ગુજરાતી સાહિત્ય જગતમાંથી શોકના સમાચાર : કવિ,વિવેચક,નિબંધકાર અને વાર્તાકાર એવા ધીરુભાઈ પરીખનું નિધન

સાહિત્ય જગત સાથે જોડાયેલા લોકો સોશિયલ મીડિયાના મધ્યમથી શ્રદ્ધાંજલી પાઠવી રહ્યા છે.

ગુજરાતી સાહિત્ય જગતમાંથી શોકના સમાચાર : કવિ,વિવેચક,નિબંધકાર અને વાર્તાકાર એવા ધીરુભાઈ પરીખનું નિધન
Dhirubhai Parikh
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 09, 2021 | 9:59 PM

ગુજરાતી સાહિત્ય જગતમાં માનભેર લેવાતું નામ એવું ધીરુભાઈ પરિખનું આજે દુખદ અવસાન થયું છે. ધીરુભાઈ પરીખનું,તારીખ:09 મે 2021,રવિવારના રોજ,સાંજે 7-00 વાગે અવસાન થયેલ છે જેને લઈને સાહિત્ય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સાહિત્ય જગત સાથે જોડાયેલા લોકો સોશિયલ મીડિયાના મધ્યમથી શ્રદ્ધાંજલી પાઠવી રહ્યા છે. જાણીતા તેજબી વક્તા અને કવિ આદીલ મન્સુરી ના ભત્રિજા, કવિ મુહમ્મદ તાહા મન્સુરીએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલી પાઠવી છે.

ગુજરાતી હિન્દી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા જાણીતા કલાકાર હેમંગ દવેએ પણ ટ્વિટ કરીને ધીરુભાઈ પરિખને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

યુવા ઘર્મ, યુવા સરગમ, યુવા હવા જેવા પૃસ્તકોના લેખક તેમજ તાજેતરમાં “યુવા સરકાર ” ફિલ્મના દિગદર્શક, નિર્માતા, અને અભિનેતા એવા હર્ષલ માંકડે પણ ટ્વિટ કરીને લખ્યું છે કે ગુજરાતી ભાષાને ખાલીપો થયો છે

ધીરુભાઈ પરિખનો સંક્ષિપ્ત પરિચય પરીખ ધીરુભાઈ ઈશ્વરલાલ (૩૧-૮-૧૯૩૩) : કવિ, વાર્તાકાર, વિવેચક. જન્મ વીરમગામમાં. ત્યાં જ મૅટ્રિક સુધીનું શિક્ષણ. ૧૯૫૧માં મૅટ્રિક. ૧૯૫૫માં બી.એ. ૧૯૫૮માં એમ.એ. ૧૯૬૭માં પીએચ.ડી. ૧૯૫૫ થી સી.યુ.શાહ કૉલેજમાં અધ્યાપક. ૧૯૬૭ થી ૧૯૬૯ સુધી એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટી સાથે સંલગ્ન. વઢવાણની મહિલા આર્ટસ કૉલેજમાં આચાર્ય. પછી થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ. ગુજરાતી કવિતાના દ્વૈમાસિક ‘કવિલોક’ના તંત્રી. ૧૯૭૧માં કુમારચંદ્રક.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">