Mehsana dudhsagar dairyનો આ પ્રયાસ વધારશે પશુપાલકોની આવક, જાણો શું રહેશે ખાસ
Mehsana dudhsagar dairy માં સત્તા પરિવર્તન થયા બાદ નવી પેનલ પોતાના કામકાજમાં પણ પરિવર્તન લાવતી હોય તેવું લાગી રહ્યું છે. ડેરીના સત્તાધીશો કંઈક એવું કરવા જઈ રહ્યા છે જેનાથી પશુપાલકોની આવક વધશે. દૂધસાગર ડેરીએ પશુપાલકો માટે નવો અભિગમ અપનાવ્યો છે.
Mehsana dudhsagar dairy માં સત્તા પરિવર્તન થયા બાદ નવી પેનલ પોતાના કામકાજમાં પણ પરિવર્તન લાવતી હોય તેવું લાગી રહ્યું છે. ડેરીના સત્તાધીશો કંઈક એવું કરવા જઈ રહ્યા છે જેનાથી પશુપાલકોની આવક વધશે. દૂધસાગર ડેરીએ પશુપાલકો માટે નવો અભિગમ અપનાવ્યો છે. જે અંતર્ગત પશુપાલકો પોતાનો તબેલો બનાવી શકે તે માટે ડેરી પ્રયત્નો કરશે.બેંક સાથે ચર્ચા કરીને આવા પશુપાલકોને લોન મળે તે માટે પ્રયાસો કરાશે.અને લોન પણ મંડળી અને તબેલાની આવક થકી જ ભરપાઈ થઈ શકે તે પ્રકારનું આયોજન કરાયું છે. જેથી પશુપાલકોની આવક વધી શકે અને તેઓ આત્મનિર્ભર બની શકે.