AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : શહેરમાં મહાનગર પાલિકા દ્વારા ઈમારતોનું કરાયું સર્વે, 129 જર્જરિત ઈમારત માલિકોને આપી નોટિસ

જામનગર મહાનગર પાલિકા દ્રારા દર વર્ષે ઈમારતોનું સર્વે કરવામા આવે છે. ત્યારબાદ વખતો વખત નોટિસ આપવામા આવે છે. આ વર્ષે પણ આવી ઈમારતો પડવાના વાંકે ઉભી છે. કયાંક મકાનોમાં તિરાડો, કયાંક નજરે ચડતા બીલ્ડીંગમા સળીયા, કયાંક મોટા પોપળા જોવા મળે છે.

Jamnagar : શહેરમાં મહાનગર પાલિકા દ્વારા ઈમારતોનું કરાયું સર્વે, 129 જર્જરિત ઈમારત માલિકોને આપી નોટિસ
Jamnagar
Divyesh Vayeda
| Edited By: | Updated on: May 16, 2023 | 1:08 PM
Share

જામનગર   ( Jamanagar ) શહેરમા અનેક ઈમારતો ખંડેર હાલતમાં છે. મહાનગર પાલિકા દ્રારા દર વર્ષે ઈમારતોનું સર્વે કરવામા આવે છે. ત્યારબાદ વખતો વખત નોટિસ આપવામા આવે છે. આ વર્ષે પણ આવી ઈમારતો પડવાના વાંકે ઉભી છે. કયાંક મકાનોમાં તિરાડો, કયાંક નજરે ચડતા બીલ્ડીંગમા સળીયા, કયાંક મોટા પોપળા જોવા મળે છે. જામનગર શહેરમાં અનેક ઈમારતો ભયજનક સ્થિતિમાં છે.

આ પણ વાંચો : Jamnagar: કાલાવડના બેડીયા ગામે થયેલ 7 લાખથી વધુ રકમની ચોરીનો ભેદ ઉકેલાયો, એક આરોપીની ધરપકડ અન્યની શોધખોળ શરૂ

કોઈ પણ સમયે આ ઈમારતો ધરાશાય થાય તેવી સ્થિતિમાં છે. મહાનગર પાલિકા દ્રારા સર્વે બાદ મકાન માલિકોને નોટિસ આપીને સંતોષ માનવામા આવે છે. પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પરંતુ આવી ઈમારતોના કારણે કોઈ અકસ્માત કે જાનહાની થાય તો જવાબદારી કોની ? કોઈ ઘટના બને ત્યાર બાદ તંત્ર દોડધામ કરે તે પહેલા ભયજનક ઈમારતો માટે યોગ્ય પગલા લે તે જરૂરી છે.

129 ઈમારતો જર્જરિત હાલતમાં

શહેરમાં અનેક જુની અને જોખમી ઈમારતો છે. જેમાં આ વર્ષ 129 જેટલી ઈમારતો છે. કેટલીક ઈમારતો જર્જરિત હાલતમાં જોવા મળે છે. જો આવી ઈમારતો ધરાશાયી તો અકસ્માત થઈ શકે છે. કોઈ દુર્ધટના બને તે પહેલા તંત્ર પગલા લે તેવી માંગ ઉઠી છે. માત્ર ગત વર્ષની ઈમારતોના માલિકોને માત્ર એક નોટિસ આપીને તંત્ર સંતોષ માની લે છે. પરંતુ બાદ કોઈ પગલા લેવાતા નથી. કોઈ ઈજા કે જાનહાનીના બનાવ બને તે પહેલા તેની સામે કાર્યવાહી કરવાની વિપક્ષના નેતા ધવલ નંદાએ માંગણી કરી છે.

જામનગર મહાનગર પાલિકા દ્રારા શહેરમા જર્જરિત ઈમારતોની સર્વેની કામગીરી કરવામાં આવી હતી. મનપાની 6 ટીમ દ્રારા સર્વે કરીને આવી મિલ્કતઘારકોને નોટિસ આપવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 129 ઈમારતો ભયજનક હોવાનું બહાર આવ્યુ છે. આવી ઈમારતના માલિકોને મહાનગર પાલિકા દ્રારા નોટિસો ફટકારવામા આવી છે. પરંતુ અનેક ઈમારતો મકાન માલિક અને ભાડુઆતના વિવાદમા યથાવત રહે છે. તંત્ર માત્ર નોટિસ આપીને સંતોષ માની છે.

 જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદની શાળાઓમાં ભરાયા વરસાદી પાણી! ખોખરા, હાટકેશ્વર,કાંકરિયા જળમગ્ન
અમદાવાદની શાળાઓમાં ભરાયા વરસાદી પાણી! ખોખરા, હાટકેશ્વર,કાંકરિયા જળમગ્ન
સુરતમાં વિયરકમ કોઝ-વે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video
સુરતમાં વિયરકમ કોઝ-વે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video
જૂનાગઢના માંગરોળ બંદરે 3 નંબરનું સિગ્નલ, દરિયો ગાંડોતૂર
જૂનાગઢના માંગરોળ બંદરે 3 નંબરનું સિગ્નલ, દરિયો ગાંડોતૂર
અમદાવાદ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા,જુઓ Video
અમદાવાદ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા,જુઓ Video
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
g clip-path="url(#clip0_868_265)">