AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kutch : મુન્દ્રામાં નર્મદા કેનાલમાં ડુબવાથી પાંચ લોકોના મોત, ભાજપે પ્રચાર અટકાવ્યો, શક્તિસિંહે સહાયની માંગ કરી

ગુજરાતમાં આજે ચુંટણીનો માહોલ જામ્યો છે અને કચ્છમાં પણ મુખ્યમંત્રીની ઉપસ્થિતી વચ્ચે મુન્દ્રા અને નલિયામાં પ્રચાર અભિયાનનો પ્રારંભ કરાયો હતો જો કે તે વચ્ચે આજે મુન્દ્રાના ગુંદાલા નજીક બનેલી એક ધટનાએ કચ્છ સહિત સમગ્રુ ગુજરાતમાં અરેરાટી ફેલાવી છે આજે મુન્દ્રાના સાડાઉ ગામના અને ગુંદાલા વાડીમાં રહેતા એકજ પરિવારના 5 સભ્યોના નર્મદા કેનાલમાં ડુબી જવાથી મોત થઇ ગયા છે.

Kutch : મુન્દ્રામાં નર્મદા કેનાલમાં ડુબવાથી પાંચ લોકોના મોત, ભાજપે પ્રચાર અટકાવ્યો, શક્તિસિંહે સહાયની માંગ કરી
Kutch Narmada Canal 01
Jay Dave
| Edited By: | Updated on: Nov 14, 2022 | 10:59 PM
Share

ગુજરાતમાં આજે ચુંટણીનો માહોલ જામ્યો છે અને કચ્છમાં પણ મુખ્યમંત્રીની ઉપસ્થિતી વચ્ચે મુન્દ્રા અને નલિયામાં પ્રચાર અભિયાનનો પ્રારંભ કરાયો હતો જો કે તે વચ્ચે આજે મુન્દ્રાના ગુંદાલા નજીક બનેલી એક ધટનાએ કચ્છ સહિત સમગ્રુ ગુજરાતમાં અરેરાટી ફેલાવી છે આજે મુન્દ્રાના સાડાઉ ગામના અને ગુંદાલા વાડીમાં રહેતા એકજ પરિવારના 5 સભ્યોના નર્મદા કેનાલમાં ડુબી જવાથી મોત થઇ ગયા છે. મોડી સાંજે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર કચ્છમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આજે સાંજે વાડી તરફ જઇ રહેલો પરિવારની એક યુવતી પાણી ભરવા માટે કેનાલમાં ગઇ હતી અને ડુબવા લાગી હતી અને ત્યાર બાદ તેને બચાવવા જતા પરિવારના અન્ય 4 સભ્યો પણ ડુબી ગયા હતા. લાંબી મહેનત બાદ તમામ મૃતદેહને  બહાર કાઢી લેવાયા છે. અને પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. સુરક્ષા વગરની ખુલ્લી કેનાલમાં ડુબી જવાની ધટનામાં બેદરકારી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

ભાજપે પ્રવાસ સ્થગિત કર્યો કોંગ્રેસની સહાયની માંગ

આ ઘટનાની જાણ થતા પોલીસ તથા બચાવ કાર્ય ટીમ સાથે રાજકીય સામાજીક આગેવાનો પણ પ્રચાર વચ્ચે ત્યા દોડી ગયા હતા. ભાજપના મહામંત્રી અને વર્તમાન માંડવી બેઠકના ઉમેદવાર અનિરૂધ્ધ દવે એ પ્રવાસ સ્થગીત કરી ધટના સ્થળે દોડી ગયા હતા અને બચાવકાર્યમાં જોડાયા હતા. તો ત્યાર બાદ હોસ્પિટલમાં પણ પરિવારના દુખમાં સહભાગી થયા હતા. તો બીજી તરફ કોગ્રેસના રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરી ધટના અંગે દુખ વ્યક્ત કર્યુ હતુ અને સરકાર તથા મુખ્યમંત્રીને ત્વરીત સહાય આપવા માટેની માંગ કરી હતી.

મૃતકોમાં કલ્યાણ દામજી સથવારા,લીલાબેન કલ્યાણ સથવારા,રાજુ ખીમાભાઇ સથવારા,સવિતાબેન રાજુભાઇ સથવારા તથા રસિલા દામજી સથવારાનો સમાવેશ થાય છે. મૃત્કોમાં એક કિશોરી બે યુવતી અને બે યુવકોનો સમાવેશ થાય છે. આવતીકાલે તમામની અંતિમવિધિ થશે કચ્છમાં ઘટનાથી શોક ફેલાયો છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">