અમદાવાદ : 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાના 88 દર્દી દાખલ, અસારવા-સોલા સિવિલનાં 115 કર્મચારી કોરોના સંક્રમિત, 6 બાળકો સારવાર હેઠળ

અસારવા સિવિલમાં 70 કર્મચારી ઉપર જ્યારે સોલા સિવિલમાં 40 ઉપર કર્મચારી સંક્રમિત થયા છે. જે અસારવા સિવિલમાં 70 માંથી એકને દાખલ કરવામાં આવ્યા. જે 70માં વર્ગ 1 થી વર્ગ 4 ના દર્દીનો સમાવેશ થાય છે. તો 75 થી વધુ સંભવિત કર્મચારીઓ હોમ આઇસોલેટ છે.

અમદાવાદ : 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાના 88 દર્દી દાખલ, અસારવા-સોલા સિવિલનાં 115 કર્મચારી કોરોના સંક્રમિત, 6 બાળકો સારવાર હેઠળ
અમદાવાદ-સિવિલ હોસ્પિટલ (ફાઇલ)
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jan 21, 2022 | 4:45 PM

Ahmedabad- ગુજરાત રાજ્યમાં જાણે ફરી એકવાર (Corona)  બીજી લહેરની જેમ આંકડા સામે આવી રહ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જોકે (Civil )હોસ્પિટલમાં રેશિયો ઓછો હોવાને લઈને તંત્ર રાહત અનુભવી છે. પણ વધતા જતા આંકડાએ ચિંતામાં વધારો ચોક્કસથી કર્યો છે. કેમ કે એવી શક્યતા માનવામાં આવી રહી છે કે જો હજારોમાં કેસ વધે તો તેનો એક ટકો એટલે કે દર્દીની સંખ્યા વધી શકે છે અને વ્યવસ્થા ઓછી પડી શકે. જેને કંટ્રોલમાં લેવા AMC અને રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી છે.

જોકે તેનાથી પણ મોટી બાબત એ સામે આવી છે કે અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. પણ તેનાથી ચોંકાવનારી બાબત એ પણ છે કે દાખલ દર્દીમાં 50 ટકા દર્દીએ રસીનો એક પણ ડોઝ નથી લીધો. જેના કારણે રસી નહિ લેનારા દર્દીની હાલત ગંભીર બની રહી છે.

જો અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીના આંકડાઓ અને તેમની પરિસ્થિતિ પર નજર કરીએ તો,અસારવા સિવિલમાં હાલ 88 દર્દી દાખલ છે. જેમાં 70 દર્દી પોઝિટિવ છે જ્યારે 8 દર્દીના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. તો 88 દર્દી માંથી 9 વેન્ટિલેટર પર છે. 4 બાયપેપ પર છે અને 33 દર્દી સ્ટેબલ છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

88 દર્દીમાંથી 50 ટકા દર્દીએ નથી લીધા વેકસીનના એક પણ ડોઝ

અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં એ પણ આંકડો સામે આવ્યો છે કે 88 દર્દીમાંથી 29 દર્દી જેમણે બંને ડોઝ લીધા છે. 18 દર્દીએ એક ડોઝ નથી લીધો. જ્યારે 41 દર્દીએ એકપણ ડોઝ લીધો નહી હોવાનું સામે આવ્યું છે. જે 41 દર્દીમાં કેટલાકની હાલત પણ અન્ય દર્દી કરતા ગંભીર છે. આમ દાખલ દર્દીમાં 50 ટકા દર્દીએ એકપણ ડોઝ નહી લીધા હોવાનું ખુલ્યું છે.

મહત્વનું છે કે જૂન મહિનામાં બીજી લહેર વખતે કહેવાતું હતું કે ત્રીજી લહેર બાળકો માટે જોખમી રહેશે. જેને લઈને ત્રીજી લહેરમાં બાળકો માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. તો અસારવા સિવિલમાં પણ ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ. જેમાં 300 બેડની સુવિધા ઉભી કરી શકાય તેવી વ્યવસ્થા કરાઈ છે.

જોકે હાલમાં સિવિલ હોસ્પિટલમાં 6 બાળકો દાખલ છે. જેમાં 1 બાળક ઓક્સિજન પર છે. અને તે 6 બાળકોમાંથી 4 બાળકના વાલીઓ એવા છે કે જેઓએ એકપણ ડોઝ રસીના લીધા નથી. જેથી અસારવા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટએ રસી લેવા માટે લોકોને અપીલ કરી છે.

અસારવા અને સોલા સિવિલના મળી 115 કેટલા કર્મચારી કોરોના સંક્રમિત

એટલું જ નહિ પણ અસારવા સિવિલમાં 70 કર્મચારી ઉપર જ્યારે સોલા સિવિલમાં 40 ઉપર કર્મચારી સંક્રમિત થયા છે. જે અસારવા સિવિલમાં 70 માંથી એકને દાખલ કરવામાં આવ્યા. જે 70માં વર્ગ 1 થી વર્ગ 4 ના દર્દીનો સમાવેશ થાય છે. તો 75 થી વધુ સંભવિત કર્મચારીઓ હોમ આઇસોલેટ છે.

તો સાથે જ તાજેતરમાં 12 વર્ષથી ઉપરના બાળકો માટે માસ્ક ફરજિયાત કરવાના નિર્ણયને સિવિલ સુપરિટેનડેન્ટએ આવકાર્યો. જોકે સાથે જ બાળકો પહેલા વાલીઓ માસ્ક પહેરે તેવી અપીલ કરી. કેમ કે અધિકારીનું માનવું છે કે બાળકો જેવું જોવે તેવું અનુસરે છે તેમ કહી વાલી માસ્ક પહેરશે તો બાળક માસ્ક પહેરશે તેમ અધિકારી લોકોને માસ્ક પહેરવા અપીલ કરી. સાથે જ રસી લેવા પણ ખાસ ભાર મુક્યો. જેથી દરેક લોકોને કોરોના થી સુરક્ષિત કરી શહેરને સુરક્ષિત કરી શકાય.

આ પણ વાંચો : જામનગર જીલ્લામાં 80 જેટલા સ્થળોથી હજારો લોકોએ ખોડલધામ પાટોત્સવ લાઈવ નિહાળ્યો

આ પણ વાંચો : મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">