AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમેરિકામાં ગેરકાયદે રીતે ઘુસણખોરી કરવા જતા મહેસાણાના પરિવારના 4 સભ્યોના મોત

Mehsana: અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરવામાં વધુ કેટલાક ગુજરાતીઓએ જીવ ગુમાવ્યો છે. જેમા કેનેડાથી અમેરિકા ઘુસણખોરી કરવા જતા મહેસાણાના પરવારનુ મોત થયુ છે. વિજાપુર તાલુકાના ચૌધરી પરિવારના USA અમેરિકામાં ઘુસણખોરી કરવા જતા મોત થયુ છે.

Breaking News: અમેરિકામાં ગેરકાયદે રીતે ઘુસણખોરી કરવા જતા મહેસાણાના પરિવારના 4 સભ્યોના મોત
Manish Mistri
| Edited By: | Updated on: Apr 02, 2023 | 1:55 PM
Share

અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરવામાં વધુ કેટલાક ગુજરાતીઓએ જીવ ગુમાવ્યો છે. જેમા કેનેડાથી અમેરિકા ઘુસણખોરી કરવા જતા મહેસાણાના પરિવારનુ મોત થયુ છે. વિજાપુર તાલુકાના ચૌધરી પરિવારના USA અમેરિકામાં ઘુસણખોરી કરવા જતા મોત થયુ છે. કેનેડાથી અમેરિકા પહોંચવામાં કુલ 8 વ્યક્તિના મોત થયા છે જે પૈકી 4 લોકોનો એક પરિવાર મહેસાણાના વીજાપુર તાલુકાના ડાભલા ગામનો હતો. આ પરિવારના 4 લોકોના મોત થયા છે. જેમા પિતા-પુત્ર અને પુત્રીનું મોત થયુ છે.

કેનેડાથી અમેરિકામાં ઘુસવાનો પ્રયાસ કરતા બોટ પલટી જતા દુર્ઘટના સર્જાઈ હતી. જેમા બોટમાં સવાર 8 લોકોના મોત નિપજ્યા હતા. સેન્ટ લોરેન્સ નદી પાર કરતી વખત બોટ પલટી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. નદીમાં ડૂબનારા 8 લોકોમાં મહેસાણાનો પણ એક ગુજરાતી પરિવાર સામેલ હતો. આ ગુજરાતી પરિવારના 4 લોકોના લોકોના મોત થયા છે અને પરિવારને માળો વીંખાઈ ગયો છે.

પરિવારના ત્રણ સભ્યોના મોત

મૃતકોમાં ચૌધરી પ્રવિણભાઈ વેલજીભાઈ ઉમર વર્ષ 50, ચૌધરી વિધિ પ્રવિણભાઈ ઉમર વર્ષ 23, ચૌધરી મીત પ્રવિણભાઈ ઉમર વર્ષ 20નો સમાવેશ થાય છે. પરિવારમાં માતા ચૌધરી દક્ષાબેન પ્રવિણભાઈ પણ સામેલ હતા. વતન મહેસાણામાં આ ઘટનાને પગલે ગમગીની છવાઈ ગઈ છે. સમગ્ર ચૌધરી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. જ

એજન્ટની મદદથી કેનેડાથી અમેરિકા જતા હોવાની પ્રાથમિક માહિતી

ડાભલાના માણેકપુરાના પરિવારનું કેનાડામાં મોત થયુ છે. પરિવાર એજન્ટની મદદથી અમેરિકા જઈ રહ્યો હોવાનૂ સૂત્રો પાસેથી પ્રાથમિક માહિતી મળી છે. સચિન વિહોલ નામના એજન્ટ મારફતે પરિવાર અમેરિકા જતો હતો. જેમા 56 લાખ રૂપિયામાં અમેરિક જવાનુ નક્કી કરાયુ હતુ. જો કે મૃતકના પિતરાઈ જશુભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ એજન્ટ વિશે હજુ કોઈ માહિતી મળી નથી. વધુમાં તેમણે જણાવ્યુ કે જો અમને એજન્ટ મળશે તો ચોક્કસ ફરિયાદ કરીશુ. જો કે તેમણે ઘૂસણખોરીની વાતનુ ખંડન પણ કર્યુ અને જણાવ્યુ કે અમારી માહિતી મુજબ પરિવાર માત્ર ફરવા ગયો હતો.

આ પણ વાંચો: કલોલના ડીંગુચા પરિવારના મૃત્યુના એક વર્ષ બાદ ક્રાઈમબ્રાંચે કબુતરબાજીના કેસમાં અમદાવાદ અને કલોલના બે એજન્ટની કરી ધરપકડ

અમેરિકા જવાની ઘેલછામાં વધુ એક ગુજરાતી પરિવાર પીંખાયો છે. અવારનવાર આ પ્રકારની ઘટના સામે આવતી રહે છે. જેમા અમેરિકા જઈ સ્થાયી થવાની લ્હાયમાં ગેરકાયદે રીતે ઘુસણખોરી કરતા પણ લોકો અચકાતા નથી. અંદાજે એક વર્ષ પહેલાં કેનેડાથી USમાં ઘૂસતી વખતે ડિંગુચા ગામના પાટીદાર પરિવારના 4 લોકોના હચમચાવી દેતા મોત નીપજ્યાં હતા. ત્યાર બાદ કલોલના છત્રાલનો યુવક મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં ઘૂસતી વખતે ઊંચી દીવાલ પરથી નીચે પટકાયો હતો, જેનું ત્યાં જ મોત નીપજ્યું હતું. દરમિયાન વધુ એક ગુજરાતીએ અમેરિકા જવાની લાયમાં જીવ ગુમાવ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">