મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનો હુંકાર, કર્મચારીઓ અને અધિકારીઓની બેદરકારી નહિ ચલાવી લેવાય

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ખેડા જિલ્લાની જન આશીર્વાદ યાત્રા કઠલાલથી પ્રારંભ થઇને વડથલ, મહુધા, સિંહુંજ. વાઠવાડી, મહેમદાવાદ, ખેડા ચોકડી, માતર, સંધાણા થઇ ડભાણ પહોંચી હતી.

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનો હુંકાર, કર્મચારીઓ અને અધિકારીઓની બેદરકારી નહિ ચલાવી લેવાય
Details of Revenue Minister Rajendra Trivedi's Jan Ashirwad yatra in Kheda district
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Sep 30, 2021 | 10:00 PM

કેબિનેટ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની જન આશીર્વાદ યાત્રાનો આજે શુભારંભ કઠલાલ ખાતેથી થયો હતો. મહેસુલ મંત્રીની આ યાત્રા કઠલાલથી પ્રારંભ થઇ ખેડાના અન્ય વિસ્તારમાં પહોંચી. આ દરમિયાન મહેસુલ મંત્રીએ કહ્યું કે મહેસુલ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓની બેદરકારી નહિ ચલાવી લેવાય. તેમજ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ એમ પણ કહ્યું કે મહેસુલ વિભાગની ઘણી ફરિયાદો મળી છે.

જણાવી દઈએ કે કઠલાલ કચ્છી પટેલ સમાજની વાડી ખાતે કાર્યકરોને સંબોધતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતુ કે, ‘ભાજપ પક્ષ ભારત દેશની ઋષિ મુનિઓની પરંપરાઓ, સંસ્કાર, સંસ્કૃતિનું જતન કરતો પક્ષ છે. આ દેશ જ્ઞાનના દેશ તરીકે વિશ્વમાં પ્રચલીત છે. દેશમાં થોડા વર્ષો પહેલા અંદાજે 500 વર્ષ આર્કાતાઓનું રાજ રહ્યું તો પણ દેશે સંસ્કાર અને સંસ્કૃતિને જાળવી રાખી છે. ભાજપ પણ તેને સાચવી રહ્યું છે.

મંત્રીએ કહ્યું કે ‘દેશની અને રાજ્યની આ સરકારો રાષ્ટ્ર અને સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ હતી જેના કારણે આતંકવાદીઓને પીઠબળ મળતુ હતુ તે પણ નાબુદ કરી દીધુ. ગૌવંશ હત્યાના કાયદાનો કડકપણે અમલ આ સરકાર કરી રહી છે. ગાય એ પ્રાણી નહી પણ સંસ્કૃતિની ધરોહર છે, ભાજપના કાર્યકરોને સત્તા કે પદનો મોહ હોતો નથી, તેઓ સરળતાથી સત્તાનું હસ્તાંતરણ કરી શકે છે. યુવા ભારત દેશના નિર્માણમાં ભાજપના યુવા કાર્યકર્તાઓનો સિંહ ફાળો રહેશે.’

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તેઓએ કાર્યકરોને શીખ આપતા જણાવ્યું હતું કે, આપણે ગીતાના ભગવાન શ્રીકુષ્ણના ઉપદેશને અનુસરવાનું છે. આપણે આપણને સોંપાયેલ કામ પુરી નિષ્ઠા અને ધગશથી કરવાનું છે. આવો ભારતના ભવિષ્ય માટે અને આવનારી પેઢી માટે આપણે ભગીરથ કામ કરીએ. ઉપરાંત રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની સરકારે છેલ્લા 4 વર્ષમાં અનેક પ્રજાકિય કાર્યો અને વિકાસલક્ષી કામોને વેગ આપ્યો છે. અમારી સરકાર પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં પ્રજાકીય કામો અને વિકાસની ગતિ પર ચાલે અને અવિરત વિકાસનો વેગ ચાલતો રહેશે.

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ખેડા જિલ્લાની જન આશીર્વાદ યાત્રા કઠલાલથી પ્રારંભ થઇને વડથલ, મહુધા, સિંહુંજ. વાઠવાડી, મહેમદાવાદ, ખેડા ચોકડી, માતર, સંધાણા થઇ ડભાણ પહોંચી હતી. આ જન આશીર્વાદ યાત્રાનું જનમેદની દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપના નેતાઓનું કહેવું છે કે, ભાજપની સરકાર ભય, ભ્રષ્ટાચાર મુક્ત અને ગરીબોની સેવા કરતી સરકાર હશે અને તે સીલસીલો હજુ પણ ચાલુ જ છે.

આ પણ વાંચો: Bhavnagar: તળાજાની આયુર્વેદિક હોસ્પિટલમાં પાણી ભરાઈ જતા દર્દીઓના જીવ અધ્ધર, જુઓ કેવી રીતે કરાયું રેસ્ક્યુ

આ પણ વાંચો: AMRELI: જુઓ તારાજીના આકાશી દ્રશ્યો – ખેતરમાંથી પાણી તો ઓસરી જશે, નુકસાન અને તેની અસર ક્યારે ઓસરશે?

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">