઢાવવા માટે અવારનવાર મંદિર ટ્રસ્ટને પૂછપરછ કરતા હતા આથી ટ્રસ્ટી મંડળ દ્વારા ભાવિકોની ધ્રામિક લાગણીનું સન્માન કરતા આ નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમજ અલગ અલગ માપની ધજા માટે અલગ અલગ દર પણ જાહેર કરવામાં આવ્યા છે.

તે પ્રમાણે ધજાની નોંધણી કરાવ્યા બદા મંદિર ઉપર ધજા ચઢાવવાનો લ્હાવો લઈ શકાશે.  નોંધનીય છે કે મોહમ્મદ બેગડા નામક આક્રમણકારીએ માતાજીના મંદિરમાં તોડફોડ કરીને મંદિરની ઉપર જ દરગાહ બનાવી હતી અને તેના કારણે 500 વર્ષથી મંદિર ખંડિત હતું, જોકે હવે સંપૂર્ણ શિખર અને સોનાના કળશ અને ધજાદંડ સાથે મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

અત્યાર સુધી કેમ નહોતી ફરકી ધજા?

પાવાગઢ મંદિરનું શિખર સૈકાઓથી ખંડિત હાલતમાં હતું અને હિન્દુ માન્યતા તેમજ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ખંડિત શિખર ઉપર ધજા ચઢાવી ન શકાય. આથી મંદિર ઉપર ધજા નહોતી, પરંતુ  મંદિર નજીક આવેલી  દરગાહ  હતી તેને સમજાવટથી ખસેડીવામાં આવી હતી અને આ સમસ્યાનો સુકધ અંત આવતા મંદિરનું શિખર નિર્માણ કરી ધજા ચઢાવવામાં આવી હતી.

યુનેસ્કોની યાદીમાં સામેલ છે આ સ્થળ

પાવાગઢ મંદિર ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વીય વિભાગમાં સામેલ છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ છે અને દર વર્ષે લાખો ભક્તો અને પ્રવાસીઓ મંદિરની મુલાકાત લે છે અને મંદિર નવ નિર્માણ પામ્યા બાદ પાવાગઢ ખાતે ઉત્તરોઉત્તર પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે.

એક દિવસમાં ચઢશે 5 ધજા

પાવાગઢમાં (Pavagadh) મહાકાળી મંદિરના શિખર ઉપર દિવસમાં 5 વાર ધજા બદલાશે. તેમજ ધજા ઉપર જયશ્રી કાલિકા માતાજી લખવામાં આવશે. શિખર ધજા ચઢાવવાની સમગ્ર કામગીરી મંદિર ટ્રસ્ટ અને અનુભવી સ્ટાફ દ્વારા જ કરવામાં આવશે. તો નવરાત્રિની મોટી આઠમ તેમજ દેવ દિવાળીના દિવસે આખો દિવસ શિખરપ ઉપર મંદિરની ધજા જ ફરકતી રહેશે તેવો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જગત મંદિર દ્વારિકા ખાતે પણ દિવસમાં પાંચ વાર ધજા બદલવામાં આવે છે.

Pavagadh dhaja rate

મંદિરના શિખર ઉપરની ધજાનું આગવું માહાત્મય

શાસ્ત્રમાં કહેવાયું છે  शिखर दर्शनम् पाप नाशनम्

ધજાના દર્શનનું ભગવાનના દર્શન જેટલું જ માહાત્મ્ય શાસ્ત્રમાં કહેવાયું છે. શાસ્ત્રમાં કહેવાયું છે કે  शिखर दर्शनम् पाप नाशनम्  મંદિરના કળશ અને તેની ધ્વજાને જોતા નમન કરવું જોઈએ. તેનાથી તમને ભગવાનના દર્શન કર્યાનું ફળ મળે છે. મંદિરના શિખર અને ધજાના દર્શન પણ ભગવાનના દર્શન કર્યા જેવી અનુભૂતિ કરાવે છે, ત્યારે હવે  નવરાત્રિથી  ભાવિક ભક્તો  આ  ધજા ચઢાવવાનો લાભ લઇને વિશેષ ભક્તિ અદા કરી શકશે.

આ પ્રમાણે રહેશે ધજા ચઢાવવાના દર અને ધજાનું માપ

પાવાગઢ ખાતે મહાકાળી માતાજીની લાલ રંગની ધજા લહેરાય છે. આ શિખર ધજા ભક્તોની આસ્થા અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે.  ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા ધજા  ચઢાવવાનું માપ અને  તેના દર પણ નક્કી કરવામાં આવ્યા છે.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">