Kheda : વડતાલ ધામમાં 24 યુવકોએ સંસાર છોડી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી

આચાર્ય  રાકેશપ્રસાદ મહારાજ ગાદી આરૂઢ થયા બાદ આજ સુધીમાં કુલ 792 પાર્ષદોને ભાગવતી દીક્ષા(Diksha) આપી હતી. જેમાં વડતાલ દેશના 401 ગઢડા દેશના 51 ધોલેરા દેશના 08 તથા જુનાગઢ દેશના 442 મળી કુલ 792 પાર્ષદોને દીક્ષા આપી હતી.

Kheda : વડતાલ ધામમાં 24 યુવકોએ સંસાર છોડી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી
Vadtal Swaminarayan Temple Diksha Mahotasav
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Apr 12, 2022 | 6:06 PM

ગુજરાતમાં(Gujarat)  શ્રી સ્વામિનારાયણ(Swaminarayan)સંપ્રદાયના તીર્થધામ વડતાલ (Vadtal)ખાતે મંગળવારે ચૈત્ર સુદ એકાદશીના શુભદિને શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને આચાર્યશ્રી રાકેશ પ્રસાદ  મહારાજે 24 પાર્ષદોને ભાગવતી દીક્ષા(Diksha)  આપી હતી. આ પ્રસંગે સંપ્રદાયના વરિષ્ઠ સંતો-મહંતો સહિત પાર્ષદોના પૂર્વાશ્રમના માતા-પિતા સહિત મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. વડતાલ મંદિરના કોઠારી ર્ડા.સંતવલ્લભદાસજીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રીહરિએ પોતાના આશ્રિતોને કાર્તિકી અને ચૈત્રી સમૈયામાં વણતેડે વડતાલ આવવાની આજ્ઞા કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા મુજબ કાર્તિકી અને ચૈત્રી એકાદશીના શુભદિને શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને આચાર્ય મહારાજ ધ્વારા પાર્ષદોને ભાગવતી દીક્ષા આપવામાં આવે છે. જે અંતર્ગત આજે મંગવારે ચૈત્રી એકાદશીના શુભદિને શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ ધ્વારા 24 પાર્ષદોને ભાગવતી દીક્ષા આપવામાં આવી હતી. જેમાં વડતાલ દેશના 05,  ગઢડા દેશના 07, ધોલેરા દેશના 02 તથા જુનાગઢ દેશના 10  મળી કુલ 24  પાર્ષદોને ભાગવતી દીક્ષા આપવામાં આવી હતી.

આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે 24  દીક્ષાર્થીઓને યજ્ઞોપવિત, કંઠી, માળા પહેરાવી કાનમાં મંત્ર આપ્યો હતો. એકાદશીના શુભદિને શણગાર આરતી બાદ સૌ દિક્ષાર્થી પાર્ષદોને શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને પોતાના ગુરૂ સાથે પૂજાવિધિમાં બેસાડી પુરોહિત ધીરેન મહારાજે પ્રારંભ કરાવ્યો હતો. આચાર્ય મહારાજે દીક્ષા વિધિ પૂર્ણ થયા બાદ સૌ સંતો સાથે મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ, હરિકૃષ્ણ મહારાજ સહિત આદિ દેવોના દર્શન કરી દિક્ષાર્થી સંતો આચાર્ય મહારાજ સાથે સભામંડપમાં પધારતા હજારો હરિભક્તોએ દિક્ષાર્થી સંતોનું તાળીઓના અભિવાદન સાથે સ્વાગત કર્યું હતું.

આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે સૌ દિક્ષાર્થી સંતોને ગુરૂની આજ્ઞામાં રહેવા, તેમજ શિક્ષાપત્રીની આજ્ઞા અનુસાર નિયમમાં રહેવાની શીખ આપી હતી. સૌ સંતોએ ધાર્મિક શાસ્ત્રનો અભ્યાસ કરી હતી. વડતાલ સંપ્રદાયનો વિકાસ કરવા જણાવ્યું હતું. આચાર્ય  રાકેશપ્રસાદ મહારાજ ગાદી આરૂઢ થયા બાદ આજ સુધીમાં કુલ 792 પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી હતી. જેમાં વડતાલ દેશના 401 ગઢડા દેશના 51 ધોલેરા દેશના 08 તથા જુનાગઢ દેશના 442 મળી કુલ 792 પાર્ષદોને દીક્ષા આપી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ પણ વાંચો : Surat: પોલીસ કમિશનરે રજૂઆત સાંભળીને એક વૃદ્ધને કરી મદદ, એક કીંમતી બેગ સીસીટીવીના આધારે પરત કરાવી

આ પણ વાંચો : Sabarkantha: વણઝારા પરિવારોનું સ્થળાંતર, ડીજીપી હિંમતનગર પહોંચ્યા, સ્થિતિની સમિક્ષા કરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">