AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kutch: જેલમાંથી જ ચાલતુ હતુ હનીટ્રેપનુ નેટવર્ક, જાણો કોને કોને ફસાવાનો હતો ટાર્ગેટ

હનીટ્રેપમાં ફસાવી દુષ્કર્મની ખોટી ફરીયાદ કરી 10 કરોડની ખંડણી માંગવાનો એક કિસ્સો બન્યો હતો. જેમાં સામાજીક માગ અને પોલિસની સક્રિયતાને કારણે સમગ્ર મામલો પ્રકાશમા તો આવ્યો પરંતુ તપાસમાં થયેલ ચોંકાવનારા ખુલાસા, સ્થાનીક પોલીસ સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉભા કરે છે.

Kutch: જેલમાંથી જ ચાલતુ હતુ હનીટ્રેપનુ નેટવર્ક, જાણો કોને કોને ફસાવાનો હતો ટાર્ગેટ
Jay Dave
| Edited By: | Updated on: Jun 06, 2023 | 11:12 PM
Share

Kutch: નલિયાકાંડથી લઇ અને જેન્તી ભાનુશાળી હત્યા કેસ કેન્દ્રમાં રહેલ મહિલાઓને સાંકળતા કિસ્સા કચ્છમાં અટકવાનુ નામ લેતા નથી, તાજેતરમાં જ ગાંધીધામના એક ફાઇનાન્સર અનંત તન્નાને હનીટ્રેપમાં ફસાવી દુષ્કર્મની ખોટી ફરીયાદ કરી 10 કરોડની ખંડણી માંગવાનો એક કિસ્સો બન્યો હતો. જેના હજી તમામ આરોપી પણ ઝડપાયા નથી. ત્યા હવે માધાપર ગામના એક ટ્રાન્સપોર્ટરે કરેલા આપધાત મામલે ચોંકવનારો ખુલાસો થયો છે. સામાજીક માગ અને પોલિસની સક્રિયતાને કારણે સમગ્ર મામલો પ્રકાશમા તો આવ્યો પરંતુ તપાસમાં થયેલ ચોંકાવનારા ખુલાસા સ્થાનીક પોલીસ સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉભા કરે છે. કેમ કે આ સમગ્ર કૌભાડની માસ્ટર માઇન્ડ મનિષા ગોસ્વામી પાલારા જેલમાંથી આ આખા કાંડનુ સંચાલન કરતી હતી અને તેમાં એક આશાસ્પદ અને નિર્દોષ વ્યક્તિને જીવ ગુમાવવો પડ્યો

શુ હતો સમગ્ર મામલો ?

મુળ ઢોરી ગામના અને માધાપરમાં રહેતા ટ્રાન્સપોર્ટર અને વેપારી સામે દુષ્કર્મની ફરીયાદ સાથે અમદાવાદની એક યુવતી દિવ્યા ચૌહાણે દુષ્કર્મની ફરીયાદ નોંધાવી અને બીજા દિવસે સવારે જેના પર આક્ષેપ થયા તે દિલીપ આહિરે ગળેફાંસો ખાઇ આપધાત કરી લીધો શરૂઆતથીજ શંકાસ્પદ એવા કેસમા જેમ-જેમ પોલિસ તપાસ કરતી ગઇ તેમ નવા ખુલાસાઓ થતા ગયા આહિરે સમાજે પણ ન્યાયની માંગ સાથે તટસ્થ તપાસની માંગ કરી અને પોલિસ તપાસમાં ચોંકવનારૂ સત્ય સામે આવ્યુ જેમાં દિવ્યા સાથે મૃત્કએ કોઇ શારીરક સંબધ બાધ્યોજ ન હતો પરંતુ હનીટ્રેપના કેસમાં ફસાવવા માટે આખુ નાટક રચાયુ હતુ અને તેમાં દિવ્યા તો માત્ર મોહરુ હતુ પરંતુ તેની પાછળ 8 અન્ય લોકોની સંડોવણી પ્રાથમીક તપાસમાંજ ખુલ્લી છે. અને હનીટ્રેપમાં ફસાવી 4 કરોડ મેળવવાના ઇરાદા સાથે જ યુવતી અને તેના સાગરીતોએ ખોટો પ્લાન બનાવ્યો હતો.

જેલમાં બંધ મનિષા માસ્ટર માઇન્ડ

કચ્છના પુર્વ ધારાસભ્ય અને ભાજપના આગેવાન જેન્તી ભાનુશાળી હત્યા કેસમાં જેની સંડોવણી છે તેવી મનિષા ગોસ્વામી જ પોલિસ તપાસમાં માસ્ટર માઇન્ડ નિકળી છે. થોડા સમય પહેલાજ આ ટોળકી એકબીજાના સંપર્કમા આવી હતી અને ત્યાર બાદ મનિષા ગોસ્વામીએ જ માધાપરના સામાજીક આગેવાન દિલીપ આહિરને ટાર્ગેટ કરવાનો પ્લાન જેલમાં બેઠાબેઠા કર્યો હતો જો કે ચોંકવાનારી બાબત એ છે કે કેસમાં સતત મનિષા ફોન અને મેસેજ વડે સુચના આપતી હતી. પોલિસે આ મામલે તપાસ કરતા મનિષા ગોસ્વામી સહિત અન્ય 3 મહિલા દિવ્યા ચૌહાણ દુષ્કર્મની ફરીયાદ કરનાર, અંજારની રહેવાસી વકિલ કોમલ તથા રીધ્ધી નામની એક યુવતીનુ નામ સામે આવ્યુ છે તો આકાશ મકવાણા નામના વકિલ સહિત અખલાક પઠાણ, મનિષાતો પતી ગજુ ગોસ્વામી તથા અઝીઝ, અને અજય પ્રજાપતી સહિત કુલ 9 વ્યક્તિઓ આ કાંડમાં સામેલ છે

કોઇનુ પણ નામ હોઇ શકે છે લીસ્ટમાં

પોલિસ તપાસમાં મહત્વનો ધટસ્ફોટ એ થયો છે કે મનિષા ભુજની પાલારા જેલમાં ફોનનો ઉપયોગ કરી આ નેટવર્ક ચલાવતી હતી. જેમાં પહેલા કુવૈત રહેવા કચ્છના એક વ્યક્તિને ફસાવવાનો પ્લાન હતો. પરંતુ તે સફળ ન જતા મનિષાએ જ માધાપરના દિલીપનો સંપર્ક કરવા માટેનો પ્લાન તૈયાર કર્યો હતો અને જેમા તેના પતિ સહિતના વ્યક્તિઓ તેની ભુમીકા પ્રમાણે કામ કરતા રહ્યા. આમ પ્રાથમીક તપાસમાં જ મનિષા પહેલા 10 કરોડ હનીટ્રેપમાં ફસાવી રૂપિયા મેળવવાની હતી અને તે શક્ય ન બનતા 4 કરોડમાં માધાપરના યુવક દિલીપ આહિરને ફસાવવાનો પ્લાન તૈયાર કર્યો હતો. જેમાં દુષ્કર્મના નાટકથી લઇ મોંધા રીસોર્ટમાં રોકાણ તથા મજબુત પુરાવા કેસમાં થાય તેવી તૈયારીઓ મનિષાએ મદદગારોની મદદથી કરી હતી. જો કે દિલીપ સામે ખોટી ફરીયાદ નોંધાવનાર દિવ્યા સહિતના લોકોના ફોન કબ્જે કર્યા બાદ કદાચ કચ્છના વધુ પ્રતિષ્ઠીત વ્યક્તિ ટાર્ગેટમાં હોવાનુ ખુલી શકે છે.

કચ્છ જાણે હનીટ્રેપનુ હબ !

ખોટી દુષ્કર્મની ફરીયાદથી લઇને નલિયાકાંડ છબીલ પટેલ અને જેન્તી ભાનુશાળી સામે ખોટી ફરીયાદથી લઇ કચ્છમાં અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે અને કેટલાક રહસ્યો હજુ ધરબાયેલા છે. પરંતુ કચ્છમાં ફરી આવા કિસ્સાઓ વધતા પોલિસ તો સતર્ક બની છે. પરંતુ સરકારે પણ આવા મામલે ગંભીર તપાસ સાથે તેના મુળ સુધી જવાની જરૂર છે. કેમકે પ્રતિષ્ઠા જવાની બીકે અનેક લોકો આવા કાંડનો ભોગ બન્યા છે. તાજેતરના કિસ્સા પછી પોલિસે આ હનીટ્રેપ મામલે ખાસ જાગૃતિ અભીયાન ચલાવવા સાથે આવા ભોગ બનનારને સમાજ અને પોલિસ સમક્ષ જવાની અપિલ કરી છે પરંતુ આવી પ્રવૃતિનો હબ બની ગયેલા કચ્છમાં સરકારે ગંભીરતાથી આવી પ્રવૃતિઓ પર કડક કાર્યવાહી કરવાની જરૂર છે. કેમકે ગંભીર પ્રકારના ગુન્હામાં જેલમાં બંધ મનિષા ગોસ્વામી જેલમાંથી નેટવર્ક ચલાવી રહી છે અને આવી અનેક યુવતીઓ સાથેની ટોળકી હજી સક્રિય છે તેના મજબુત પુરાવા પોલિસના હાથે લાગ્યા છે.

આ પણ વાંચો : દિલીપ આહીર આપઘાત કેસ, યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો હોવાનો આહીર સમાજનો આક્ષેપ, જુઓ Video

કચ્છમાં એક દાયકા કરતા પણ ઓછા સમયમાં ગંભીર પ્રકારના આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. અને કેટલાક કિસ્સા સામાજીક ડર અને રાજકીય દબાણમાં પ્રકાશમાંજ નથી આવ્યા ત્યારે ખરેખર આ આખા મામલાની ઉંડાણથી તપાસ કરવામાં આવે તો ભોગ બનનારનુ મોટુ લીસ્ટ સામે આવશે તે એટલુજ સત્ય છે. ત્યાર જોવુ રહ્યુ જેન્તી ભાનુશાળી સીડીકાંડમા સામેલ મનિષા ગોસ્વામીના નવા કાંડનો છેડો ક્યા પહોંચે છે.

કચ્છ જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">