દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા પહેલા અસાધારણ ઘટના, પૂર્વ વાઈસ ચેરમેનના પૂત્રએ કરેલા ફાયરિંગથી અફરાતફરીનો માહોલ

દૂધસાગર ડેરીની વાર્ષિક આજે મળનારી સાધારણ સભા પહેલા થયેલાં ઘર્ષણના પગલે મોઘજી દેસાઈના પુત્રએ ફાયરિંગ કર્યું હતું. સાધારણ સભા પહેલાં મોઘજી દેસાઈ ઉપર હુમલો થતાં સ્વ બચાવમાં હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.

દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા પહેલા અસાધારણ ઘટના, પૂર્વ વાઈસ ચેરમેનના પૂત્રએ કરેલા ફાયરિંગથી અફરાતફરીનો માહોલ
Dudhsagar Dairy meeting
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 12:07 PM

મહેસાણા (Mehsana) માં દૂધસાગર ડેરી (Dudhsagar Dairy) ની વાર્ષિક આજે મળનારી સાધારણ સભા (General meeting) પહેલા હોબાળો થયો હતો. સભા પૂર્વે ડેરી સંકુલ બહાર વિપુલ ચૌધરી (Vipul Chaudhari) ના સમર્થકો અને અશોક ચૌધરી (Ashok Chaudhari) ના સમર્થકો વચ્ચે બબાલ થઈ હતી. સાધારણ સભામાં પ્રવેશ મામલે ઘર્ષણ થતાં ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોંઘજીભાઈ દેસાઈને ઇજા પહોંચી હતી જેથી તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. બીજી બાજુ આ ઘર્ષણના પગલે મોઘજી દેસાઈના પુત્રએ ફાયરિંગ કર્યું હતું. સાધારણ સભા પહેલાં મોઘજી દેસાઈ ઉપર હુમલો થતાં સ્વ બચાવમાં હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.

જોકે પાછળથી જાણવા મળ્યું છે કે ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજીભાઈ દેસાઈના પુત્ર દ્વારા હવામાં ફાયરિંગ કરાયું હોવાના કિસ્સામાં એકને ઇજા થઈ છે. ફાયરિંગમાં ડેરીના સિક્યુરીટી ઈન્ચાર્જને ગોળી વાગી હોવાનો દાવો કરાયો છે. ડેરીના સિક્યુરિટી ઇન્ચાર્જ જયંતિભાઈ ચૌધરીને ગોળી વાગતા સારવાર માટે ખસેડાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. જયંતીભાઈ ચૌધરીને મહેસાણા સિવિલમાં ખસેડાયા છે. મોઘજી દેસાઈના પુત્રએ કરેલ ફાયરિંગમા ગોળી વાગી હોવાનો ઇજાગ્રસ્તનો દાવો કરાયો છે.

બીજી બાજુ હોબાળા વચ્ચે પણ મહેસાણા દૂધ સાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા શરૂ થઈ ગઇ છે. ઉલ્લેખનીય છે કે મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી દેસાઈ દ્વારા ડેરીના પા નવા વાપડર પ્લાન્ટ મુદ્દે વિરોધ કરાઈ રહ્યો છે. તેમણે ડેરીના હાલના સત્તાધીશો પર આક્ષેપ કર્યા છે કે, હાલમાં ડેરી ખાતે પ્રતિદિન 160 મેટ્રિક ટન ના 4 પાવડર પ્લાન્ટ ઉપલબ્ધ છે. હાલના પ્લાન્ટ ની ઉત્પાદન ક્ષમતા કરતા અડધું વેચાણ થાય છે. છતાં નવો 280 કરોડનો પાવડર પ્લાન શા માટે બનાવવા નિર્ણય લેવાયો? આજની ડેરીની સાધારણ સભા સભામાં પાવડર પ્લાન્ટ બનાવવાનો ઠરાવ રદ્દ કરવા માંગ પણ મોઘજી દેસાઈ કરી છે. ત્યારે આજની સભામાં પણ આ મુદ્દે વાદ-વિવાદ થાય તેવી સંભાવના છે. જોકે આ મુદ્દે ડેરીના હાલના સતાધીશો એ સભા પહેલાં કાઈ કહેવાનો ઈન્કાર કરી સભામાં જ દરેક પ્રશ્નોના જવાબ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">