ગોધરામાં ગુલીયન બેરી સિન્ડ્રોમ રોગે દેખા દીધી, ત્રણ વ્યક્તિના મોત થયા હોવાની વિગતો સામે આવી

ગોધરા શહેરમાંથી મળી આવેલા તમામ 10 દર્દીઓ હાલ વડોદરા ખાતે સારવાર અર્થે છે જ્યારે હજુ પણ કેટલાક વધુ દર્દીઓ મળી આવે તેવી સંપૂર્ણ શક્યતાઓ વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે

ગોધરામાં ગુલીયન બેરી સિન્ડ્રોમ રોગે દેખા દીધી,  ત્રણ વ્યક્તિના મોત થયા હોવાની વિગતો સામે આવી
આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 5:43 PM

પંચમહાલ (panchmahal) જિલ્લાના મુખ્ય મથક ગોધરા (Godhra) શહેરમાં જીબીએસ ગુલીયન બેરી સિન્ડ્રોમ (Guillain Berry Syndrome) નામના જીવલેણ રોગના 10 કેસો સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ગોધરા શહેરમાં કોરોના કેસો માંડ ઓછા થયા હતા ત્યાં જી બી એસ નામના જીવલેણ રોગે દેખા દીધી છે તેમજ આ રોગના શંકાસ્પદ લક્ષણો ધરાવતાં ત્રણ વ્યક્તિઓના મોત (death) થયા હોવાની પણ વિગતો સામે આવતા શહેરીજનોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.

ગોધરા શહેરમાં કોરોનાના કેસોમાં માંડ બે દિવસથી રાહત મળી હતી ત્યાં શહેરમાં જીબીએસ ગુલિયન બેરી સિન્ડ્રોમ નામના રોગે દેખા દેતા શહેરીજનો સહિત આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા સાપા રોડ, વાગડિયા વાસ, દયાનંદ નગર અને સતકેવલ સોસાયટી વિસ્તારોમાંથી આ રોગના લક્ષણો ધરાવતા 10 ઉપરાંત કેસો મળી આવ્યા છે જે તમામ દર્દીઓ વડોદરા ખાતે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે આ રોગના લક્ષણો ધરાવતાં ત્રણ દર્દીઓના શંકાસ્પદ મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં બે બાળકોને એક મહિલાનો સમાવેશ થાય છે.

મૃતક મહિલાનું નામ પૂનમ મછાર છે જેની ઉંમર 23 વર્ષ હતી. ગોધરા શહેરમાં જીબીએસ રોગના દર્દીઓ મળી આવતા શહેરીજનોમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો છે તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા શહેરના ભૂરાવાવ વિસ્તારમાં અલગ અલગ છ ટીમો બનાવીને સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં આ વિસ્તારમાં આવેલા રહેણાક મકાનોમાં રહેતા અને આ રોગના શંકાસ્પદ લક્ષણો ધરાવતાં દર્દીઓના સેમ્પલ મેળવીને અમદાવાદ ખાતે મોકલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

બેક્ટેરિયા અને વાયરસના લીધે આ રોગ થાય છે

ગુલિયન બેરી સિન્ડ્રોમએ બેક્ટેરિયા અને વાયરસના લીધે થતો રોગ છે. આ રોગ જેને લાગુ પડે છે તે દર્દીના શ્વાસોશ્વાસની પ્રક્રિયા અને શરીરની નર્વસ સિસ્ટમ પર અસર કરે છે જેને લઇને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને પગમાં અશક્તિ આવે છે અને મોટાભાગના કિસ્સાઓમાં પગમાં લકવો થઈ જાય છે.

ઓછા રાંધેલા મરઘીના માસમાંથી પણ જીબીએસ રોગના બેક્ટેરિયા મળી આવે છે

એક અભ્યાસ પ્રમાણે ઓછા રાંધેલા મરઘીના માસમાંથી પણ જીબીએસ રોગના બેક્ટેરિયા મળી આવે છે, જ્યારે એડીસ મચ્છર તેમજ વધુ પડતી ગંદકીમાં પણ આ રોગના બેક્ટેરિયા અને વાયરસ મળી આવે છે. ગોધરા શહેરમાં હાલમાં મળી આવેલા જીબીએસ રોગના દર્દીઓમાં મોટાભાગના બાળકો અને યુવાનોનો સમાવેશ થાય છે, જેઓની ઉંમર 10 વર્ષથી લઈને 23 વર્ષ સુધીની સામે આવી છે.

રહેણાંક વિસ્તારમાં નિયમિત સાફ સફાઈથી આ રોગ અટકાવી શકાય

આ રોગના નિદાન માટે દર્દીના સ્ટુલનું સેમ્પલ મેળવીને પરીક્ષણ કરવામાં આવે છે. આ રોગથી બચવા માટે રહેણાંક મકાનો તેમજ વિસ્તારોમાં ગંદકીની નિયમિત સાફ સફાઈ, પાણીનો ભરાવો ન થવા દેવો તેમ જ સંપૂર્ણ રાંધેલો ખોરાક આરોગવો જોઈએ.

સાફ-સફાઇ, સેનિટેશન, દવા છંટકાવ સહિતની કામગીરી શરૂ કરાઈ

ગોધરા શહેરમાંથી મળી આવેલા તમામ દર્દીઓ હાલ વડોદરા ખાતે સારવાર અર્થે છે જ્યારે હજુ પણ કેટલાક વધુ દર્દીઓ મળી આવે તેવી સંપૂર્ણ શક્યતાઓ વચ્ચે આરોગ્ય વિભાગ તેમજ ગોધરા નગરપાલિકા દ્વારા આ વિસ્તારોમાં સાફ-સફાઇ, સેનિટેશન, દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી બન્યું છે.

મોટાભાગના કેસો ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી મળી આવ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ગોધરા શહેરમાંથી મળી આવેલા 10 જેટલા કેસોમાં મોટાભાગના કેસો ગીચ વસ્તી ધરાવતા સ્લમ વિસ્તારોમાંથી મળી આવ્યા છે, જેથી જવાબદાર વિભાગ દ્વારા આ વિસ્તારોમાં તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે તે ખુબ જ જરૂરી બને છે.

આ પણ વાંચોઃ Ahmedabad: ઔડાનું વર્ષ 2022-23 અંદાજપત્ર રજૂ , ઔડા કમિશનર લોચન શહેરાએ રુ. 1210.73 કરોડનુ બજેટ રજુ કર્યુ

આ પણ વાંચોઃ રાજકોટમાં સોશિયલ મીડિયા પર છત્રપતિ શિવાજીને લઈને ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાઇ તેવી ટિપ્પણીથી રોષ

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">