LRD મુદ્દે CM નિવાસસ્થાને યોજાશે બેઠક, DyCM અને ગૃહ રાજ્યપ્રધાન હાજર રહેશે
ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે અનામત વર્ગની મહિલાઓનું આંદોલન આજે 67મા દિવસે પણ યથાવત્ છે. LRDની ભરતીમાં અન્યાય થતાં SC, ST અને OBC વર્ગની મહિલાઓ આંદોલન પર બેઠી છે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન યથાવત્ રહેશે. મહત્વનું છે કે હાઈકોર્ટમાં ખાતરી આપી હોવા છતાંય સરકાર હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લઈ શકી નથી. […]
ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે અનામત વર્ગની મહિલાઓનું આંદોલન આજે 67મા દિવસે પણ યથાવત્ છે. LRDની ભરતીમાં અન્યાય થતાં SC, ST અને OBC વર્ગની મહિલાઓ આંદોલન પર બેઠી છે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન યથાવત્ રહેશે. મહત્વનું છે કે હાઈકોર્ટમાં ખાતરી આપી હોવા છતાંય સરકાર હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લઈ શકી નથી. જેના કારણે અનામત વર્ગના ઉમેદવારોને સરકાર પરથી ભરોસો ઉઠી ગયો છે. અનામત વર્ગની મહિલાઓ જીદે ચડી છે કે, સુધારો નહીં જ્યાં સુધી ઠરાવ રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે આ મુદ્દે હવે ગાંધીનગરમાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સાથે તેમના નિવાસ સ્થાને બેઠક કરશે સાથે જ વિવિધ વિભાગોના સચિવ પણ હાજર રહેશે અને બિન અનામત વર્ગની માગો વિશે ચર્ચા કરશે. તેની સાથે ટ્રમ્પના આગમનની તૈયારીઓ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: ‘દેશ તમારી શહાદતને ભૂલશે નહીં’, પુલવામા હુમલાની પ્રથમ વરસી પર વડાપ્રધાન મોદીએ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી