AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવસારી નગરપાલિકાનો અણઘડ વહીવટ, ઇન્ટર લિન્કિંગ તળાવની યોજના હજુ અધ્ધરતાલ

નવસારી શહેરમાં અને જલાલપોર વિસ્તારમાં અનેક તળાવો એવા છે. જેમાં જળકુંભી ઉગી નીકળી છે. જેની સાફ-સફાઈ કરવા માટે પાલિકાએ 15 લાખ રૂપિયાની માતબર રકમ ફાળવી હતી. પરંતુ યોગ્ય કામગીરીના અભાવે તળાવની સાફ સફાઈ થઈ નથી.

નવસારી નગરપાલિકાનો અણઘડ વહીવટ, ઇન્ટર લિન્કિંગ તળાવની યોજના હજુ અધ્ધરતાલ
Navsari Municipality (File)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 10:33 PM
Share

નવસારી નગરપાલિકા (Navsari Municipality)દ્વારા આજથી અઢી વર્ષ પહેલાં નવસારીની જનતા માટે પાણીની તકલીફ ન પડે એ માટે ઇન્ટર લિન્કિંગ તળાવની યોજના (Interlinking lake plan)અમલમાં લાવવામાં આવી હતી. જેમાં નવસારી અને જલાલપોર વિસ્તારમાં આવેલા તમામ તળાવને એકબીજા સાથે જોડવાની વાત કરવામાં આવી હતી. જેને માટે અંદાજીત પાંચ કરોડ રૂપિયાની માતબર રકમ (Large amount)પણ ફાળવવામાં આવી હતી. પરંતુ નવસારી નગરપાલિકા દ્વારા આજ દિવસ સુધી ઇન્ટર લિંન્કિંગ તળાવ પ્રોજેક્ટ અમલમાં લાવી શકી નથી. જેને પગલે પાણી માટે શહેરીજનોએ વલખા મારવાનો સમય આવે તેવી પરીસ્થિતનું નિર્માણ થયું છે.

નવસારી શહેરમાં અને જલાલપોર વિસ્તારમાં અનેક તળાવો એવા છે. જેમાં જળકુંભી ઉગી નીકળી છે. જેની સાફ-સફાઈ કરવા માટે પાલિકાએ 15 લાખ રૂપિયાની માતબર રકમ ફાળવી હતી. પરંતુ યોગ્ય કામગીરીના અભાવે તળાવની સાફ સફાઈ થઈ નથી. બે વર્ષથી અટવાઈ પડેલા પ્રોજેક્ટને કારણે શહેરીજનોએ અપૂરતા પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કેનાલનું પાણી રોટેશન પદ્ધતિ પ્રમાણે મળે છે. પરંતુ જયારે રોટેશન બંધ થઈ જાય છે. ત્યારે શહેરમાં પાણીનો જથ્થો ઘટી જાય છે. જેના કારણે શહેરમાં પાણીના ઓછા દબાણથી બે ટાઇમ પાણી આપવામાં આવે છે. મેનેજમેન્ટના અભાવે અટવાયેલ તળાવના કામને લઇ શહેરીજનોએ પાણી માટે રડવાનો વારો આવે તેવી પરિસ્થતિનું નિર્માણ થાય છે.

તળાવ લિન્કિંગ પ્રોજેક્ટ ઠપ્પ થવાના કારણે શહેરમાં પાણીની સમસ્યા વકરી છે. ત્યારે ફરી એકવાર આ વખતે પાલિકાએ પોતાના બોર્ડ એજન્ડામાં આ તળાવનું બ્યુટીફિકેશનનું કામ હાથ પર લીધું છે. અને ફરી એકવાર તળાવ પાછળ લાખો રૂપિયા ખર્ચવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સ્ટોરેજ થયેલું પાણી બહાર કાઢી જળકુંડીઓ સાફ કરી નવું પાણી ભરી લોકોને ઉપયોગમાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

પાલિકા દ્વારા જળ કુંડી સાફ કરવા હાલના સમયમાં 5 લાખ રૂપિયા જેટલો ફરી ખર્ચ કરવામાં આવશે. સાથે સાથે ડ્રેનેજ મારફતે તળાવોમાં આવતું પાણી અટકાવવા માટેની કામગીરી પણ હાથ ધરાઈ છે. પાલિકા દ્વારા નવસારી જીલ્લાના 6 જેટલા તળાવોનું બ્યુટીફીકેશન હાથ ધરવામાં આવશે. જેમાંથી 3 જેટલા તળાવો માટે મંજુરી પણ મળી છે. બે અર્સથી ગોટાળે ચડેલા અને ભગવાન ભરોસે ચાલતા તળાવોને લીંક કરવાની કામગીરીનો અંત ક્યારે આવશે તેની લોકો રાહ જોઈને બેઠા છે.

આ પણ વાંચો : નવસારી જિલ્લા પોલીસ વડાને મળી જમીન સંપાદન, જમીન વિવાદની 700 જેટલી ફરિયાદ, SITની રચના કરાઇ

આ પણ વાંચો : અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓની સુખ સુવિધા માટે અનેક આકર્ષણો ઉમેરાયા

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">