Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kargil War: કારગિલ યુદ્ધની બહાદુરીની એ પળો આજે પણ નજર સામે તરવરે છે, જવાન જશુભાઈની કાનમાં ગોળીઓનો ગૂંજે છે અવાજ!

Kargil Vijay Divas: કપડવંજ તાલુકાના નવાગામના જશુભાઈ ડાહ્યાભાઈ સોલંકી કારગિલ યુદ્ધનો હિસ્સો રહ્યા હતા. તેમને નાનપણથી લશ્કરી જવાન બનવાનુ સપનુ હતુ. તેઓ 1994માં પોતાનો અભ્યાસ પુર્ણ કરીને આગળના વર્ષે સૈન્યમાં જોડાયા હતા.

Kargil War: કારગિલ યુદ્ધની બહાદુરીની એ પળો આજે પણ નજર સામે તરવરે છે, જવાન જશુભાઈની કાનમાં ગોળીઓનો ગૂંજે છે અવાજ!
નરેન્દ્ર મોદીએ કર્યુ હતુ સન્માન
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jul 26, 2023 | 10:47 PM

કારગિલ વિજય દિવસ એટલે ગર્વનો દિવસ છે. ભારતના જવાનોએ પાકિસ્તાની સૈન્ય સામે જંગ ખેલીને વિજય મેળવ્યો હતો. ગુજરાતના જવાનોએ પણ કારગિલ યુદ્ધમાં પોતાની જીવની બાજી ખેલી હતી અને પાકિસ્તાનને પરાસ્ત કરીને વિજય મેળવવાના ગૌરવનો હિસ્સો હતો. ખેડા જિલ્લાના નવા ગામના જશુભાઈ સોલંકી પણ કારગિલ યુદ્ધના હિસ્સો બન્યા હતા. તેઓએ પણ ગોળીઓ અને તોપ ગોળા વચ્ચે જીવ સટોસટની બાજી ખેલી હતી.

કારગિલ યુદ્ધ દરમિયાન ગુજરાતના જવાનો પણ પાકિસ્તાન સેના પર ભારે પડીને ખાતમો બોલાવ્યો હતો. પાકિસ્તાન સેનાના અનેક જવાનો ભારતીય જવાનોની ગોળીથી મોતને ભેટ્યા હતા. આ માટે ભારતીય જવાનોએ બહાદુરી પૂર્વક કારગિલમાં યુદ્ધ ખેલ્યુ હતુ. જવાનોની આ બહાદુરીને પ્રતિવર્ષ 26 જુલાઈએ યાદ કરીને કારગિલ યુદ્ધના હિસ્સો બનેલા જવાનોનુ સન્માન કરવામાં આવે છે.

જવાન બનવાનુ સપનુ હતુ

કપડવંજ તાલુકાના નવાગામના જશુભાઈ ડાહ્યાભાઈ સોલંકી કારગિલ યુદ્ધનો હિસ્સો રહ્યા હતા. તેમને નાનપણથી લશ્કરી જવાન બનવાનુ સપનુ હતુ. તેઓ 1994માં પોતાનો અભ્યાસ પુર્ણ કરીને આગળના વર્ષે સૈન્યમાં જોડાયા હતા. એટલે કે વર્ષ 1995માં તેઓ સૈન્યમાં સામેલ થયા હતા. સૈન્યમાં તેઓએ 19 વર્ષ સેવા આપી હતી. પોતાનુ સપનુ હતુ અને એ મુજબ જ તેઓ સેનામાં જોડાયા હતા અને એમાંય તેમને કારગિલ યુદ્ધનો હિસ્સો બની બહાદુરી દર્શાવવાનુ ગર્વ મળ્યુ હતુ.

શું તમે hero Splendor નામનો અર્થ જાણો છો?
Vastu Tips: ઘરમાં મધમાખીનું મધપૂડો બનાવવું શુભ કે અશુભ? જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 25-03-2025
IPL વચ્ચે ખુશખબર, આથિયા શેટ્ટી માતા બની, નાની પરીને આપ્યો જન્મ
અત્યાર સુધીમાં કેટલા ઓટો-રિક્ષા ચાલકના પુત્રોએ IPLમાં નામના મેળવી છે?
Jioનું સૌથી સસ્તું રિચાર્જ, માત્ર 11 રૂપિયામાં મળી રહ્યો છે મોટો લાભ

વર્ષ 1999 માં લગભગ 60 દિવસ કારગિલ યુદ્ધ ચાલ્યુ હતુ. આ દરમિયાન થયેલા ગોળીબારનો અવાજ કાનમાં ગૂંજી રહ્યો છે. તેઓને આજે પણ એ દિવસોના દ્રશ્યો નજર સામે જ દેખાતા હોય એમ યાદ આવી રહ્યા છે.

નરેન્દ્ર મોદી સન્માન કાર્યક્રમમાં રહ્યા હતા હાજર

ગુજરાતના જવાનોનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. 1999માં રોજ કારગિલ વિજયની ઉજવણી કરતા હેલિપેડ ગ્રાઉન્ડ પર વિજય સંમેલન કરવામાં આવ્યુ હતુ. આ વાતને યાદ કરતા જશુભાઈએ કહ્યુ હતુ કે, ગુજરાતના દરેક જવાનનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. નરેન્દ્ર મોદીએ ગર્વ દર્શાવતા પ્રોત્સાહન વધાર્યુ હતુ. ધારાસભ્યોએ પણ જવાનોનુ ગુજરાતમાં સન્માન કર્યુ હતુ.

જશુભાઈ સોલંકી હાલમાં અમદાવાદના નરોડામાં રહે છે. તેઓ હાલ નિવૃત્ત જીવન અમદાવાદમાં વિતાવી રહ્યા છે. જશુભાઈ 2014 માં આર્મીમાંથી નિવૃત્ત થયા હતા અને હાલમાં નરોડામાં રહે છે.

આ પણ વાંચો : Sabarkantha: હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં ડોક્ટર નહી વોર્ડ બોય અને ફાર્માસિસ્ટ આપે છે દવા, તબિબ વિના સ્થાનિકો પરેશાન

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
g clip-path="url(#clip0_868_265)">