Mehsana : માતા અને બાળ મરણમાં ઘટાડો લાવવા જિલ્લા વહિવટી તંત્ર મેદાને, જાણો

વડનગરની આજુબાજુના અંતરિયાળ વિસ્તારમાં રક્તની અછત નિવારણના ઉદ્દેશ સાથે રક્તદાન કેમ્પની અનોખી પહેલ શરૂ કરાઇ છે. દર મહિનાના ત્રીજા શુક્રવારે રક્તદાન કેમ્પનું આયોજન વડનગર ખાતે કરવામાં આવે છે.

Mehsana : માતા અને બાળ મરણમાં ઘટાડો લાવવા જિલ્લા વહિવટી તંત્ર મેદાને, જાણો
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Apr 22, 2023 | 9:49 AM

હાલ વડનગરની આજુબાજુના અંતરીયાળ વિસ્તારમાં રક્તની અછત દુર કરવા માટે તંત્ર દ્વારા સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. રક્તદાન કરવા સાથે અનેક નાગરિકોના જીવન બચાવના સંકલ્પ સાથે આ કાર્યક્ર્મ હાથ ધરવામાં આવ્યો છે. દર મહિનાના ત્રીજા શુક્રવારે વડનગર ખાતે રક્તદાન કેમ્પ થકી રક્ત એક્ત્રીત કરવાની જિલ્લા કલેકટર દ્વારા અનોખી પહેલ કરાઇ છે. આ સાથે વધુમાં ટોરેન્ટ ફાર્મા, ઇન્દ્રાડ દ્વારા સી.આર.સીમાં ફાળવેલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું.

અંતરિયાળ વિસ્તારમાં રક્તની અછત

મહેસાણા જિલ્લા કલેકટર એમ નાગરાજનના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં માતા અને બાળ મરણમાં ઘટાડો થાય તે માટે વડનગરની આજુબાજુના અંતરિયાળ વિસ્તારમાં રક્તની અછત નિવારણના ઉદ્દેશ સાથે રક્તદાન કેમ્પની અનોખી પહેલ શરૂ કરાઇ છે. જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ વડનગરના સહયોગથી દર મહિનાના ત્રીજા શુક્રવારે રક્તદાન કેમ્પનું આયોજન વડનગર ખાતે કરવામાં આવે છે.

સી.આર.સી ફંડમાં ફાળવેલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ

આ કાર્યક્ર્મ અંતર્ગત 21 એપ્રિલના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેની સાથે ટોરેન્ટ ફાર્મા ઇન્દ્વાડ દ્વારા સી.આર.સી ફંડમાં ફાળવેલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટરની પ્રેરણાથી વડનગર ખાતે 17 ફેબ્રુઆરી અને 17 માર્ચના રોજ રક્તદાન કેમ્પ યોજાઇ ગયો છે. જેમાં 17 ફેબ્રુઆરીના રોજ જિલ્લા કલેકટર એમ નાગરાજ રક્તદાન કરી રક્તદાતાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

બાળ મરણનું પ્રમાણ ઘટે તેવા આશયથી રક્તદાન કેમ્પનું આયોજન

મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગર જનરલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન એટલે જીવતદાનના મંત્ર સાથે અંતરિયાળ વિસ્તારમાં રક્તની અછત નહી સર્જાય તેમજ માતા અને બાળ મરણનું પ્રમાણ ઘટે તેવા શુભ આશયથી વડનગરમાં હોસ્પિટલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

આ પણ વાંચો : કેનેડામાં ગુમ થયેલા મૂળ મહેસાણાના યુવકનો તળાવમાંથી મૃતદેહ મળ્યો, 4 દિવસ પૂર્વે રહસ્યમય સંજોગોમાં થયો હતો ગુમ, જુઓ Video

જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીએ જણાવ્યું હતું કે, રક્તદાન કરવાથી અનેક નાગરિકોના જીવન બચાવવની સાથે માનવતાના કાર્યમાં ફાળો આપ્યાનો આનંદ મળે છે. તેમણે ઉમેર્યું હતુ કે વડનગર સહિત આજુબાજુના અંતરીયાળ વિસ્તારમાં રક્તની અછત દુર કરવા તંત્રએ અનોખી પહેલ કરી છે. ખાસ કરીને માતા-મરણ અને બાળ મરણનુ મુખ્ય કારણ રક્તની અછત હોય છે. આવા સમયમાં અંતરીયાળ વિસ્તારમાં સહેલાઇથી રક્ત મળી જાય તો માતા અને બાળ મરણમાં ઘટાડો થશે તે માટે વહીવટીતંત્ર દ્વારા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી દર મહિનાના ત્રીજા શુક્રવારે વડનગર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">