AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નલ સે જલ યોજનાને જામનગરમાં મળ્યો વેગ, 3 વર્ષમાં 7000 જોડાણ આપ્યા બાદ, આ વર્ષે નવા 3000 જોડાણ અપાશે

Jamnagar: જામનગરમાં નલ સે જલ યોજના અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં 7240 નવા નળ કનેક્શન આપવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત ચાલુ વર્ષે 3 હજાર નવા નળ કનેક્શન આપવાનું જામનગર મનપાનું આયોજન છે. જેના માટે 30 કરોડના ખર્ચે નવી પાણીની પાઈપ લાઈન નાખવાની કામગીરી શરૂ છે.

નલ સે જલ યોજનાને જામનગરમાં મળ્યો વેગ, 3 વર્ષમાં 7000 જોડાણ આપ્યા બાદ, આ વર્ષે નવા 3000 જોડાણ અપાશે
Divyesh Vayeda
| Edited By: | Updated on: Mar 13, 2023 | 2:12 PM
Share

જામનગર શહેરમાં મહાનગર પાલિકાના વોટર વર્ક શાખા દ્રારા હાલ નવા નળ કનેકશન આપવાની કામગીરી ચાલી રહી છે. આગામી એક વર્ષમાં કુલ 3 હજાર જેટલા નવા નળ કનેકશન આપીને મહાનગર પાલિકાની વર્ષે 1 કરોડની આવકમાં વધારો કરવાનુ આયોજન વોટર વર્ક શાખા દ્રારા કરવામાં આવ્યુ છે. જામનગર શહેરમાં મહાનગર પાલિકાની વોટર ચાર્જની વાર્ષિક આવક અંદાજે 30 કરોડ છે.

ચાલુ વર્ષે 3000 નવા નળ કનેક્શન આપવાનું આયોજન

સ્વર્ણિમ જયંતિની નલ સે જલની યોજના મુજબ નવા ભળેલા વિસ્તારોમાં પાણીની પાઈપ લાઈનનુ કામ કરીને વિસ્તારોમાં નળથી જળ આપવાની કામગીરી ચાલે છે. અંદાજે 30 કરોડના ખર્ચે નવી પાણીની પાઈપ લાઈન નાખવાની કામગીરી હાલ ચાલી રહી છે. અંદાજે કુલ 145 કિમીની પાણીની પાઈપ લાઈન નાખવાનુ આયોજન છે. તૈ પૈકી હાલ સુધીમાં 100 કીમીની પાણીની પાઈપ લાઈનનુ કામ પુર્ણ થયુ છે. હજુ 45 કિમીની પાણીની પાઈપ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. જે વિસ્તારમાં પાણીની પાઈપ લાઈન નખાઈ રહી છે તે વિસ્તારમાં લોકોને નવા નળ કનેકશન આપીને પાણી આપવાની કામગીરી ચાલી રહી છે.

ત્રણ હજાર નળ કનેક્શન દ્વારા મનપાને થશે વર્ષે 1 કરોડની આવક

છેલ્લા ત્રણ વર્ષમાં 7 હજારથી વધુ નવા નળ કનેકશન આપવામાં આવ્યા છે. હજુ એક વર્ષમાં કુલ 3 હજાર જેટલા નળ કનેકશન આપવામાં આવશે. વર્ષ 2020-21માં 1395 નવા નળ કનેકશન આપવામાં આવ્યા. વર્ષ 2021-22માં 4450 નવા નળ કનેકશન આપવામાં આવ્યા. અને વર્ષ 2022-23માં 1395 નવા નળ કનેકશન આપીને પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યુ. કુલ ત્રણ વર્ષમાં 7240 નવા નળ કનેકશન આપવામાં આવ્યા છે. ચાલુ વર્ષ 2023-24માં અંદાજે 3 હજાર નવા નળ કનેકશના આપવાનુ આયોજન છે.

આ પણ વાંચો: જામનગરમાં સરકારી મિલકતોનો 18 લાખનો વેરો બાકી, વિપક્ષે આકરા આક્ષેપ કરતા કહ્યું કે 331 કરોડની ઉઘરાણી બાકી

નવા કનેક્શન મળતા ટેન્કરનો ખર્ચ ઓછો થશે

છેલ્લા કેટલાક વર્ષોથી શહેરમાં નવા ભળેલા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા તરીકે પીવાના પાણી માટે ટેન્કર દ્રારા પાણી વિતરણ કરવામાં આવે છે. શહેરમાં કુલ 78 ટેન્કરના ફેરાથી પાણી વિતરણ થાય છે. જે નવા ત્રણ હજાર નળ કનેકશન આપવામાં આવતા મોટાભાગના ટેન્કરના ફેરા ઓછા કરવામા આવશે અને નળ કનેકશન આપવામાં આવતા પાણી પાઈપ લાઈનથી વિતરણ કરાશે. જેનાથી ટેન્કરનો ખર્ચ ઓછો થશે અને મહાનગર પાલિકાને પાણીના વોટર ચાર્જની અંદાજે 1 કરોડની આવકમાં વધારો થશે. તેવો અંદાજ હોવાનુ વોટર વર્ક શાખાના કાર્યપાલક ઈજનેર નરેશ પટેલ જણાવ્યુ છે.

Follow Us
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
દમણમાં ઊછળ્યા 10 ફૂટ ઊંચા મોજા, પ્રવાસીઓને દરિયાકિનારે ન જવા સૂચના
દમણમાં ઊછળ્યા 10 ફૂટ ઊંચા મોજા, પ્રવાસીઓને દરિયાકિનારે ન જવા સૂચના
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર
હવામાન વિભાગે સાંજના 7 વાગ્યા સુધી જાહેર કર્યું નાઉકાસ્ટ
હવામાન વિભાગે સાંજના 7 વાગ્યા સુધી જાહેર કર્યું નાઉકાસ્ટ
નવજાત બાળકની માતા શકુંતલા વસાવાને હાઈકોર્ટમાંથી મળ્યા જામીન
નવજાત બાળકની માતા શકુંતલા વસાવાને હાઈકોર્ટમાંથી મળ્યા જામીન
અમેરિકામાં ગુજરાતી પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત, જુઓ Video
અમેરિકામાં ગુજરાતી પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત, જુઓ Video
5 સિસ્ટમ સક્રિય, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી
5 સિસ્ટમ સક્રિય, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી
માંજલપુર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત, યોગેશ પટેલની ખાલી સીટ પર મતદાન
માંજલપુર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત, યોગેશ પટેલની ખાલી સીટ પર મતદાન
નવસારીમાં રસ્તાની વચ્ચો વચ પડ્યો મસ મોટો ભૂવો
નવસારીમાં રસ્તાની વચ્ચો વચ પડ્યો મસ મોટો ભૂવો
મોતનો કૂવો બની ખુલ્લી ગટર, જુઓ CCTV ફૂટેજ
મોતનો કૂવો બની ખુલ્લી ગટર, જુઓ CCTV ફૂટેજ
g clip-path="url(#clip0_868_265)">