Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panchmahal: અનોખા લગ્ન: યુવકે શરીરે ભસ્મ ચોળી, વ્યાઘ ચર્મ પહેરીને શિવસ્વરૂપે કર્યાં લગ્ન, જુઓ Video

કાછીયા સમાજનો યુવક રિષભ પટેલ શિવ ભક્ત છે અને તેણે નક્કી કર્યું હતું કે તે શિવરાત્રીના દિવસે જ લગ્ન કરશે. સામાન્ય રીતે શિવરાત્રીના દિવસે કોઈ યુગલ લગ્નગ્રંથિથી જોડાતું નથી, પરંતુ રીષભ શિવભક્ત હોવાને કારણે તેણે શિવરાત્રીના દિવસે જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

Panchmahal:  અનોખા લગ્ન: યુવકે શરીરે ભસ્મ ચોળી, વ્યાઘ ચર્મ પહેરીને શિવસ્વરૂપે કર્યાં લગ્ન, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2023 | 12:25 PM

પંચમહાલ જિલ્લાના ગોધરામાં મહા શિવરાત્રીના દિવસે અનોખો વરઘોડો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સામાન્ય રીતે કોઈ પણ વરઘોડો જતો હોય તો લોકો તે જોવા ઉભા રહી જતા હોય છે, પરંતુ ગોધરામાં નીકળેલો વરઘોડો કંઇક અલગ કારણસર જ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જેમ ભગવાન શિવજીની જાનમાં સાધુ સંતો જોડાયા હતા તે જ રીતે એક યુવાન ભગવાન શિવનું સ્વરૂપ ધારણ કરીને પરણવા નીકળ્યો હતો અને યુવાનની જાનમાં પણ સાધુ સંતો અને બાવાએ શિવ ધુન ગાતા ગાતા જોડાયા હતા.

રીષભની જાનમાં સાધુ બાવાઓ પણ થયા સામેલ

ગોધરામાં રહેતો કાછીયા સમાજનો યુવક રિષભ પટેલ શિવ ભક્ત છે અને તેણે નક્કી કર્યું હતું કે તે શિવરાત્રીના દિવસે જ લગ્ન કરશે. સામાન્ય રીતે શિવરાત્રીના દિવસે કોઈ યુગલ લગ્નગ્રંથિથી જોડાતું નથી, પરંતુ રીષભ શિવભક્ત હોવાને કારણે તેણે શિવરાત્રીના દિવસે જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તેના આ નિર્ણયમાં તેની વાગ્દત્તાએ પણ સાથે આપ્યો હતો. રીષભે  મહા શિવરાત્રીએ લગ્ન  કરવાનું નક્કી કરતા પરિવારે પણ તે જ રીતે તૈયારીઓ શરૂ કરી હતી અને વાજતે ગાજતે રીષભ શરીરે ભસ્મ ચોળી , રૂદ્રાક્ષની માળા પહેરીને તેમજ  વ્યાઘ ચર્મ ધારણ કરીને  વરરાજા બન્યો હતો.

રોહિત શર્માનો ખાન પરિવાર સાથે છે સંબંધ,જુઓ હિટમેનના પરિવારમાં કોણ કોણ છે
એક કે બે નહીં, ભારત પાકિસ્તાનીઓને આપે છે 10 પ્રકારના વિઝા
Post Office માં 60 મહિનાની FD માં 3,00,000 જમા કરાવો, તો પાકતી મુદત પર કેટલા રૂપિયા મળશે?
અચાનક નોળિયો દેખાવો કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
શુભમન ગિલના પરિવારમાં કોણ છે? જુઓ ફોટો
Kitchen Tiles color: રસોડામાં કયા રંગની ટાઇલ્સનો ઉપયોગ કરવો જોઈએ?
Godhra yuvak varrja

શિવજીની વેશભૂષામાં આવ્યા વરરાજા

વળી રિષભ પટેલની જાનમાં જાનૈયાઓ પણ  અનોખા હતા. રાત્રે નીકળેલા વરઘોડામાં  ઘરના સ્વજનો તો હતા જ, પરંતુ જટાધારી સાધુ બાવા અને સંતો પણ શિવ ધુન  ગાતા ગાતા આ  વરઘોડામાં જોડાયા  હતા. આ વરઘોડાનો માહોલ એવો લાગતો હતો કે જાણે શંકર ભગવાન જાણે માતા પાર્વતીને પરણવા નીકળ્યા હોય.

યુવકની વાગ્દતાએ પણ કર્યું તેના નિર્ણયનું સમર્થન

વિથ ઇનપુટ ક્રેડિટઃ નીકુંજ પટેલ, ગોધરા

ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
g clip-path="url(#clip0_868_265)">