એક દિવસના અંતરાલમાં પીએમ મોદી આજે ફરી આવશે ગુજરાત, જામનગરમાં રાત્રિરોકાણ અને આવતીકાલે દ્વારકા, રાજકોટમાં હજારો કરોડના વિકાસકામોની આપશે સોગાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીએ અમદાવાદ, મહેસાણા અને નવસારીની મુલાકાત હતા જે બાદ તેઓ ફરી 24મીની રાત્રે ફરી ગુજરાત આવી રહ્યા છે. જામનગરમાં રાત્રિરોકાણ બાદ સવારે સીધા દ્વારકા જશે જ્યાં દ્વારકાધિશના દર્શન કર્યા બાદ આઈકોનિક સુદર્શન સેતુનું ઉદ્દઘાટન કરશે. જે બાદ રાજકોટમાં સમગ્ર સૌરાષ્ટ્રને સ્પર્શતા હજારો કરોડના વિકાસકામોની સોગાત પીએમ મોદી આપશે.

એક દિવસના અંતરાલમાં પીએમ મોદી આજે ફરી આવશે ગુજરાત, જામનગરમાં રાત્રિરોકાણ અને આવતીકાલે દ્વારકા, રાજકોટમાં હજારો કરોડના વિકાસકામોની આપશે સોગાત
Follow Us:
| Updated on: Feb 24, 2024 | 8:09 PM

એક દિવસના અંતરાલ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી તેમના હોમસ્ટેટ ગુજરાત આવી રહ્યા છે. તેમના સ્વાગત માટે જામનગર, રાજકોટ અને દ્વારકામાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. પીએમ મોદી તેમના આ પ્રવાસ દરમિયાન વિકાસકામોની વણઝાર લગાવશે. પીએમ મોદી લોકસભા ચૂંટણી પહેલા ઝંઝાવાતી પ્રચાર માટે નીકળી પડ્યા છે.

22 ફેબ્રુઆરીએ અમદાવાદ, મહેસાણા અને નવસારીની મુલાકાત બાદ તેઓ 24મીની રાત્રે ફરી ગુજરાત આવી રહ્યા છે. જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રિ રોકાણ કરશે અને 25મીની સવારે તેઓ દ્વારકા જશે. પીએમના સ્વાગત માટે દ્વારકા નગરીને ભવ્ય રીતે શણગારવામાં આવી છે. 25 ફેબ્રુઆરીએ પીએમ મોદી સૌરાષ્ટ્રને કરોડોના વિકાસકામોની યોજનાઓની સોગાત આપશે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

પીએમ મોદી સવારે 7.45 વાગ્યે દ્વારકાધીશના કરશે દર્શન

ત્યારબાદ 8.25 મિનિટે પીએમ મોદી સિગ્નેચર બ્રિજનું ઉદ્દઘાટન કરશે. અહીંના લોકોની માગને ધ્યાનમાં રાખીને સિગ્નેચર બ્રિજનું નવુ નામ સુદર્શન સેતુ રાખવામાં આવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 1 વાગ્યે દ્વારકામાં એક બેઠકમાં પણ સામેલ થશે અને કરોડો રૂપિયાની યોજનાનું ખાતમુહૂર્ત કરશે.

આ પહેલા પીએમ મોદીએ તેમની રાજકોટ મુલાકાત પહેલા એક્સ પર પ્રતિક્રિયા આપી.  “મારા હૃદયમાં રાજકોટનું હંમેશા વિશેષ સ્થાન રહેશે. આ શહેરના લોકોએ જ મારામાં વિશ્વાસ મૂક્યો અને મને પહેલીવાર ચૂંટણીમાં જીત અપાવી. ત્યારથી, મેં હંમેશા જનતા જનાર્દનની આકાંક્ષાઓને ન્યાય આપવાનું કામ કર્યું છે. તે પણ એક સુખદ સંયોગ છે કે હું આજે અને આવતીકાલે ગુજરાતમાં હોઈશ, અને એક કાર્યક્રમ રાજકોટમાં યોજાઈ રહ્યો છે, જ્યાંથી 5 એઈમ્સ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે.”

રાજકોટમાં પીએમ મોદીના અનેક કાર્યક્રમોમાં સામેલ થશે. જેમા તેઓ 48000 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરશે. ત્યારબાદ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જનસભાનું આયોજન કરાયુ છે. આ જનસભામાં દોઢ લાખ જેટલા લોકોના સામેલ થવાની આશા સેવાઈ રહી છે.

ગુજરાતની સૌથી મોટી જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરશે

25મીએ પીએમ મોદી માત્ર રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતને અનેક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. રાજકોટમાં ગુજરાતની સૌપ્રથમ એઈમ્સનું પીએમ મોદી ઉદ્દઘાટન કરશે. 750 બેડની ક્ષમતાવાળી રાજકોટ એઈમ્સમાં આમ જનતાને આંતરરાષ્ટ્રીય સ્તરની મેડિકલ સુવિધાઓ સસ્તા દરેથી મળશે. પીએમ મોદી રાજકોટમાં બનેલી ગુજરાતની સૌથી મોટી જનાના હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે. આ સાથે જ રાજકોટ, સુરેન્દ્રનગર રેલવે ડબલ ટ્રેકનું લોકાર્પણ કરશે.

આ પણ વાંચો: બ્રિટનની સંસદમાં ગર્જી કાશ્મીરી એક્ટિવિસ્ટ યાના મીર, હું મલાલા નથી, કાશ્મીરમાં સુરક્ષિત છુ કહીને પાકિસ્તાનની કાઢી ઝાટકણી- સાંભળો પુરો વીડિયો

આપને જણાવી દઈએ કે 22 ફેબ્રુઆરીએ પીએમ મોદીએ ભરૂચ-વડોદરા હાઈવેનું ઉદ્દઘાટન કર્યુ હતુ. આ એક્સપ્રેસવેના શરૂ થવાથી વડોદરાથી ભરૂચનું અંતર 100 કિલોમીટર જેટલુ ઘટી ગયુ ઠે, સ્થાનિક ઉદ્યોગકારો અને આમજનતાને આ એક્સપ્રેસવે બનવાથી અનેક લાભ થશે. ભરૂચ વડોદરા હાઈવે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનો હિસ્સો છે. જે હજુ નિર્માણાધિન છે.

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">