Mehsana: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને પગલે સઘન સુરક્ષા વ્યવસ્થા, 17 ડીવાયએસપી સહિત 2 હજારથી વધુ પોલીસ જવાનો હાજર

વડાપ્રધાનના રોડ શો  અને સભા સ્થળના રૂટ પર આ પોલીસ કાફલો સજજ રહેશે . વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 9 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમિયાન મહેસાણા (Mehsana) ની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ મહેસાણામાં વિવિધ પ્રકલ્પોનું ઉદ્દઘાટન તેમજ ખાતમુહુર્ત કરશે

Mehsana: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને પગલે સઘન સુરક્ષા વ્યવસ્થા, 17 ડીવાયએસપી સહિત 2 હજારથી વધુ પોલીસ જવાનો હાજર
PM Narendra Modi (File)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2022 | 8:45 AM

મહેસાણા (Mehsana) જિલ્લામાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  (Prime Minister Narendra Modi ) કાર્યક્રમને પગલે  ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહેસાણા કાર્યક્રમને પગલે  9 એસપી, 17 ડીવાયએસપી, 40 પીઆઈ, 140 પીએસઆઈ અને 2000થી વધુ પોલીસ કર્મચારી બંદોબસ્તમાં રહેશે.  વડાપ્રધાનના રોડ શો  અને સભા સ્થળના રૂટ પર આ પોલીસ કાફલો સજજ રહેશે . વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 9 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમિયાન મહેસાણા (Mehsana) ની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ મહેસાણામાં વિવિધ પ્રકલ્પોનું ઉદ્દઘાટન તેમજ ખાતમુહુર્ત કરશે

જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રવિવારે કાર્યક્રમ

વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ અંતર્ગત  મહેસાણા જિલ્લામાં પણ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઇ રહ્યું છે. આ વિકાસકાર્યોમાં રૂ.511 કરોડના ખર્ચે સાબરમતી-જગુદણ ગેજ કન્વર્ઝન (53.43 કિમી)નું લોકાર્પણ કરવામાં આવશે, જે અમદાવાદ-મહેસાણા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ (68.78 કિમી)નો એક ભાગ છે. મહેસાણાના મોઢેરા નજીક આવેલા દેલવાડામાં વડાપ્રધાન જંગી જનસભા સંબોધશે અને જિલ્લામાં વિવિધ વિકાસ કામોની ભેટ આપશે. સાથે જ તેઓ મોઢેશ્વરી માતાના દર્શને પણ જશે. આપને જણાવી દઈએ કે સોમનાથ અને અંબાજી બાદ હવે મોઢેરાના સૂર્યમંદિર (Sun Temple)માં પણ લાઈટ્સ એન્ડ સાઉન્ડ શો શરૂ થવા જઈ રહ્યો છે.

વડાપ્રધાન મોદી 9 ઓક્ટોબરે આ લાઈટ્સ એન્ડ સાઉન્ડ શોનો પ્રારંભ કરાવશે. જેમા સૂર્ય મંદિરનું મહત્વ, વિશ્વ અને ભારતમાં સ્થપાયેલા સૂર્ય મંદિરોની માહિતી તેમજ આદિત્ય અને પ્રકૃતિના સંબંધની પ્રતિકૃતિ જોવા મળશે. શો દરમિયાન પીએમ મોદીની સોલાર એનર્જીનું મહત્વ સમજાવતી સ્પીચ પણ રજૂ કરાશે. લાઇટ એન્ડ સાઉન્ડ શો રાત્રે 7 થી 8 કલાકના સમયગાળા દરમ્યાન રજૂ થશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સૂર્યમંદિરનું સોલરાઇઝેશન

સૂર્યમંદિર ખાતે હેરિટેજ લાઇટિંગ્સ અને 3-D પ્રોજેક્શન સૌર ઊર્જા પર કામ કરશે. આ 3-D પ્રોજેક્શન મુલાકાતીઓને મોઢેરાના ઇતિહાસથી માહિતગાર કરશે. આ પ્રોજેક્શન સાંજે 15-18 મિનિટ સુધી ચાલશે. મંદિરના પરિસરમાં હેરિટેજ લાઇટિંગ લગાવવામાં આવી છે. આ લાઇટિંગ જોવા માટે લોકો હવે સાંજે 6.00 થી 10.00 વાગ્યા સુધી મંદિરની મુલાકાત લઈ શકશે. 3-D પ્રોજેક્શન દરરોજ સાંજે 7:00 થી 7:30 વાગ્યા સુધી ઓપરેટ કરવામાં આવશે.

વિથ ઇનપુટ ક્રેડિટઃ મનીષ મિસ્ત્રી, મહેસાણા, ટીવી9

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">