Gujarati NewsOff beat tv9 storiesNews of mourning from the world of gujarati literature poet critic essayist and storyteller dhirubhai parikh passes away
ગુજરાતી સાહિત્ય જગતમાંથી શોકના સમાચાર : કવિ,વિવેચક,નિબંધકાર અને વાર્તાકાર એવા ધીરુભાઈ પરીખનું નિધન
સાહિત્ય જગત સાથે જોડાયેલા લોકો સોશિયલ મીડિયાના મધ્યમથી શ્રદ્ધાંજલી પાઠવી રહ્યા છે.
ગુજરાતી સાહિત્ય જગતમાં માનભેર લેવાતું નામ એવું ધીરુભાઈ પરિખનું આજે દુખદ અવસાન થયું છે. ધીરુભાઈ પરીખનું,તારીખ:09 મે 2021,રવિવારના રોજ,સાંજે 7-00 વાગે અવસાન થયેલ છે જેને લઈને સાહિત્ય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સાહિત્ય જગત સાથે જોડાયેલા લોકો સોશિયલ મીડિયાના મધ્યમથી શ્રદ્ધાંજલી પાઠવી રહ્યા છે. જાણીતા તેજબી વક્તા અને કવિ આદીલ મન્સુરી ના ભત્રિજા, કવિ મુહમ્મદ તાહા મન્સુરીએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલી પાઠવી છે.
ગુજરાતી હિન્દી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા જાણીતા કલાકાર હેમંગ દવેએ પણ ટ્વિટ કરીને ધીરુભાઈ પરિખને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
Great Poet, Short story writter and Critic Shree Dhirubhai Parikh from gujarat, India left us today,
May his Soul rest in peace 🙏🏼 pic.twitter.com/gyKvYMDwAx
યુવા ઘર્મ, યુવા સરગમ, યુવા હવા જેવા પૃસ્તકોના લેખક તેમજ તાજેતરમાં “યુવા સરકાર ” ફિલ્મના દિગદર્શક, નિર્માતા, અને અભિનેતા એવા હર્ષલ માંકડે પણ ટ્વિટ કરીને લખ્યું છે કે ગુજરાતી ભાષાને ખાલીપો થયો છે
આદરણીય ધીરુભાઈ પરીખ ની વિદાય થી ગુજરાતી ભાષા ને ખાલીપો થયો ઈશ્વર તેની સદગત આત્મા ને શાંતિ આપે