AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘આદિવાસી વિસ્તાર સાબરકાંઠા, બનાસકાંઠા અને વલસાડને મેડિકલ હબ તરીકે વિકસાવવામાં આવશે’: PM મોદી

પીએમ મોદી (PM Modi) આ મુલાકાત દરમિયાન શિક્ષણ, શ્રમ અને રોજગાર, તેમજ આરોગ્ય વિભાગ સંબંધિત વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ. તેની વાત કરીએ તો જાંબુઘોડામાં 52.61 કરોડના ખર્ચે બનેલા ગોવિંદગુરુ યુનિવર્સિટી બિલ્ડીંગના એડમિનિસ્ટ્રેટીવ બ્લોક અને બે પ્રાથમિક શાળાઓનું લોકાર્પણ કર્યુ.

'આદિવાસી વિસ્તાર સાબરકાંઠા, બનાસકાંઠા અને વલસાડને મેડિકલ હબ તરીકે વિકસાવવામાં આવશે': PM મોદી
PM મોદીએ જાંબુઘોડામાં રૂ. 885.42 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2022 | 5:14 PM
Share

પીએમ નરેન્દ્ર મોદીએ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં રૂપિયા 885.42 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે. પીએમ મોદી આ મુલાકાત દરમિયાન શિક્ષણ, શ્રમ અને રોજગાર, તેમજ આરોગ્ય વિભાગ સંબંધિત વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ. તેની વાત કરીએ તો જાંબુઘોડામાં 52.61 કરોડના ખર્ચે બનેલા ગોવિંદગુરુ યુનિવર્સિટી બિલ્ડીંગના એડમિનિસ્ટ્રેટીવ બ્લોક અને બે પ્રાથમિક શાળાઓનું લોકાર્પણ કર્યુ. આ સાથે જ તેઓ ગોધરા મેડિકલ કોલેજ અને કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીના 686 કરોડના પ્રોજેક્ટ સાથે ગોધરા કેન્દ્રિય વિદ્યાલયના બિલ્ડિંગના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત કર્યુ. સાથે જ 122.18 કરોડના GGUના વિવિધ એકેડેમિક બ્લોક બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યુ.

વડાપ્રધાને અહીં સંબોધન કરતા જણાવ્યુ હતુ કે “આપણું જાંબુઘોડા એટલે આદિવાસી સમાજના મહાન બલિદાનોની સાક્ષી આ ભોમકા. શહીદ જોરીયા પરમેશ્વર, રૂપસિંહ નાયક, ગલાલિયા નાયક, રજવિદા નાયક અને બાબરિયા ગલમા નાયક જેવા અમર સૈનિકોને નમન કરવાનો આ અવસર છે.”

આ પ્રસંગે તેમણે જંગી જનસભા સંબોધતાં નામ લીધા વિના કૉંગ્રેસ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ભૂતકાળમાં ગુજરાતમાં એવી સ્થિતિ હતી કે હેન્ડ પંપની મંજૂરી મળે તો પણ ઢોલ નગારા વાગતા હતા. પરંતુ તેમની સરકાર આવ્યા બાદ લોકોને પાઈપથી પાણી મળવા લાગ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે- તેમની સરકારે આધુનિક ટ્રેનિંગ સેન્ટર ખોલ્યા છે. વોકેશનલ સેન્ટર, ITI અને કિસાન વિકાસ કેન્દ્રોના માધ્યમથી 18 લાખ આદિવાસી યુવાઓને ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ આપવામાં આવી રહ્યું છે. પરંતુ 20-25 વર્ષ પહેલા આ બાબતોની ચિંતા ભૂતકાળની સરકારોને નહોતી. તેમણે કહ્યુ કે,દિવાસી વિસ્તારો, સાબરકાંઠા, બનાસકાંઠા અને વલસાડને મેડિકલ હબ તરીકે વિકસાવવામાં આવશે.

શહીદોની યાદમાં ગામમાં સ્મારક પ્રતિમા અને પ્રાથમિક શાળાઓનું લોકાર્પણ

સ્વાતંત્ર્ય સંગ્રામના વીર શહીદો રાજા રૂપસિંહ નાયક અને સંત જોરીયા પરમેશ્વરની યાદમાં તેમના વતન દાંડીયાપુરા અને વડેક ગામની પ્રાથમિક શાળાઓને આ શહીદોના નામ સાથે જોડવામાં આવી છે. આ ઉપરાંત જાંબુઘોડાથી 8 કિમી દૂર વડેક ગામ ખાતે સંત જોરિયા પરમેશ્વરની સ્મારક પ્રતિમા અને જાંબુઘોડાથી 10.5 કિમી દૂર દાંડિયાપુરા ગામમાં શહીદ રૂપસિંહ નાયક સ્મારક પ્રતિમા પણ બનાવવામાં આવી છે. જેનું વડાપ્રધાન દ્વારા લોકાર્પણ કરાયુ. તાલુકાના પ્રવાસનને વેગ મળે તે માટે શાળાઓના વિકાસ તથા શહીદોની સ્મૃતિમાં ઓડિયો વિઝ્યુઅલ દ્વારા શહીદોની ગાથાનું વર્ણન, ગ્રીન ગ્રાસ પાથ-વે, ઈકો ફ્રેન્ડલી ગાર્ડન, આઉટડોર સિટીંગ ફેસીલીટી વગેરેનું નિર્માણ કરવાના કામોને મંજૂરી આપવામાં આવી છે.

આ પહેલા વડાપ્રધાન મોદીએ સવારે માનગઢની મુલાકાત લેતા 1913માં રાજસ્થાનના માનગઢમાં બ્રિટિશ દળોના ગોળીબારમાં જીવ ગુમાવનારા આદિવાસીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. બાંસવાડા જિલ્લાના માનગઢ ધામની મુલાકાત દરમિયાન મોદીની સાથે ત્રણ રાજ્યોના CM એક મંચ પર જોવા મળ્યા. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને અન્ય નેતાઓ પણ હાજર હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાને ગેહલોત અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મંચ શેર કર્યો હતો.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">