આજની ઇ-હરાજી : જૂનાગઢના તળાવ દરવાજા પાસે ઓછી કિંમતમાં દુકાન ખરીદવાની તક, જાણો શું છે વિગત
TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત
જૂનાગઢ: ગુજરાતના જૂનાગઢના તળાવ દરવાજા વિસ્તારમાં Aadhar Housing Finance Ltd દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. તળાવ દરવાજા વિસ્તારમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે દુકાનના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે. સંવાદ કોમ્પલેક્સમાં આવેલી દુકાન નંબર A-59ની ઇહરાજી રાખવામાં આવી છે.
આ પણ વાંચો- આજની ઇ-હરાજી : અમરેલીના સાવરકુંડલામાં ઓછી કિંમતમાં ખરીદી શકાશે પ્લોટ, જાણો શું છે વિગત
તેની રિઝર્વ કિંમત 5,50,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ રિઝર્વ કિંમતના 25 ટકા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 8 ડિસેમ્બર 2023, શુક્રવારે સાંજે 5 કલાકની છે. તો ઇ-હરાજીની તારીખ ખાનગી ટ્રીટીની અંદર જણાવવામાં આવી છે.