Navsari: વંદે ગુજરાત અંતર્ગતના એક્ઝિબિશનમાં વરસાદે સર્જ્યુ વિઘ્ન, ડોમમાં પાણી ભરાતા સ્ટોલ ધારકોએ સ્ટોલ બંધ રાખવાની ફરજ પડી
નવસારીમાં (Navsari) લાંબા વિરામ બાદ વરસાદ (Rain) તો વરસ્યો છે, જો કે વરસાદે દસ લાખના ખર્ચે તૈયાર કરાયેલા સખી મંડળના બહેનોના એક્ઝિબિશન પર પાણી ફેરવી દીધુ છે.
મોડીરાતથી વરસી રહેલા વરસાદના (Rain) કારણે નવસારી (Navsari) શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી આપી છે. લાંબા સમય બાદ વરસાદ વરસતા શહેર અને જિલ્લાના ખેડૂતોમાં (Farmers) ખુશીનું મોજું પ્રવૃત્તિ છે. જો કે નવસારી શહેરમાં દસ લાખના ખર્ચે વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત શરૂ થયેલા સખી મંડળના એક્ઝિબિશનમાં (exhibition) પાણી ભરાઈ જતા સખીમંડળની બહેનો સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બની છે. સરકાર દ્વારા મોટા ખર્ચે ઊભા કરવામાં આવેલા ડોમમાં પાણી ભરાઈ જતા સખીમંડળની બહેનોએ બે દિવસ વેપાર બંધ કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. સરકારે રોજગારી ઊભી કરવા માટે બનાવેલો કાર્યક્રમ સખીમંડળની બહેનો માટે વરસાદના કારણે ખોટનો સોદો સાબિત થઈ રહ્યો છે.
એક્ઝિબિશન બંધ રાખવાની ફરજ પડી
નવસારીમાં વંદે ગુજરાત અંતર્ગત શરૂ થયેલા એક્ઝિબિશનમાં વરસાદ વિઘ્ન બન્યો છે. નવસારીમાં લાંબા વિરામ બાદ વરસાદ તો વરસ્યો છે, જો કે વરસાદે દસ લાખના ખર્ચે તૈયાર કરાયેલા સખી મંડળના બહેનોના એક્ઝિબિશન પર પાણી ફેરવી દીધુ છે. એક્ઝિબિશનના ડોમમાં પાણી ભરાઇ ગયા છે. આ ડોમમાં લોકોનું આવવુ જવુ મુશ્કેલ છે. સાથે જ સખીમંડળના એક્ઝિબિશનનો સામાન અહીં ખરાબ થઇ જાય તેવી સ્થિતિ છે. જેના પગલે એક્ઝિબિશન બંધ રાખવાની ફરજ પડી છે. વરસાદી પાણી ભરાઇ જવાના પગલે સ્ટોલ ધારકોએ સ્ટોલ બંધ કરી દીધા છે. બે દિવસ વેપાર પણ બંધ રાખવો પડશે. ત્યારે સખી મંડળની બહેનોને વરસાદી વિઘ્નથી ભારે ખોટનો સામનો કરવો પડશે.
નવસારી શહેરમાં વરસાદી માહોલ
મહત્વનું છે કે, રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ નવસારીમાં (Navsari) વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારે 2 કલાકમાં 1 ઈંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા.