Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panchmahal: પાનમ ડેમમાંથી સિંચાઇ માટેનું પાણી છોડાયુ, 80 ગામના ખેડૂતોને થશે લાભ

ખેડૂતોને (Farmers) ધરુની વાવણી માટે પાણીની જરુર હતી. પાકને જરુરી પાણી મળશે કે નહીં તેની ખેડૂતોને ચિંતા સતાવી રહી હતી. જો કે સરકાર દ્વારા અંતે પાનમ ડેમમાંથી (Panam Dam) પાણી છોડાતા ખેડૂતોએ રાહતના શ્વાસ લીધા છે.

Panchmahal: પાનમ ડેમમાંથી સિંચાઇ માટેનું પાણી છોડાયુ, 80 ગામના ખેડૂતોને થશે લાભ
પાનમ ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડાયુ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2022 | 1:55 PM

પંચમહાલ (Panchmahal) જિલ્લાના ખેડૂતો (Farmers) માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં આવેલી પાનમ ડેમમાંથી (Panam Dam) સિંચાઇ માટે પાણી છોડવામાં આવ્યુ છે. જેના પગલે જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખેડૂતોએ સારો એવો વરસાદ વરસ્યા બાદ વાવણીની શરુઆત કરી દીધી છે. તો કેટલાક ખેડૂતોને ધરુની વાવણી માટે પાણીની જરુર હતી. પાકને જરુરી પાણી મળશે કે નહીં તેની ખેડૂતોને ચિંતા સતાવી રહી હતી. જો કે સરકાર દ્વારા અંતે પાનમ ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોએ રાહતના શ્વાસ લીધા છે.

27 જુલાઈ સુધી તબક્કાવાર પાણી છોડાશે

ડાંગરના ધરુંની વાવણી માટે પંચમહાલ જિલ્લાના પાનમ કેનાલ મારફતે 200 ક્યુસેક પાણી છોડાયું છે. આ સાથે જ માહિતી આપવામાં આવી છે કે 27 જુલાઈ સુધી તબક્કાવાર 500 ક્યુસેક સુધી પાણી છોડવામાં આવશે. પાનમ વિભાગ દ્વારા સિંચાઇ સલાહકારની મીટિંગમાં ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

80 જેટલા ગામોના ખેડૂતોને થશે ફાયદો

પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવતા 10 હજાર હેક્ટર જમીનને મળશે સિંચાઈનો લાભ મળશે. પંચમહાલ જિલ્લાના શહેરા, લુણાવાડા, ગોધરા, કાલોલ અને સાવલી તાલુકાના 80 જેટલા ગામોના ખેડૂતોને સિંચાઇના પાણીનો લાભ મળશે

ટેરેન્સ લુઈસે કહ્યું, રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ હોય છે
પુરુષોમાં HIV ના લક્ષણો કેવી રીતે દેખાય છે?
Plant in pot : ગુલાબનો છોડ સુકાઈ રહ્યો છે ? આ સરળ ટીપ્સ અપનાવો ફુલ નહીં ખુટે
Avoid Foods With Beer: ​​બીયર સાથે ભૂલથી પણ ના ખાતા આ 6 વસ્તુ
AC કેટલી ઊંચાઈ પર લગાવવું જોઈએ? ઉપર-નીચે લગાવવાથી કુલિંગમાં ફરક પડે?
ઑસ્ટ્રિયામાં ટ્રેનિંગ પૂર્ણ કરી, ભારત પરત ફર્યા 28 ખેલાડીઓ

વાવેતર લાયક વરસી ગયો: રાઘવજી પટેલે

થોડા દિવસ પહેલા જ કૃષિ મંત્રી રાઘવજી પટેલે Tv9 સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે રાજ્યમાં થયેલા વાવેતરને લઇને સારા સંકેત આપ્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લા 10 દિવસથી રાજ્યના જુદા જુદા વિસ્તારમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આજ સુધીમાં લગભગ મોટા ભાગના તાલુકાઓમાં સારો એવો વરસાદ વરસ્યો છે. એટલે લગભગ તમામ વિસ્તારમાં વાવેતર લાયક વરસી ગયો છે.

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું હતુ કે, રાજ્યમાં 30.21 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ હજુ 34 ટકા જ છે. જો કે રાજ્યમાં પાછલા દસ દિવસથી વાવણી લાયક વરસાદ પડતા ખરીફ ઋતુનું વાવેતર હજી વધવાની શક્યતા છે.રાઘવજી પટેલે Tv9 સાથે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં મગફળીનું 10.15 લાખ હેકટરમાં વાવેતર થયું છે. તો સૌથી વધારે 15.56 લાખ હેકટરમાં કપાસની વાવણી થઈ છે. જ્યારે ધાન્ય અને કઠોળનું 4.50 લાખ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.

અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
અમદાવાદમા સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીનો પ્રારંભ
અમદાવાદમા સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીનો પ્રારંભ
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
g clip-path="url(#clip0_868_265)">