Panchmahal: પાનમ ડેમમાંથી સિંચાઇ માટેનું પાણી છોડાયુ, 80 ગામના ખેડૂતોને થશે લાભ

ખેડૂતોને (Farmers) ધરુની વાવણી માટે પાણીની જરુર હતી. પાકને જરુરી પાણી મળશે કે નહીં તેની ખેડૂતોને ચિંતા સતાવી રહી હતી. જો કે સરકાર દ્વારા અંતે પાનમ ડેમમાંથી (Panam Dam) પાણી છોડાતા ખેડૂતોએ રાહતના શ્વાસ લીધા છે.

Panchmahal: પાનમ ડેમમાંથી સિંચાઇ માટેનું પાણી છોડાયુ, 80 ગામના ખેડૂતોને થશે લાભ
પાનમ ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડાયુ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2022 | 1:55 PM

પંચમહાલ (Panchmahal) જિલ્લાના ખેડૂતો (Farmers) માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં આવેલી પાનમ ડેમમાંથી (Panam Dam) સિંચાઇ માટે પાણી છોડવામાં આવ્યુ છે. જેના પગલે જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખેડૂતોએ સારો એવો વરસાદ વરસ્યા બાદ વાવણીની શરુઆત કરી દીધી છે. તો કેટલાક ખેડૂતોને ધરુની વાવણી માટે પાણીની જરુર હતી. પાકને જરુરી પાણી મળશે કે નહીં તેની ખેડૂતોને ચિંતા સતાવી રહી હતી. જો કે સરકાર દ્વારા અંતે પાનમ ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોએ રાહતના શ્વાસ લીધા છે.

27 જુલાઈ સુધી તબક્કાવાર પાણી છોડાશે

ડાંગરના ધરુંની વાવણી માટે પંચમહાલ જિલ્લાના પાનમ કેનાલ મારફતે 200 ક્યુસેક પાણી છોડાયું છે. આ સાથે જ માહિતી આપવામાં આવી છે કે 27 જુલાઈ સુધી તબક્કાવાર 500 ક્યુસેક સુધી પાણી છોડવામાં આવશે. પાનમ વિભાગ દ્વારા સિંચાઇ સલાહકારની મીટિંગમાં ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

80 જેટલા ગામોના ખેડૂતોને થશે ફાયદો

પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવતા 10 હજાર હેક્ટર જમીનને મળશે સિંચાઈનો લાભ મળશે. પંચમહાલ જિલ્લાના શહેરા, લુણાવાડા, ગોધરા, કાલોલ અને સાવલી તાલુકાના 80 જેટલા ગામોના ખેડૂતોને સિંચાઇના પાણીનો લાભ મળશે

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વાવેતર લાયક વરસી ગયો: રાઘવજી પટેલે

થોડા દિવસ પહેલા જ કૃષિ મંત્રી રાઘવજી પટેલે Tv9 સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે રાજ્યમાં થયેલા વાવેતરને લઇને સારા સંકેત આપ્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લા 10 દિવસથી રાજ્યના જુદા જુદા વિસ્તારમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આજ સુધીમાં લગભગ મોટા ભાગના તાલુકાઓમાં સારો એવો વરસાદ વરસ્યો છે. એટલે લગભગ તમામ વિસ્તારમાં વાવેતર લાયક વરસી ગયો છે.

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું હતુ કે, રાજ્યમાં 30.21 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ હજુ 34 ટકા જ છે. જો કે રાજ્યમાં પાછલા દસ દિવસથી વાવણી લાયક વરસાદ પડતા ખરીફ ઋતુનું વાવેતર હજી વધવાની શક્યતા છે.રાઘવજી પટેલે Tv9 સાથે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં મગફળીનું 10.15 લાખ હેકટરમાં વાવેતર થયું છે. તો સૌથી વધારે 15.56 લાખ હેકટરમાં કપાસની વાવણી થઈ છે. જ્યારે ધાન્ય અને કઠોળનું 4.50 લાખ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.

Latest News Updates

કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
g clip-path="url(#clip0_868_265)">