Navsari: પારસી સમાજ દ્વારા નવરોઝની ઉત્સાહપૂર્વક ઉજવણી, અગિયારીમાં એકઠા થઇને કરી પ્રાર્થના

વસારીમાં (Navsari) પારસી સમાજ દ્વારા ધામધૂમથી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. નવસારીમાં આવેલા 134 વર્ષથી પણ જુના આતસ બહેરામ એટલે કે પારસી અગિયારીમાં કોરોના નિયમનું પાલન કરી પારસી લોકોએ ઉજવણી કરી રહ્યા છે.

Navsari: પારસી સમાજ દ્વારા નવરોઝની ઉત્સાહપૂર્વક ઉજવણી, અગિયારીમાં એકઠા થઇને કરી પ્રાર્થના
પારસીઓએ નવાવર્ષની ધામધૂમથી કરી ઉજવણી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 12:32 PM

આજે પારસીઓનું નવું વર્ષ છે. પારસી સમુદાય (Parsi Community) પોતાની પરંપરાઓ સાથે જોડાયેલા છે. પારસી સમુદાય માટે નવરોઝ  (Navroz) ખૂબ આસ્થાનો વિષય છે. પારસી નવું વર્ષ જમશેદી નવરોઝ, નવરોઝ, પતેતી અને ખોરદાદ સાલ તરીકે પણ ઓળખાય છે. પારસીઓ માટે આ તહેવાર ખૂબ જ ખાસ છે. ત્યારે પારસી સમાજમાં પતેતી એટલે પ્રાયશ્ચિત કરવાનો દિવસ ગણવામાં આવે છે. ત્યારે નવસારીમાં પારસી સમાજ દ્વારા આજે એકબીજાને મોં મીઠુ કરાવી શુભેચ્છા પાઠવીને નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. દાદાભાઈ નવરોજી અને જમશેદજી ટાટાની નગરી ગણાતી નવસારીમાં (Navsari) પારસી સમાજ દ્વારા ધામધૂમથી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. નવસારીમાં આવેલા 134 વર્ષથી પણ જુના આતસ બહેરામ એટલે કે પારસી અગિયારીમાં કોરોના નિયમનું પાલન કરી પારસી લોકોએ ઉજવણી કરી રહ્યા છે.

ઈરાનથી આવ્યા પછી ભારતમાં દુધમાં સાકળ ભળે તેમ પારસી સમાજ ભારતના લોકોમાં ભળી ગયા છે. પારસી સમાજ ઈરાનથી આવી સંજાણ બંદરે ઉતર્યા હતા અને નવસારી ,સુરત ,ઉદવાડા અને મુબઈમાં વસવાટ કરી દરેક શહેરમાં પોતાનું યોગદાન આપ્યુ હતુ. એટલે અત્યારે પણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં પારસી સમુદાય વસવાટ કરે છે. ત્યારે નવરોઝનો ઉત્સવ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ દિવસે પારસી લોકો એકબીજાને ભેટ અને શુભેચ્છાઓ આપે છે. તેઓ આ દિવસે ઘરની સફાઈ કરી સજાવટ કરે છે. પારસી સમાજ દ્વારા અગ્નિ દેવની પૂજા કરીને નવા વર્ષની શુભકામનાઓ આપવામાં આવે છે. પારસી સમાજ દ્વારા અગિયારીમાં 24 કલાક અગ્નિ પ્રજવલિત રાખવામાં આવે છે અને તેની પૂજા અર્ચના કરવામાં આવે છે.

નવસારીમાં પારસી સમુદાય દ્વારા આજે ધામધૂમથી નવરોઝની ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારે પારસીઓ અગિયારીમાં જઇને રાષ્ટ્ર તેમજ પોતાની કોમની ઉન્નતી માટે પ્રાર્થના કરી રહ્યા છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

શું છે નવરોજનો ઇતિહાસ?

નવરોઝ (Navroz) ફારસી શબ્દ છે. જે નવ અને રોજ શબ્દને ભેગા કરીને બનાવાયો છે. નવનો અર્થ થાય છે નવું અને રોજનો અર્થ થાય છે દિવસ. જેથી નવરોઝને એક નવા દિવસના પ્રતિકના રૂપમાં ઉત્સવની જેમ મનાવવામાં આવે છે. ત્રણ હજાર વર્ષ પહેલાં ઈરાનમાં શાહ જમદેશ દ્વારા સિંહાસન ગ્રહણ કરવામાં આવ્યું હતું. જેને પારસી સમુદાયમાં નવરોઝ કહેવાય છે. સમય જતાં જરથુસ્ત્ર વંશીયોએ આ દિવસને નવા વર્ષના પ્રથમ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું હતું. ઈરાન, પાકિસ્તાન, ભારત, તાજીકિસ્તાન, ઈરાક, લેબનોન, બહેરીનમાં પારસીઓ નવા વર્ષ નવરોજ ઉજવે છે.

પારસી સમુદાયમાં લાંબા સમયથી નવરોઝનો તહેવાર ઉજવવાની પરંપરા ચાલી રહી છે. આ દિવસે જરથુસ્ત્રની તસવીર, મીણબત્તી, કાચ, સુગંધિત ધૂપ લાકડીઓ, ખાંડ, સિક્કા જેવી પવિત્ર વસ્તુઓ એક જગ્યાએ રાખવામાં આવે છે. પારસી સમુદાયમાં માન્યતા છે કે આવું કરવાથી પરિવારમાં સુખ -સમૃદ્ધિ વધે છે. નવરોજના દિવસે પરિવારના તમામ સભ્યો સાથે મળીને પ્રાર્થના સ્થળોએ જાય છે.

(વીથ ઇનપુટ- નિલેશ ગામીત, નવસારી)

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">