AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narmda: શિક્ષણના ધામમાં પીધેલો શિક્ષક, TV9ના અહેવાલ બાદ જિલ્લા શિક્ષણ વિભાગની કાર્યવાહી, જુઓ Video

TV9 ગુજરાતીના અહેવાલ બાદ જિલ્લા શિક્ષણ વિભાગે ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી અને પીધેલા શિક્ષક વિરૂદ્ધ તપાસના આદેશ આપ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારીએ TV9 સાથેની વાતચીતમાં શિક્ષક વિરૂદ્ધ કાર્યવાહીની હૈયાધારણા આપી હતી.

Narmda: શિક્ષણના ધામમાં પીધેલો શિક્ષક, TV9ના અહેવાલ બાદ જિલ્લા શિક્ષણ વિભાગની કાર્યવાહી, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2023 | 6:15 PM
Share

ભવિષ્યની પેઢીનું સિંચન કરે અને માર્ગદર્શન આપે તે શિક્ષક. વિદ્યાર્થીઓની પ્રેરણા એટલે શિક્ષક. પરંતુ જો શિક્ષક જ ગેરમાર્ગે દોરાયેલો હોય તો તે કેવી રીતે વિદ્યાર્થીને માર્ગદર્શન આપી શકે? આવી શરમજનક ઘટના ગુજરાતના નર્મદા જિલ્લામાં બની છે અને આ ઘટના શિક્ષણ જગત માટે કંલકરૂપ છે.

વિદ્યાના ધામને કલંકિત કરતી અને દારૂબંધીની ફજેતી ઉડાડતી ઘટના સામે આવી છે નર્મદા જિલ્લામાં. નર્મદા જિલ્લામાં ગરુડેશ્વરના કોયારી પ્રાથમિક શાળામાં એવા દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં રાજુ સોલંકી નામનો શિક્ષક દારૂ ઢીચીને સ્કૂલના રૂમમાં પડેલો હતો. વર્ગખંડમાં જે બેંચ ઉપર બેસીને વિદ્યાર્થીઓ ભણતા હોય તે બેંચ ઉપર પીધેલો શિક્ષક નશાની હાલતમાં સુતો છે.

આ દ્રશ્યો જોઈને હવે તમે જ વિચારો જે શિક્ષક દેશના ભવિષ્યનું ઘડતર કરતો હોય, તે જ શિક્ષક જો આવી રીતે નશાની હાલતમાં વિદ્યાર્થીઓ વચ્ચે હોય તો, આ વિદ્યાર્થીઓને કેવા સંસ્કાર મળશે. આવા પીધેલા શિક્ષક પાસેથી શું અપેક્ષા રાખી શકાય. સૂત્રોનું માનીએ તો શિક્ષણ નિયમિત દારૂ પીને સ્કૂલે આવે છે અને પીધેલા શિક્ષકની કરતૂતથી અન્ય સ્ટાફ પણ પરેશાન છે.

TV9ના અહેવાલ બાદ જિલ્લા શિક્ષણ વિભાગે ઘટનાની નોંધ લીધી

Tv9 ગુજરાતીના અહેવાલ બાદ જિલ્લા શિક્ષણ વિભાગે ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી અને પીધેલા શિક્ષક વિરૂદ્ધ તપાસના આદેશ આપ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારીએ TV9 સાથેની વાતચીતમાં શિક્ષક વિરૂદ્ધ કાર્યવાહીની હૈયાધારણા આપી હતી.

બનાસકાંઠાના દાંતામાં પણ આવી ઘટના સામે આવી હતી

હરિવાવ પ્રાથમિક શાળામાં ભણતા બાળકોના વાલીઓનો આક્ષેપ છે કે શિક્ષકો નશો કરીને શાળાએ આવે છે. ત્યારે નશાખોર શિક્ષકો અને અનિયમિત હાજરીને કારણે વિદ્યાર્થીઓનુ ભાવિ બગડી રહ્યુ છે. હાલ તો વાલીઓએ રોષ વ્યક્ત કરીને ગામની શાળામાં તાળાબંધી કરી છે. વાલીઓનો આક્ષેપ છે કે આવા નશાખોર શિક્ષકો સામે શિક્ષણ વિભાગ કેમ કોઈ પગલાં લેવાતા નથી.

જોકે અહીં પણ સવાલ એ સર્જાય કે શિક્ષક પીધેલો જ છે તો પછી તેના વિરૂદ્ધ કાર્યવાહી અત્યાર સુધી કેમ નહી ? ક્યાં સુધી તપાસના નામે અધિકારીઓ સમય પસાર કરતા રહેશે. શિક્ષકના આવા કરતૂતની વિદ્યાર્થીઓ પર શું અસર પડશે? કેમ શું આવી રીતે શિક્ષકો ભારતના ભવિષ્યનું ઘડતર કરશે? આ દ્રશ્યો જોઇને ખરેખર પ્રશ્નો ઉભા થાય કે શું આવી રીતે ભણશે ગુજરાત અને જીતશે ગુજરાત! જોવાનું એ રહે છે કે પીધેલા શિક્ષક વિરૂદ્ધ તપાસના આદેશ બાદ નક્કર કાર્યવાહી ક્યારે થાય છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">