Junagadh: શિવરાત્રિનાં મેળામાં ચાર દિવસમાં 8 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા, કાલે શાહીસ્નાન સાથે મેળો પૂર્ણ થશે

શિવરાત્રિના મેળાના ચોથા દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા આનંદ ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. દરમિયાન આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ જૂનાગઢ આવી પહોંચ્યા હતા અને પૂજા-અર્ચના કરી સાધુ-સંતોના આશીર્વાદ લીધા હતા.

Junagadh: શિવરાત્રિનાં મેળામાં ચાર દિવસમાં 8 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા, કાલે શાહીસ્નાન સાથે મેળો પૂર્ણ થશે
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 7:55 PM

ભવનાથમાં ચાલી રહેલા શિવરાત્રિના મેળામં ભાવિકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ચોથા દિવસે આંકડો 8 લાખને વટાવી ગયો હતો. આવતીકાલે મંગળવારે શિવરાત્રિ (Shivratri) ના રોજ મેળાનો અંતિમ દિવસ હશે. કાલે રાત્રે દિગમ્બર સાધુઓની રવાડી નીકળશે અને ભવનાથ (Bhavnath) મંદિરે મૃગી કુંડમાં શાહીસ્નાન કરશે. આ સ્નાન બાદ મેળો પૂર્ણ થશે.

સામાન્ય રીતે મેળાના પ્રથમ દિવસોમાં ટ્રાફિક જોવા મળતો નથી, પરંતુ ચાલુ વર્ષે પહેલાં દિવસથી જ ટ્રાફિક (Traffic) રહ્યો હતો. બપોર બાદ મેળામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. શિવરાત્રિનાં મેળાના ચાર દિવસમાં 8 લાખ કરતાં વધુ ભાવિકોએ મેળાની મોજ માણી છે. આ સંખ્યા હજુ વધવાની છે. ચાલુ વર્ષે મેળામાં 12 લાખ કરતાં વધુ ભાવિકો આવવાનો અંદાજ છે.

છેલ્લા દિવસોમાં ટ્રાફિક વધતાં સાંજથી ભવનાથ જવા માટે તમામ વાહનનો પ્રવેશ બંધ કરી દેવામાં આવે છે. લોકો ગીરનાર દરવાજા, ભરડાવાવથી ચાલીને ભવનાથ પહોંચે છે. આવતીકાલ મેળાનો અંતિમ દિવસ છે. મોટી સ્યામાં લોકો મેળામાં ઉમટી પડવાની સંભાવનાને પગલે ખાસ વ્યવસ્થા ગોઠવા દેવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

શિવરાત્રીમા મેળામાં અંતિમ દિવસે નીકળનારી રવાડી સૌથી મોટું આકર્ષણ હોય છે. દિગમ્બર સાધુની રવાડીના દર્શન કરવાનું અનેરૂ મહત્ત્વ છે. ત્યારે મોટી સંખ્યામાં લોકોની ભીડ થતી હોય છે. રવાડીના દર્શન કરી શકાય તે માટે આવતીકાલે સાંજથી જ લોકો રવાડીના રૂટની આસપાસ ગોઠવાઈ જશે.

શિવરાત્રિનાં દિવસે એટલે કે મેળાના અંતિમ દિવસે ભવનાથમાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતાં હોય છે ત્યારે બપોર બાદ વાહનને પ્રવેશ નહીં મળે. જો કે ટ્રાફિક વધતાં આ નિર્ણય વહેલો પણ કરવામાં આવે તેવી શક્યતા છે. આજે સવારથી જૂનાગઢ તરફ આવતા તમામ પ્રકારના વાહનમાં ભીડ જોવા મળી હતી. બસ, ખાનગી બસ, ટ્રેન, રિક્ષાઓ ભરાઈ ભરાઈને આવતા હતાં.

જૂનાગઢમાં ભવનાથ ખાતે બે વર્ષ બાદ યોજાઈ રહેલા શિવરાત્રીનો મેળો સોળે કળાઓ ખીલ્યો છે. હૈયે-હૈયું દળાઇ તેટલી જનમેદની ઉમટી રહી છે. શિવરાત્રિના મેળાના ચોથા દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા આનંદ ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. દરમિયાન આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જૂનાગઢ આવી પહોંચ્યા હતા અને ભવનાથમાં મુખ્યમંત્રીએ પૂજા-અર્ચના કરી સાધુ-સંતોના આશીર્વાદ લીધા હતા.

મુખ્યમંત્રી આજ રોજ સવારે 9 કલાકે ભવનાથ મંદિર ખાતે દર્શન-પુજન બાદ 9-40 કલાકે ગોરક્ષનાથ આશ્રમ પહોચ્યા હતા . ત્યારબાદ ભારતી આશ્રમ ખાતે ધર્મોત્સવમાં સહભાગી થવા સાથે ભારતીબાપુના સમાધીસ્થળના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી 10-50 કલાકે રૂદ્રેશ્વરજાગીર ભારતી આશ્રમની મુલાકાત લઇ સંતો-મહંતોના આશીર્વાદ લીધા હતા. મોરારિ બાપુએ પણ મેળામાં હાજરી આપી હતી.

આ પણ વાંચો : GSRTCમાં કંડક્ટરની ભરતીમાં ઉંચાઈમાં અગાઉ પાસ થયેલા 600 ઉમેદવારોને નાપાસ કરી કૌભાંડ થયાનો આક્ષેપ

આ પણ વાંચો : Surat: મહાનગરપાલિકા દ્વારા 80 ધન્વંતરી રથ મંગળવારથી બંધ કરવામાં આવશે

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">