નવસારીની 14 વર્ષીય સગીરાને સ્નેપચેટથી ફોસલાવીને કર્યું અપહરણ, પોલીસે દિલ્હી પહોંચી સગીરાને બચાવી

સતિર દિમાગ અને ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો પૈસા કમાવવા માટે વિવિધ પેતરાઓ કરતા હોય છે એવી જ ઘટના ઘટી છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં જ્યાં 14 વર્ષીય સગીરાને સ્નેપ ચેટ પર ફોસલાવીને અપહરણ કર્યા બાદ એક કરોડની ખંડણી માંગનાર ચાર આરોપીઓને સુરત રેન્જ અને નવસારી જિલ્લા પોલીસે ઉત્તરપ્રદેશ થી ધરપકડ કરી છે. 

નવસારીની 14 વર્ષીય સગીરાને સ્નેપચેટથી ફોસલાવીને કર્યું અપહરણ, પોલીસે દિલ્હી પહોંચી સગીરાને બચાવી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2023 | 10:06 PM

જો તમારા બાળકો પણ સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહે છે. તો સાચવજો. જી હાં, કારણ કે નવસારીના ગણદેવીમાં એક સગીર બાળકીને સ્નેપચેટ ચલાવવું ભારે પડ્યું. સોશિયલ મીડિયા પર અમુક શખ્સોએ બાળકી સાથે મિત્રતા કરી અને પછી અપહરણ કર્યું હતું. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ 4 આરોપીને ઝડપી લીધા અને બાળકીને બચાવી લીધી.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, નવસારીના ગણદેવીમાં રહેતી એક 14 વર્ષીય બાળકી. જે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હતી.  ત્યારે સ્નેપચેટ પર બાળકીની સમીર પઠાન નામના શખ્સ સાથે મિત્રતા થઇ. જે બાદ તેણે બાળકીને ફોસલાવીને વિશ્વાસમાં લીધી અને મોકો જોઇને, 10 નવેમ્બરે તેનું અપહરણ કરી લીધું. જે બાદ બાળકીને દાહોદથી રાજસ્થાન અને દિલ્હી વાયા ઉત્તર પ્રદેશ લઇ ગયા.

અપહરણ બાદ આરોપી શખ્સોએ બાળકીના પરિજનોને વોટ્સએપ કોલ કરીને રૂપિયા 1 કરોડની ખંડણી માગી હતી. જો કે હાલ તો બાળકી મળી જતા પરિજનો ખુશ છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

પરિજનોએ જ્યારે અપહરણની વાત પોલીસને જણાવી. ત્યારે જિલ્લા પોલીસે, LCB અને રેન્જ IGની ટીમે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી. જો કે પોલીસ માટે આ મોટો પડકાર હતો કે ક્યાંક અપહ્યત બાળકીની હત્યા ન થઇ જાય. તે માટે પોલીસે સાવચેતીથી કાર્યવાહી કરી અને પરિજનોને આરોપીની સાથે સતત કોન્ટેક્ટમાં રાખ્યા. જે બાદ ટેક્નિકલ સર્વેલન્સના આધારે લખનઉ હાઇવે પર ટોલનાકા પાસે 4 આરોપી શખ્સોને ઝડપી લીધા અને 48 કલાક જેટલા સમયમાં બાળકીને છોડાવી લીધી.

ઘટનાનો મુખ્ય આરોપી સમીર પઠાન પોલીસના સકંજામાં છે. તો, ગુનામાં સામેલ મોહિત સેવક, પ્રદીપ ચૌધરી અને અભિષેક ચૌધરીને પણ ઝડપડ્યા.

ઘટનાની તપાસમાં એવો ખુલાસો થયો કે, પહેલા બાળકીને દાહોદથી રાજસ્થાન લઇ જવાઇ હતી. જો કે રાજસ્થાન પોલીસ સાથે મળીને પણ તપાસ કરી. પરંતુ શખ્સો બાળકીને દિલ્હી લઇ ગયા અને નીલવિહાર ઝૂંપડપટ્ટીમાં રાખી હતી. જે બાદ દિલ્હીની સ્પેશિયલ ટીમે પણ તપાસ કરી. પરંતુ શખ્સો ત્યાંથી પણ ફરાર થઇ ગયા અને ઉત્તર પ્રદેશ જતા હતા.

આ પણ વાંચો : નવસારી પોલીસે કર્યુ એ કામ કે તમે પણ કરી ઉઠશો સલામ, જુઓ વીડિયો

ત્યારે યુપીની STF સાથે મળીને ગુજરાત પોલીસે આરોપીને લખનઉમાંથી ઝડપી લીધા. હવે, પોલીસે તમામ આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે, ગુજરાત, રાજસ્થાન, દિલ્હી અને યુપી પોલીસના 50થી વધુ કર્મચારીઓએ બાળકીને બચાવી. આધુનિક જમાનામાં બાળકો સોશિયલ મીડિયા વાપરે છે. પરંતુ તે ક્યાંય મુશ્કેલીનો ફંદો ન બની જાય તે ધ્યાન રાખવું જરૂરી છે.

(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)

 નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">