AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : વ્યાજનું પણ વ્યાજ આપવા છતા વ્યાજખોરો કરતા હતા પરેશાન, આપઘાત કરનાર વેપારીના પરિવારે કરી ન્યાયની માગ

Junagadh News : મૃતક વેપારીએ વ્યાજખોરો પાસેથી રૂપિયા 12 લાખ વ્યાજે લીધા હતા અને તમામ રકમ વ્યાજ સહિત ચૂકવી આપી હતી. પરંતુ વ્યાજખોરોએ વેપારી પાસે વ્યાજનું પણ વ્યાજ લગાવી આકરી ઉઘરાણી શરૂ કરી હતી.

Gujarati Video : વ્યાજનું પણ વ્યાજ આપવા છતા વ્યાજખોરો કરતા હતા પરેશાન, આપઘાત કરનાર વેપારીના પરિવારે કરી ન્યાયની માગ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2023 | 12:54 PM
Share

જુનાગઢના કેશોદમાં વ્યાજખોરોના ત્રાસે વધુ એક વેપારીનો ભોગ લેવાયો છે. વ્યાજખોરના ત્રાસથી કેશોદના વેપારીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો છે. વેપારીએ સુસાઇડ નોટમાં ચાર વ્યાજખોરના નામ લખ્યા હતા. જે વેપારીને વધારે પૈસા માટે ત્રાસ આપતા હતા. મૃતકના ખિસ્સામાંથી મળેલી સુસાઈડ નોટમાં કેટલાક વ્યાજખોરોનો ઉલ્લેખ છે. જેમાં એવું લખ્યું છે કે કેટલાક વ્યાજખોરો રૂપિયાની ઉઘરાણી કરીને મારી નાંખવાની સતત ધમકી આપતા હતા.

વ્યાજે લીધેલા લાખો રુપિયા ચુકવી દીધા હતા

મૃતક વેપારીએ વ્યાજખોરો પાસેથી રૂપિયા 12 લાખ વ્યાજે લીધા હતા અને તમામ રકમ વ્યાજ સહિત ચૂકવી આપી હતી. પરંતુ વ્યાજખોરોએ વેપારી પાસે વ્યાજનું વ્યાજ લગાવી આકરી ઉઘરાણી શરૂ કરી હતી અને વેપારીને મરવા મજબૂર કર્યો હતો. વેપારીની સુસાઈડ નોટમાં પ્રવીણ રબારી, ભાવેશ રબારી, રાજુ રબારી અને અજિત આહિરના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે સુસાઈડ નોટના આધારે વધુ તપાસ હાથધરી છે.

પરિવારમાં શોકનો માહોલ

તો બીજી તરફ પરિવારના મોભીએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લેતા પરિવાર શોકમગ્ન બન્યો છે. સાથે જ વ્યાજખોરોને ઝડપી તંત્ર ન્યાય અપાવે તેવી માગ કરી છે.

નોંધનીય છે કે રાજ્યમાં ચાલુ વર્ષે જાન્યુઆરી માસમાં વ્યાજખોરો સામે મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી અને નાગરિકોને નિર્ભય બનીને વ્યાજખોરો અંગે જાણ કરવા પણ કહેવામાં આવ્યું હતું. તેમજ સરકાર અને પોલીસ દ્વારા જરૂરિયાતમંદોને લોન આપવાની પહેલ કરી વ્યાજના વિષચક્રમા ન ફસાવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. વ્યાજખોરો સામે લાલ આંખ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ જણાવ્યું હતું કે વ્યાજખોરોને રાજય બહાર તગેડી મૂકવામાં આવશે.

રાજ્ય વ્યાપી ડ્રાઈવ દરમિયાન 847 FIR દાખલ કરાઈ

ગુજરાત પોલીસે વ્યાજના વિષચક્રને તોડવા ખાસ અભિયાન ચલાવ્યું હતું. રાજ્યભરમાં પોલીસે 3500 જેટલા લોકદરબાર યોજ્યા. આ લોકદરબારમાં 1.29 લાખથી વધુ વ્યક્તિઓ સહભાગી થયા હતા અને પોતાની વેદના રજૂ કરી પોલીસે કરેલી કાર્યવાહીથી હજારો લોકોને વ્યાજના દૂષણમાંથી બચાવાયા પોલીસની રાજ્ય વ્યાપી ડ્રાઈવ દરમિયાન 847 FIR દાખલ કરાઈ હતી.

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">