Junagadh: ભારે પવનને કારણે સતત પાંચમા દિવસે ગિરનાર રોપવે બંધ
ગીરનાર પર્વત પર ભારે પવનને કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગીરનાર રોપવે (Girnar ropeway) બંધ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે,ગીરનાર પર્વત પર પવનની ગતિ ધીમી થયા બાદ રોપવે ફરીથી શરૂ કરવામાં આવશે.
પ્રસિદ્ધ ગીરનાર પર્વત પર ગીરનાર રોપવે (Girnar ropeway)છેલ્લા 4 દિવસથી બંધ છે,ત્યારે આજે સતત પાંચમા દિવસે પણ ગિરનાર રોપ વે બંધ રાખવાની ફરજ પડી છે.ઉલ્લેખનીય છે કે,ભારે પવનને કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગીરનાર રોપવે (Girnar ropeway) બંધ કરવામાં આવ્યો છે. પવનની ગતિ ધીમી થયા બાદ રોપવે ફરીથી શરૂકરવામાં આવશે. ગીરનાર રોપવે બંધ હોવાથી હાલ પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
મહત્વનું છે કે, ચોમાસાની ઋતુને (Monsoon Season) કારણે ગીરનાર પર્વતની (Girnar) સુંદરતા નિહાળવા માટે પ્રવાસીઓ ઉમટતા હોય છે. પરંતુ રોપવે બંધ હોવાથી પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
આ પણ વાંચો: Kutch: ડ્રગ્સ કેસમાં વોન્ટેડ માંડવીના શકિલ સુમરાની ગુજરાત ATS એ દિલ્હીથી કરી ધરપકડ, 8 દિવસના રીમાન્ડ મંજુર