Gujarat Top News: ફરી ગુજરાતમાં મેઘાના મંડાણ, ક્યા મળી રહી છે સાધુ-સંતોને ધમકી? ABVPએ શા માટે દર્શાવ્યો વિરોધ? જાણો ગુજરાતના મહત્વના સમાચાર

Gujarat Top News : ગુજરાતમાં (Gujarat) આજે મહત્વની અનેક ઘટનાઓ બની છે. બનાસકાંઠામાં 150થી વધુ પશુમાં લમ્પી વાયરસ જોવા મળતા તંત્ર દોડતુ થયુ છે. તો NCB અને ગુજરાત કોસ્ટગાર્ડે બે શંકાસ્પદ ઈરાની બોટને ઝડપી પાડી છે.

Gujarat Top News: ફરી ગુજરાતમાં મેઘાના મંડાણ, ક્યા મળી રહી છે સાધુ-સંતોને ધમકી? ABVPએ શા માટે દર્શાવ્યો વિરોધ? જાણો ગુજરાતના મહત્વના સમાચાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2022 | 7:43 PM

ગુજરાત– ફરી રાજ્યમાં મેઘાના મંડાણ

ગુજરાતમાં (Gujarat rain) આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું (Indian Metrological department) માનીયે તો આજથી રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ રહેશે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણામાં ભારે વરસાદ રહેશે.તો અમદાવાદ અને ગાંધીનગર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 24 જુલાઈએ અતિભારે વરસાદ (Heavy rain) પડી શકે છે.ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને (Fisherman) દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.26 જુલાઈથી વરસાદનું (rain) પ્રમાણ ઓછું થશે, કેટલાક સ્થળે સામાન્ય વરસાદ રહેશે.

બનાસકાંઠા- લમ્પી વાયરસના પગલે અમીરગઢ અને ખોડા બોર્ડર કરાઈ સીલ

સમગ્ર ગુજરાતમાં (gujarat) લમ્પી વાયરસનો (Lumy virus) કહેર જોવા મળી રહ્યો છે.ત્યારે બનાસકાંઠામાં (Banaskantha) 150થી વધુ પશુમાં લમ્પી વાયરસ જોવા મળતા તંત્ર દોડતુ થયુ છે.લમ્પી વાયરસના (lumpy virus) સંકટને જોતા અમીરગઢ અને ખોડા બોર્ડર સીલ કરવામાં આવી છે. ધાનેરા તાલુકામાં (Dhanera Taluka) સૌથી વધુ 100 કેસ નોંધાયા છે.હાલ કેસ વધતા જિલ્લાના 14 તાલુકામાં પશુપાલન વિભાગની 14 ટીમો કાર્યરત છે. સાથે જ તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પશુઓનો સર્વેની (Survey) કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

વડોદરા- ABVPના કાર્યકરોની હડતાળ સમેટાઇ

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ભૂખ હડતાળ પર ઉતરેલા ABVPના કાર્યકરોની હડતાળનો અંત આવ્યો છે. વડોદરાની MS યુનિવર્સિટીમાં T.Y B.COMની પરીક્ષાના પરિણામો જાહેર થવામાં વિલંબ થતા ABVPએ ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે હવે વહેલીતકે પરિણામ જાહેર કરવાની ડિને ખાતરી આપી છે. આગામી 4 ઓગસ્ટ સુધી પ્રશ્નના ઉકેલની ડિને બાંહેધરી આપી છે. એટલું જ નહીં કોમર્સ ફેકલરીના ડિન કેતન ઉપાધ્યાયએ વિદ્યાર્થીઓને પાણી પીવડાવી પારણા કરાવ્યાં હતા.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રાજકોટ- વિધર્મીઓ તરફથી ધમકીઓ મળતી હોવાની સાધુ-સંતોની રજૂઆત

નૂપુર શર્માના નિવેદન બાદ રાજકોટ જિલ્લાના કેટલાક સાધુ-સંતોને વિધર્મીઓ તરફથી ધમકી મળી રહી છે. જેને લઈ આજે સાધુ-સંતોએ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને રજૂઆત કરી છે. વન ડે, વન ડિસ્ટ્રીક્ટ અંતર્ગત રાજકોટની મુલાકાતે આવેલા સીઆર પાટીલે સાધુ-સંતો અને કલાકારો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં સાધુ સંતોએ પોતાની સમસ્યાઓની રજૂઆત કરી હતી. સાધુ-સંતોએ કહ્યું હતું કે જસદણમાં પૂજારીને વિધર્મી તરફથી ધમકી આપવામાં આવી હતી. આ બાબતે રજૂઆત કરતાં તેમણે સુરક્ષા આપવાની માંગણી કરી છે.

વડોદરા-પંચાયતની ખાલી જગ્યા ભરવા અંગે શ્રમ અને રોજગાર પ્રધાનનું મહત્વનું નિવેદન

પંચાયતોની ખાલી જગ્યા ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે પરીક્ષામાં કોઇ ગેરરીતિ ન થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. વડોદરામાં હાજર રહેલા શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાએ મહત્વનું નિવેદન આપ્યું છે. પંચાયતોમાં ખાલી જગ્યાઓ અને ભરતી અંગે બ્રિજેશ મેરજાએ કહ્યું કે, પંચાયત વિભાગની 13 હજાર 651 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 17 સંવર્ગની જગ્યા ભરવા પંચાયત સેવા પસંદગી મંડળે જાહેરાત આપી હતી. જેમાંથી 15 કેડરમાં ભરતી માટે પરીક્ષા લેવાઈ ગઈ છે અને હજી ખાલી જગ્યાઓ ભરવા પ્રક્રિયા શરૂ છે.

પોરબંદર- ગુજરાત કોસ્ટગાર્ડે બે શંકાસ્પદ ઈરાની બોટને ઝડપી

NCB અને ગુજરાત કોસ્ટગાર્ડને મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત કોસ્ટગાર્ડે બે શંકાસ્પદ ઈરાની બોટને ઝડપી પાડી છે. કોસ્ટગાર્ડના સમુદ્ર પાવક નામના જહાજે સફળ ઓપરેશન પાર પાડયું છે. NCBએ શંકાસ્પદ ઈરાની બોટમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અમદાવાદથી NCBની ટીમ તપાસ માટે પોરબંદર પહોંચી છે. બોટમાં ડ્રગ્સ હોવાની શક્યતાના પગલે 8 ક્રુ મેમ્બરની તપાસ થઈ રહી છે. અન્ય સુરક્ષા એજન્સીઓને તપાસ માટે બોટથી દૂર રાખવામાં આવ્યા છે.

સુરત- પ્રેમીના આપઘાત બાદ પ્રેમિકાએ પણ ટૂંકાવ્યું જીવન

સુરતમાં પ્રેમીએ આપઘાત કર્યા બાદ પ્રેમિકાએ પણ જીવન ટૂંકાવ્યું છે. અલથાણ વિસ્તારમાં રહેતા એક યુવકે ફાંસો ખાઈ લેતા તેની ગર્લફ્રેન્ડ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. 108ના કર્મચારીએ સાથે આવેલી મહિલાને પૂછતા તેણે યુવકની ગર્લફ્રેન્ડ હોવાનું જણાવ્યું હતું. યુવકને મૃત જાહેર કરાયા બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમમાં મુકવાની તજવીજ ચાલી રહી હતી. આ દરમિયાન સાથે આવેલી યુવતી આઘાતમાં કિડની હોસ્પિટલ બિલ્ડિંગના પાંચમા માળે પહોંચી હતી અને ત્યાંથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.

ખેડા- નીલગાયે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું મોત

ખેડા જિલ્લામાં ઠાસરા તાલુકાના ફેરકુવા પાસે અકસ્માતમાં એક શિક્ષકનું મોત થયુ છે. શિક્ષક શાળામાં ફરજ પર જઈ રહ્યાં હતા તે દરમિયાન બની ઘટના બની હતી. ફેરકુવા પાસે રોડ પર એક નીલગાયે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે જ શિક્ષકનું મોત થયું છે.

સુરત- ઝાડા-ઊલ્ટી થયા બાદ બાળકીનું મોત

સુરતમાં વરસાદ બાદ સતત વકરી રહેલા રોગચાળાનો ભોગ બાળકો બની રહ્યા છે. ત્યારે સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં રોગચાળાને કારણે અઢી વર્ષીય બાળકી મોતને ભેટી છે. હંસિકા સુરજ ગૌતમ નામની બાળકીને વહેલી સવારે ઝાડા-ઉલટી થયા હતા. જે બાદ બાળકીનું મોત નિપજ્યું હોવાનું પરિવારજનોનું કહેવું છે.

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">