Narmada : નાંદોદના ઉમરવા થી ઉમરવા નવી વસાહત સુધી રોડનું કામ શરૂ,માર્ગ અને મકાન મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત

ગુજરાત રાજ્યની ૭ કરોડની જનતાને રોડ કનેક્ટીવિટીનો લાભ મળે તે માટે ગામડાઓને જોડતા રોડનું અભિયાન હાથ ધરવાની સાથે અનેક નવા કોઝવે અને નવા રસ્તાઓનું નિર્માણ કરીને સુલભ સુવિધાઓ ઉપલબ્ધ કરવાની સાથે રોડ સેફ્ટીનું પણ ધ્યાન રાખવામાં આવતું હોવાનું મંત્રી મોદીએ ઉમેર્યું હતું

Narmada : નાંદોદના ઉમરવા થી ઉમરવા નવી વસાહત સુધી રોડનું કામ શરૂ,માર્ગ અને મકાન મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત
Narmada Nandod Road Work Start
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 6:57 PM

ગુજરાતના(Gujarat)  માર્ગ અને મકાન વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીઅને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીએ(Purnesh Modi)  આજે નર્મદા જિલ્લાના નાંદોદ(Nandod)  તાલુકાના ઉમરવાથી ઉમરવા નવી વસાહત અંદાજે રૂા.1.99 કરોડના ખર્ચે તૈયાર થનાર 2.50 કિ.મી. રોડના ખાતમુહૂર્તના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો. મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અંતરિયાળ અને છેવાડાના લોકોને અનેકવિધ જન કલ્યાણલક્ષી યોજનાઓના લાભો પહોંચાડીને લાભાન્વિત કરાયાં છે. ત્યારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઉમરવાથી ઉમરવા નવી વસાહત રોડનું ખાતમુહૂર્ત કરાયું છે ત્યારે લોકો એક સ્થળેથી બીજા સ્થળે સમયસર આવન જાવન સરળતાથી કરી શકશે તેમજ આ કામ પણ સમયસર પૂર્ણ કરવામાં આવશે તેવો મંત્રીશ્રી મોદીએ દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત રાજ્યની ૭ કરોડની જનતાને રોડ કનેક્ટીવિટીનો લાભ મળે તે માટે ગામડાઓને જોડતા રોડનું અભિયાન હાથ ધરવાની સાથે અનેક નવા કોઝવે અને નવા રસ્તાઓનું નિર્માણ કરીને સુલભ સુવિધાઓ ઉપલબ્ધ કરવાની સાથે રોડ સેફ્ટીનું પણ ધ્યાન રાખવામાં આવતું હોવાનું મંત્રી મોદીએ ઉમેર્યું હતું.

એક ગામથી બીજા ગામ જવાની સરળતા રહેશે

ભરૂચ દુધધારા અને ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલે પ્રસંગોચિત પ્રવચન કરતાં કહ્યું હતું કે, જિલ્લામાં નવા રસ્તાઓના કામ હાલ ચાલી રહ્યાં હોવાની સાથે એક ગામથી બીજા ગામ જવાની સરળતા રહેશે. રસ્તા સારા બનવાથી ધરતીપુત્રો કે અન્ય લોકો પોતાનો વેપાર-ધંધો સમયસર કરી શકશે અને લોકોને રોજગારી પણ વધુ મળી રહેશે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

ગ્રામજનોને પાકા રસ્તાનો લાભ મળશે

અત્રે એ ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ઉમરવાથી ઉમરવા નવી વસાહત તાંત્રીક મંજૂરી સાથે અંદાજે રૂા.1. 99 કરોડના ખર્ચે 2.50 કિ.મી. નો રોડ તૈયાર કરાશે. આ રસ્તો બનવાથી ઉમરવા નવી વસાહતમાં વસતા 548 જેટલા ગ્રામજનોને પાકા બારમાસી રસ્તાનો લાભ મળશે. તેમજ ઉમરવા ગામમાં વસતા 1721 જેટલા ગ્રામજનોને પાકા રસ્તાનો લાભ મળશે. જેમાં જી.એસ.બી. 150. 00 એમ.એમ, ડબલ્યુ.બી.એમ એક લેયર 150 એમ.એમ, બીજુ લેયર 100 એમ.એમ, એક રો અને બે રોનું એક એચ.પી.ડ્રેઇન, ત્રણ રોનું વેન્ટેડ ડીપ તેમજ 6 ગાળા, 7 x 4 મીટર બોક્સ કલ્વર્ટ બી.એસ.જી. 37.50 એમ.એમ, કારપેટ ૨૫ એમ.એમ અને સીલકોટ 18.00 એમ.એમની સાથે રોડ ફર્નિસીંગ તૈયાર કરાશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઈ વસાવા, ભરૂચ દુધધારા અને ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પ્રાંત અધિકારી પ્રિતેશભાઇ પટેલ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એ.એસ.પટેલ અને જિલ્લાના અગ્રણી વિક્રમભાઈ તડવી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">