Gujarati Video : વધુ એક યુવકનું મેચની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ એટેકથી મોત, ગ્રામ સેવક તરીકે હળવદમાં સેવા આપતો હતો યુવક

Morbi News : હૃદય રોગનો હુમલો અનેક યુવાઓનો જીવ લઇ રહ્યો છે. મોરબીમાં પણ આવો જ એક બનાવ બન્યો છે. જેમાં ક્રિકેટ મેચની પ્રેક્ટિસ કરી રહેલા યુવા સરકારી કર્મચારીને હાર્ટ એટેક આવ્યો હતો.

Gujarati Video : વધુ એક યુવકનું મેચની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ એટેકથી મોત, ગ્રામ સેવક તરીકે હળવદમાં સેવા આપતો હતો યુવક
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2023 | 3:00 PM

ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેકથી થતા મૃત્યુનું પ્રમાણ વધતુ જઇ રહ્યુ છે. ખાસ કરીને ક્રિકેટ કે અન્ય કોઇ રમત રમતા યુવાઓના મોત થતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે મોરબીના હળવદમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. ક્રિકેટ મેચની પ્રેક્ટિસ કરી રહેલા યુવા સરકારી કર્મચારીને હાર્ટ એટેક આવ્યો હતો. જે પછી તેનું મોત થયુ છે.

યુવા સરકારી કર્મચારીને આવ્યો હાર્ટ એટેક

યુવાન, સ્વસ્થ જીવનશૈલી, હંમેશા એક્ટિવ રહેવાની ટેવ, સાદી ભાષામાં કહીએ તો નખમાં પણ રોગ ન હોય, તેવા લોકોનો એક દુશ્મન હમણાં થોડા સમયથી સામે આવ્યો છે. હૃદય રોગનો હુમલો અનેક યુવાઓનો જીવ લઇ રહ્યો છે. મોરબીમાં પણ આવો જ એક બનાવ બન્યો છે. જેમાં ક્રિકેટ મેચની પ્રેક્ટિસ કરી રહેલા યુવા સરકારી કર્મચારીને હાર્ટ એટેક આવ્યો હતો. જે પછી આ યુવાનનું મોત થયુ છે.

હળવદના આ મૃતકનું નામ અશોક કણઝારીયા હતું. તે મોરબી જિલ્લા પંચાયતમાં ગ્રામ સેવક તરીકે હળવદમાં ફરજ બજાવતો હતો. આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં યુવકે ભાગ લીધો હતો. મહત્વપૂર્ણ છે કે, હાર્ટ એટેકના જોખમને જોતા જિલ્લા તંત્રએ કર્મચારીઓના હિતમાં ક્રિકેટ ટુર્નામેન્ટ રદ કરી છે અને જિલ્લા વિકાસ અધિકારીએ તમામ કર્મચારીઓને જરૂરી ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

હાર્ટ એટેકથી મોતની ઘટનાઓની અનેક ઘટના

છેલ્લા 2 મહિનામાં આવીથી હાર્ટ એટેકથી અચાનક થતા મોતની સ્થિતિએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યુ છે. તદ્દન સામાન્ય જીવન જીવતા લોકો, તેમને કોઈ વ્યસન નથી. કોઈ બીમારી નથી. છતાં તેમને હાર્ટ એટેક આવી રહ્યા છે. છેલ્લા થોડા સમયમાં જ આવા એટલા કિસ્સા સામે આવ્યા છે કે, ચિંતા વધી રહી છે. જેમાં હસતાં-રમતાં-ડાન્સ કરતાં, પારિવારિક પ્રસંગમાં બેઠાં-બેઠાં જુવાનજોધ લોકોએ અચાનક જીવ ગુમાવી દીધો. ઘણા સમયથી સોશિયલ મીડિયા પર આવી ઘણી ઘટનાઓની તસવીરો અને વીડિયો વાઇરલ થઈ રહી છે, જે જોઈને યુવાનો પણ ચિંતિત બની ગયા છે.

જાણો શું છે હાર્ટ એટેક આવવાનું કારણ ?

નિષ્ણાતોનું માનીએ તો, જે લોકોને હાર્ટ એટેક આવે છે, તેમને લોહી ગંઠાવાનું શરૂ થાય છે. જ્યારે પણ કસરત અથવા રમત રમતી વખતે અતિશય ઉત્તેજનામાં વધારો થાય છે, ત્યારે લોહીના નાના નાના ક્લોટ લોહીમાં આગળ વધે છે. જો આ મગજ, ફેફસાં કે હૃદયનો રક્ત પુરવઠો બંધ કરી દે તો હૃદયરોગનો હુમલો આવે છે.

છેલ્લા થોડા સમયથી હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોક જેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જ્યારે ધમનીમાં ગંઠાઈ જાય છે, ત્યારે તેને ધમની થ્રોમ્બોસિસ કહેવામાં આવે છે. આ ખૂબ જ ખતરનાક છે.

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">