AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panchmahal: પાનમ ડેમમાંથી સિંચાઇ માટેનું પાણી છોડાયુ, 80 ગામના ખેડૂતોને થશે લાભ

ખેડૂતોને (Farmers) ધરુની વાવણી માટે પાણીની જરુર હતી. પાકને જરુરી પાણી મળશે કે નહીં તેની ખેડૂતોને ચિંતા સતાવી રહી હતી. જો કે સરકાર દ્વારા અંતે પાનમ ડેમમાંથી (Panam Dam) પાણી છોડાતા ખેડૂતોએ રાહતના શ્વાસ લીધા છે.

Panchmahal: પાનમ ડેમમાંથી સિંચાઇ માટેનું પાણી છોડાયુ, 80 ગામના ખેડૂતોને થશે લાભ
પાનમ ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડાયુ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2022 | 1:55 PM
Share

પંચમહાલ (Panchmahal) જિલ્લાના ખેડૂતો (Farmers) માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં આવેલી પાનમ ડેમમાંથી (Panam Dam) સિંચાઇ માટે પાણી છોડવામાં આવ્યુ છે. જેના પગલે જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખેડૂતોએ સારો એવો વરસાદ વરસ્યા બાદ વાવણીની શરુઆત કરી દીધી છે. તો કેટલાક ખેડૂતોને ધરુની વાવણી માટે પાણીની જરુર હતી. પાકને જરુરી પાણી મળશે કે નહીં તેની ખેડૂતોને ચિંતા સતાવી રહી હતી. જો કે સરકાર દ્વારા અંતે પાનમ ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોએ રાહતના શ્વાસ લીધા છે.

27 જુલાઈ સુધી તબક્કાવાર પાણી છોડાશે

ડાંગરના ધરુંની વાવણી માટે પંચમહાલ જિલ્લાના પાનમ કેનાલ મારફતે 200 ક્યુસેક પાણી છોડાયું છે. આ સાથે જ માહિતી આપવામાં આવી છે કે 27 જુલાઈ સુધી તબક્કાવાર 500 ક્યુસેક સુધી પાણી છોડવામાં આવશે. પાનમ વિભાગ દ્વારા સિંચાઇ સલાહકારની મીટિંગમાં ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

80 જેટલા ગામોના ખેડૂતોને થશે ફાયદો

પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવતા 10 હજાર હેક્ટર જમીનને મળશે સિંચાઈનો લાભ મળશે. પંચમહાલ જિલ્લાના શહેરા, લુણાવાડા, ગોધરા, કાલોલ અને સાવલી તાલુકાના 80 જેટલા ગામોના ખેડૂતોને સિંચાઇના પાણીનો લાભ મળશે

વાવેતર લાયક વરસી ગયો: રાઘવજી પટેલે

થોડા દિવસ પહેલા જ કૃષિ મંત્રી રાઘવજી પટેલે Tv9 સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે રાજ્યમાં થયેલા વાવેતરને લઇને સારા સંકેત આપ્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લા 10 દિવસથી રાજ્યના જુદા જુદા વિસ્તારમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આજ સુધીમાં લગભગ મોટા ભાગના તાલુકાઓમાં સારો એવો વરસાદ વરસ્યો છે. એટલે લગભગ તમામ વિસ્તારમાં વાવેતર લાયક વરસી ગયો છે.

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું હતુ કે, રાજ્યમાં 30.21 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ હજુ 34 ટકા જ છે. જો કે રાજ્યમાં પાછલા દસ દિવસથી વાવણી લાયક વરસાદ પડતા ખરીફ ઋતુનું વાવેતર હજી વધવાની શક્યતા છે.રાઘવજી પટેલે Tv9 સાથે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં મગફળીનું 10.15 લાખ હેકટરમાં વાવેતર થયું છે. તો સૌથી વધારે 15.56 લાખ હેકટરમાં કપાસની વાવણી થઈ છે. જ્યારે ધાન્ય અને કઠોળનું 4.50 લાખ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.

Follow Us
રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, આજથી તાપમાનમાં ઘટાડાની શક્યતા
રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, આજથી તાપમાનમાં ઘટાડાની શક્યતા
તમારા ગુસ્સાને કાબૂમાં રાખો, ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો
તમારા ગુસ્સાને કાબૂમાં રાખો, ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">