AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana: નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે અંતર્ગત પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ, જિલ્લામાં 2.42 લાખ બાળકોને રસી અપાશે

આરોગ્ય ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્યના 0થી 5 વર્ષની વયના બાળકોને પોલિયો મુક્ત કરવા માટે સરકાર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપ વર્ષ 2007 પછી રાજ્યમાં પોલિયોનો એક પણ કેસ નોંધાયેલો નથી.

Mehsana: નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે અંતર્ગત પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ, જિલ્લામાં 2.42 લાખ બાળકોને રસી અપાશે
Mehsana: Launch of Pulse Polio Campaign under National Immunization Day
Manish Mistri
| Edited By: | Updated on: Feb 27, 2022 | 11:06 AM
Share

મહેસાણા (Mehsana) જિલ્લાના વિસનગરના ભૂલકાઓને બે બુંદ જિંદગીના પીવડાવીને પોલિયો સામે સુરક્ષા કવચ પ્રદાન કરતા આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે (Health minister Rushikesh Patel) પોલિયો વિરોધી રસી આપવાનું અભિયાન શરુ કરાવ્યુ છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે રાષ્ટ્રીય ઈમ્યુનાઈઝેશન દિવસે પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે 0થી 5 વર્ષની વયના બાળકોને પોલીયોની રસીના બે ટીપા પીવડાવીને અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પોલીયો રસીકરણ અભિયાનમાં 0થી 5 વર્ષની વયના રાજ્યના તમામ બાળકોને રસીકરણનો લાભ અપાવવા વાલીઓને અનુરોધ કર્યો છે. સશક્ત અને સક્ષમ ભારતનું નિર્માણ કરવા બાળકોને પોલીયો વિરોધી રસી આપવી અતિ મહત્વની હોવાથી વિસનગર તાલુકાથી રાજ્યના તમામ બાળકોને પોલિયો રસીકરણનો મહત્તમ લાભ અપાવવા દરેક વાલીને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે અનુરોધ કર્યો છે. આ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના 2.42 લાખ અને વિસનગરના 37 હજાર જેટલા બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવશે.

આરોગ્ય ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યના 0થી 5 વર્ષની વયના બાળકોને પોલિયો મુક્ત કરવા માટે સરકાર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપ વર્ષ 2007 પછી રાજ્યમાં પોલિયોનો એક પણ કેસ નોંધાયેલો નથી. પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત રાજ્યના બાળકોની આરોગ્ય સુખાકારીને ધ્યાનમાં રાખીને સમયાંતરે પલ્સ પોલિયો અભિયાન હાથ ધરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે 27મી ફેબ્રુઆરી પલ્સ પોલિયો રવિવારે ગુજરાતમાં 75 લાખથી વધુ, મહેસાણા જિલ્લામાં 2.42 લાખ જેટલા અને વિસનગર તાલુકામાં 37 હજારથી વધુ 0થી 5 વર્ષની ઉંમરના બાળકોને પોલિયોની રસીના બે ટીપા પીવડાવીનેનું સુરક્ષાકવચ જ આપવામાં આવશે તેમ આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું.

બાળકો માટે રસીકરણની યોજનામાં પોલિયોની રસી મુખ્ય છે. આ રસી બાળકને મોં વાટે પીવડાવવામાં આવે છે. પોલિયો નાના બાળકોને થતો ભયંકર રોગ છે. તેમાં બાળકના પગ ખોટા પડી જઈ બાળક કાયમ માટે અપંગ થઈ જાય છે. જો કે પોલીયો વિરોધી રસીથી બાળકોને આ રોગથી બચાવી શકાય છે.

આ પણ વાંચો- ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનથી ગુજરાતના 44 વિદ્યાર્થી હેમખેમ ફર્યા પરત, વોલ્વોમાં તમામને અમદાવાદ લવાયા

આ પણ વાંચો- યુક્રેનમાં ફસાયેલા 32 વિદ્યાર્થી રેસ્ક્યૂ ફ્લાઈટથી સહી સલામત દિલ્હી એરપોર્ટ પહોંચ્યા, તમામ ગુજરાત આવવા થયા રવાના

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">