લો બોલો ! ચોમાસુ બેસી ગયુ છતા જામનગરમાં હજુ ચાલુ છે પ્રિમોન્સૂન કામગીરી, પાલિકાએ કોન્ટ્રાક્ટર્સને ફટકારી નોટિસ

ચાર એજન્સી દ્વારા કામગીરી યોગ્ય રીતે ના કરાતા ચારેય એજન્સીઓને જામનગર મહાનગર પાલિકા (Jamnagar Municipal Corporation) દ્વારા નોટિસ આપવામાં આવી છે.

લો બોલો ! ચોમાસુ બેસી ગયુ છતા જામનગરમાં હજુ ચાલુ છે પ્રિમોન્સૂન કામગીરી, પાલિકાએ કોન્ટ્રાક્ટર્સને ફટકારી નોટિસ
જામનગર મનપાએ ચાર કોન્ટ્રાકટર્સને ફટકારી નોટિસ
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jun 15, 2022 | 5:47 PM

જામનગર (Jamnagar) શહેરમાં ચોમાસુ બેસતા પહેલા જ તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરી (Premonsoon work) શરુ કરવામાં આવી, પરંતુ વરસાદના (Rain) આગમન બાદ પણ અનેક સ્થળોએ હજુ કામગીરી ચાલી રહી છે. જામનગરમાં કેનાલોમાં કચરાના ઢગલા જોવા મળે છે. વિપક્ષનો આક્ષેપ છે કે માત્ર દેખાવ પુરતી કામગીરી કરીને લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. પરંતુ કામગીરી યોગ્ય રીતે ન થતા વરસાદ વખતે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

ચાર કોન્ટ્રાકટર એજન્સીઓને અપાઇ નોટિસ

જામનગર મહાનગરપાલિકા દ્વારા કુલ 62 લાખનો ખર્ચ કરીને 11 વિવિધ એજન્સીઓને પ્રિમોન્સૂનનું કામ આપવામાં આવ્યુ હતુ. જે પછી આશરે 35 કિમીના વિસ્તારમાં આવેલા કેનાલની સફાઈની કામગીરી કરવામાં આવી છે. પરંતુ ચાર એજન્સી દ્વારા કામગીરી યોગ્ય રીતે ના કરતા ચાર કોન્ટ્રાકટર એજન્સીઓને મહાનગર પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. પ્રિમોન્સૂનની કામગીરી અંગે કમીશનર, ડેપ્યુટી કમિશનર, કાર્યપાલક ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજનેર, સહિતના અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી. એક માસ પહેલાથી આયોજન કરીને કામગીરી શરૂ કરવામાં આવી હતી.પરંતુ નિયત સમયે કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી.

વિપક્ષની આંદોલન કરવાની ચીમકી

હાલ અનેક કેનાલમાં કચરાના ઢગ જોવા મળે છે. મનપાના વિપક્ષ નેતા આનંદ રાઠોડનો આક્ષેપ છે કે તંત્ર માત્ર કાગળ પર અને દેખાવ પુરતી કામગીરી કરી છે. વાસ્તવમાં કોઈ યોગ્ય રીતે કામગીરી થતી નથી. જેના કારણે કેનાલોમાં કચરો ભરાયેલો છે. વરસાદ થાય ત્યારે પાણી નિકાલ ન થાય તો નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય છે અને લોકો મુશ્કેલીમાં મુકાય છે. વિપક્ષના નેતા આનંદ રાઠોડ દ્વારા કામગીરી યોગ્ય રીતે કરે તો બીલની ચુકવણી કરવાની માગ કરી છે. યોગ્ય રીતે કામગીરી નહી થાય તો આ મુદ્દે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

પ્રીમોન્સૂનની કામગીરીને લઇને અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. સ્થળ મુલાકાત બાદ અધિકારીએ જણાવ્યુ કે, 15 જુન સુધીમાં કામ પુર્ણ કરવાનો અંદાજ હતો. પણ હાલ કામ ચાલુ છે. આ કામગીરી 20 જુન સુધી કાર્યરત રહેશે અને જરૂર હોય ત્યાં વરસાદ વખતે પણ કામગીરી કરવામાં આવશે. સફાઈ બાદ પણ કયાંય ફરી કચરો હોય ત્યાં યોગ્ય કામગીરી કરવાની અધિકારીએ ખાતરી આપી છે. સાથે જ ચાર એજન્સીઓને નોટિસ આપવામાં આવી છે.

દર વર્ષે પ્રીમોન્સુન માટે લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે. કામગીરી પણ થાય છે. આમ છંતા થોડા જ વરસાદમાં અનેક સોસાયટીમાં પાણી ભરાયા હોવાની ફરીયાદો ઉઠે છે. વરસાદ સમયે લોકો મુશકેલીમાં મુકાય છે..ત્યારે જરૂરી છે, આયોજન મુજબ યોગ્ય કામગીરી નિયત સમયે પૂર્ણ થાય.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">