ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી, સાબરમતી જેલના કેદીઓના નિયમોમાં કરાયો ફેરફાર
સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓ શુક્રવાર, શનિવાર અને રવિવારે સાંજે 7થી 8 વાગ્યે ગાંધીજીના પ્રિય ભજનો ગાય છે. સમગ્ર દેશ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે. તેવામાં ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલા નવજીવન ટ્રસ્ટ પણ સાબરમતી સેન્ટ્રલ જેલના સહયોગથી બાપુની 150મી જન્મજંયતિ અલગ રીતે ઉજવી રહ્યું છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]
સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓ શુક્રવાર, શનિવાર અને રવિવારે સાંજે 7થી 8 વાગ્યે ગાંધીજીના પ્રિય ભજનો ગાય છે.
સમગ્ર દેશ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે. તેવામાં ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલા નવજીવન ટ્રસ્ટ પણ સાબરમતી સેન્ટ્રલ જેલના સહયોગથી બાપુની 150મી જન્મજંયતિ અલગ રીતે ઉજવી રહ્યું છે.
સાબરમતી મધ્યસ્થ જેલનાં પાકા કામના કેદીઓ અઠવાડીયામાં 3 દિવસ સાંજે 7 થી 8 વાગ્યાના સમયે નવજીવન ટ્રસ્ટના પટાંગણમાં ગાંધીજીના પ્રિય ભજનો ગાય છે. 5 એપ્રિલ શુક્રવારના રોજ આ નવતર પ્રયોગની શરૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમમાં જેલના પાકા કામના 4 કેદીઓ ભાગ લે છે.
સામાન્ય રીતે સાંજે 6 વાગ્યા બાદ કોઈપણ કેદીને જેલની બહાર લઈ જવામાં આવતા નથી. પરંતુ ગાંધીજીની 150મી જન્મજયંતિને લઈને કેદીઓને નિયમમાો છૂટછાટ કરવામાં આવી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]