AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pavagadh માં મંદિર સુધી જનારી લિફ્ટના કામનું થયું ખાતમુહૂર્ત, 20 કરોડના ખર્ચે 2 લિફ્ટ બનતા નહીં ચઢવાં પડે પગથિયા

લિફ્ટ બનવાને કારણે ખાસ કરીને દિવ્યાંગ અને સિનિયર સિટિઝન વ્યક્તિઓને ઘણી રાહત મળશે. કારણ કે દર્શનાર્થીઓ રોપ વે (Rope way)માંથી ઉતરે તે પછી પણ પાવાગઢ મહાકાળી માતાના મંદિર સુધી પહોંચવા માટે 450 જેટલા પગથિયાં ચઢીને જવું પડે છે. લિફ્ટનું કામ થઈ જશે તો દર્શનાર્થીઓ માટે ખૂબ જ રાહત રહેશે.

Pavagadh માં મંદિર સુધી જનારી લિફ્ટના કામનું થયું ખાતમુહૂર્ત, 20 કરોડના ખર્ચે 2 લિફ્ટ બનતા નહીં ચઢવાં પડે પગથિયા
પાવાગઢમાં મંદિર સુધી જવા માટે બનશે બે લિફ્ટ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2023 | 3:39 PM
Share

પંચમહાલમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે લિફ્ટના કામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે પાવાગઢમાં મહાકાળી માતાના મંદિરે આવતા દર્શનાર્થીઓ માટે ખૂબ સારા સમચાર છે કે આ લિફ્ટનું કામ પૂર્ણ થતા દર્શનાર્થીઓ તેની મદદથી સીધા નીજ મંદિરમાં પહોંચી શકશે. રૂપિયા 20 કરોડના ખર્ચે 2 લિફ્ટ બનાવવામાં આવશે. જેમાં 20 લોકોનો સમાવેશ થઈ શકશે. પાવાગઢ જતા છસિયા તળવાથી મંદિર પરિસર સુધીની લિફ્ટનું નિર્ણાણ કરવામાં આવશે. કુલ 70 મીટરની ઊંચાઈ ધરવાતી હાઇસ્પીડ લિફ્ટ બનાવવામાં આવશે.

રોપ વેમાંથી ઉતરીને ચઢવા પડે છે 450 પગથિયાં

આ લિફ્ટ બનવાને કારણે ખાસ કરીને દિવ્યાંગ અને સિનિયર સિટિઝન વ્યક્તિઓને ઘણી રાહત મળશે. કારણ કે દર્શનાર્થીઓ રોપ વેમાંથી ઉતરે તે પછી પણ પાવાગઢ મહાકાળી માતાના મંદિર સુધી પહોંચવા માટે 450 જેટલા પગથિયાં ચઢીને જવા પડે છે. ત્યારે લિફ્ટનું કામ થઈ જશે તો દર્શનાર્થીઓ માટે ખૂબ જ રાહત રહેશે. આ લિફ્ટની બનાવવાનું કામ ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યું છે. શાસ્ત્રોકત વિધી સાથે લિફ્ટના કામની ખાત વિધી કરવામાં આવી હતી.

 પાવાગઢ મંદિર સુધી લઈ જતો રોપ વે 21 જાન્યુઆરી સુધી બંધ

મંદિર સુધી લઈ જતો રોપ વે મેઇન્ટેનન્સના કામ માટે બંધ રાખવામાં આવ્યો છે. પાવાગઢમાં તહેવારોમાં તેમજ રવિવારે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે અને પાવાગઢના દર્શન માટે સતત રોપ વેનો ઉપયોગ થતો હોય છે આથી રોપ વે ચલાવનારી કંપની વાર્ષિક તેમજ અર્ધ વાર્ષિક મેઇન્ટેનન્સ કરતી હોય છે તે જ રૂટિન પ્રક્રિયા પ્રમાણે પાવાગઢમાં પણ રોપ વેની મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે. 16 જાન્યુારીથી બંધ થયેલો રોપ વે 21 જાન્યુઆરી બાદ રાબેતા મુજબ રોપ વે સેવા શરૂ કરવામાં આવશે.

મંદિરની ઉપર ધજારોહણ થયા બાદ દર્શનાર્થીઓમાં થયો વધારો

ગત વર્ષે પાવાગઢ મંદિર ઉપર પ્રથમ વાર ધજા ચઢાવવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંદિર ઉપર ધજા ચઢાવ્યા બાદ અહીં સતત દર્શનાર્થીઓ વધી રહ્યા છે. રવિવાર તેમજ તહેવારના દિવસે  તેમજ નવરાત્રી દરમિયાન અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડે છે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">