AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadtal સ્વામીનારાયણ મંદિરમાં શિક્ષાપત્રી જયંતીની ઉજવણી, દેવોને વસંત શણગારે વિભુષીત કરાયા

વડતાલ ધામમાં શનિવારે 196મી શિક્ષાપત્રી જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું  સાથે સાથે વડતાલ મંદિરના શ્રી બ્રહમાનંદ સ્વામીની રપ૦ મી જન્મજયંતી અને કવિસમ્રાટ સ.ગુ.શ્રી નિષ્કુળાનંદસ્વામીની  256 મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી

Vadtal સ્વામીનારાયણ મંદિરમાં શિક્ષાપત્રી જયંતીની ઉજવણી, દેવોને વસંત શણગારે વિભુષીત કરાયા
Vadtal Sikshapatri Jayanti Celebration
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Feb 05, 2022 | 6:31 PM
Share

વડતાલ(Vadtal ) ધામમાં શનિવારે 196મી શિક્ષાપત્રી(Shiksha Patri)  જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું  સાથે સાથે વડતાલ સ્વામીનારાયણ મંદિરના( Swaminarayan Temple)  શ્રી બ્રહમાનંદ સ્વામીની 250  મી જન્મજયંતી અને કવિસમ્રાટ સ.ગુ.શ્રી નિષ્કુળાનંદસ્વામીની  256 મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આચાર્ય  રાકેશપ્રસાદ  મહારાજની ઉપસ્થિતિમાં શા.શ્રી ગુણસાગર દાસજીસ્વામી (વિરસદવાળા) એ શિક્ષાપત્રી કથા અને શિક્ષાપત્રી પઠન કયું હતું. વડતાલ સભામંડપમાં હરિભકતોએ કથામૃતનું રસપાન તથા શિક્ષાપત્રી પઠન કરી ધન્યતા અનુભવી હતી.

વડતાલ મંદિરના કોઠારી  ડો.સંતસ્વામીએ જણાવ્યુ હતુ કે ભગવાન શ્રીહરિનું વાંગ્મય સ્વરૂપ એટલે સંપ્રદાયનો અમુલ્ય ગ્રંથ શિક્ષાપત્રી ભગવાન શ્રીહરિએ સંવત–૧૮૮રના મહાસુદ–પ વસંતપંચમીના રોજ વડતાલ મંદિરના ચોગાનમાં આવેલ શ્રી હરિમંડપમાં બિરાજી સ્વહસ્તે શિક્ષાપત્રી પોતાની વાણીરુપ આ આજ્ઞાપત્રીની સર્વજીવહીતાવહઃસર્વજીવોના કલ્યાણ અર્થે શિક્ષાપત્રીની રચના કરી હતી. આજે 196મી શિક્ષાપત્રી જયંતી પ્રસંગે વડતાલ સ્વા.મંદિરમાં સવારે દેવોને પણ વસંત શણગારે વિભુષીત કરવામાં આવ્યા હતાં.

સવારે મંદિરમાંથી પાલખી યાત્રા નીકળી મંદિરની પ્રદક્ષિણા ફરી સભાસ્થળે પહોંચી હતી. સંપ્રદાયના સંતો મહંતોએ શિક્ષાપત્રીનું પૂજન કયું હતું. તેઓએ બ્રહમાનંદસ્વામીનો મહીમા જણાવતાં વધુમાં જણાવ્યુ હતું કે તેઓનું પૂર્વાશ્રમનું નામ લાડુદાનજી બારોટ હતુ. તેઓ રાજસ્થાનના શિરોહી જીલ્લાના ખાણ ગામના હતાં. તેઓના પિતાશ્રીનું નામ શંભુદાનજી અને માતાનુ નામ લાલુબાદેવી હતું. દિક્ષા પછીનું નામ શ્રીરંગદાસસ્વામી પછી બ્રહમાનંદસ્વામી નામ પડયુ હતું. તેઓ મહાન શીધ્ર કવિ , શતાવધાની, હિન્દી,ગુજરાતી,ચારણીમાં કાવ્યો લખનાર, સ્થાપ્યત્યકળાના જાણકાર, અશ્વવિદ્યાના જાણકાર, મંદિરોના નિર્માણકર્તા, શ્રીહરિના સખા અને રમૂજી વ્યકિતત્વ ધરાવતાં હતાં. બાળક લાડુદાનજી ધોડીયામાં ઝુલતાં હોય ત્યારે પણ આકાશમાંથી દેવી–દેવતાઓ પધારી બાળકના દર્શન કરી તેમને કુમકુમ તથા ફુલોથી વધાવતાં હતાં. આપણે સૌ ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરીએ.

વડતાલ મંદિર બાંધવા માટે શ્રીજીએ તેમને  રૂપિયા  11  આપી મોકલ્યા હતાં., અને મર્માળુ હસી બોલ્યા કે વડતાલના ઝાડવા ખંખેરી લેજો. સ્વામીએ પોતાની કુનેહ,વ્યવહાર,કુશળતા અને બુધ્ધિ વાપરી વડતાલનુ કમળાકાર મંદિર બનાવી તેમાં શ્રીહરિનું સ્વરુપ તથા શ્રીલક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા હતાં. બ્રહમાનંદસ્વામીએ શ્રીહરિને વચનામૃતમાં 28  પ્રશ્રો પુછયાં હતાં .જેમાં ગઢડા પ્રથમમાં–7  ,કારીયાણીમાં–3 , ગડા મધ્યમાં–5 , લોયામાં–4, પંચાળામાં–2 , ગઢડા અંત્યમાં–6  અને વડતાલમાં–1  મળી કુલ–28  પ્રશ્રો પુછેલા છે.

આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે સભા મંડપમાં શિક્ષાપત્રીનું પૂજન કયું હતું. આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે આર્શીવચન પાઠવતાં જણાવ્યુ હતુ કે સ્વા.સંપ્રદાયમાં વસંતપંચમીનો મોટો મહીમા રહયો છે.આ મંગલદિને સંપ્રદાયના અજોડ ગ્રંથ શિક્ષાપત્રીનો વડતાલ મધ્યે હરિમંડપમાં પ્રાદુર્ભાવથયો હતો. શિક્ષાપત્રી જીવમાત્રને ધર્મ , અર્થ , કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિધ્ધી કરાવનાર ગ્રંથ છે. સંપ્રદાયના તમામ આશ્રીતોની આચારસંહીતા છે.જે ધરમાં ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અને ઉપાસનાનું અનુસંધાન રહે છે. એ ધરમાં સદા વસંત છે.

શ્રીહરિએ લખેલ શિક્ષાપત્રીના જ્ઞાનનો પ્રકાશ તમારા જીવનમાં આધ્યાત્મિક સુખ અને સમુધ્ધિની વસંત લાવે તેવી વડતાલવિહારી શ્રીહરિકૃષ્ણ મહારાજના ચરણકમળમાં હાર્દિક પ્રાર્થના સહ ભગવાન સૌનું મંગલ વિસ્તારે તેવા આશીષ પાઠવ્યા હતાં. હોમાત્મક યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :  અમદાવાદના Narendra Modi સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા 6 ફેબ્રુઆરી રચશે ઇતિહાસ,  બનાવશે આ વર્લ્ડ રેકોર્ડ

આ પણ વાંચો : Ahmedabad: પાર્ક વાહનમાંથી ચોરી કરતી ટોળકી સક્રિય, ઓઢવના વેપારીના રુ. 6 લાખ લઇ ચોર ફરાર

Follow Us
ખેડામાં કુદરતનો પ્રકોપ: ભર ઉનાળે 'અષાઢી' માહોલ
ખેડામાં કુદરતનો પ્રકોપ: ભર ઉનાળે 'અષાઢી' માહોલ
અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી મળી આવી ઈયળ
અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી મળી આવી ઈયળ
રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીએ રૂ. 5000 માંગ્યાનો આક્ષેપ
રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીએ રૂ. 5000 માંગ્યાનો આક્ષેપ
Skymetની આગાહી, કેવું રહેશે ચોમાસુ 2026 ? કયાં, કેવો વરસશે વરસાદ ?
Skymetની આગાહી, કેવું રહેશે ચોમાસુ 2026 ? કયાં, કેવો વરસશે વરસાદ ?
GPSCની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ
GPSCની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ
60 વર્ષથી વધુ અને 3 ટર્મ વાળાને નહીં મળે ટિકિટ, જુઓ Video
60 વર્ષથી વધુ અને 3 ટર્મ વાળાને નહીં મળે ટિકિટ, જુઓ Video
બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો
બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો
ગોત્રીમાં કથા સ્થળે વિવાદ, રાઈડ્સનું સંચાલન લઘુમતી સમાજને આપતા હંગામો
ગોત્રીમાં કથા સ્થળે વિવાદ, રાઈડ્સનું સંચાલન લઘુમતી સમાજને આપતા હંગામો
સરહદ પરથી ડ્રગ્સ ધુસાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો
સરહદ પરથી ડ્રગ્સ ધુસાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો
ગટરનું ઢાંકણુ તૂટી જતા અંદર ખાબક્યો યુવક
ગટરનું ઢાંકણુ તૂટી જતા અંદર ખાબક્યો યુવક
g clip-path="url(#clip0_868_265)">