Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : વગર વરસાદે રણજીતસાગર ડેમ છલકાયો, જાણો કેવી રીતે

થોડા દિવસ પહેલા વરસેલા વરસાદથી (Rain) રણજીતસાગર ડેમમાં (Ranjitsagar Dam) પાણીની આવક થઈ હતી, પરંતુ ડેમ છલકાયો ન હતો. જો કે હવે વગર વરસાદે ડેમ છલકાયો છે.

Jamnagar : વગર વરસાદે રણજીતસાગર ડેમ છલકાયો, જાણો કેવી રીતે
જામનગરનો રણજીતસાગર ડેમ છલકાયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 9:55 AM

જામનગર (Jamnagar) જિલ્લામાં હાલ વરસાદે વિરામ લીધો છે. ઘણા દિવસથી જિલ્લામાં આકરો તડકો અનુભવાઇ રહ્યો છે. જો કે આ સ્થિતિ વચ્ચે પણ જામનગર જિલ્લાનો રણજીતસાગર ડેમ (Ranjitsagar Dam) છલકાઇ ગયો છે. રણજીતસાગર ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોને આશા છે કે રણજીતસાગર ડેમ ઓવરફ્લો થતા પીવાના પાણીના પ્રશ્નનો અંત આવશે અને આ વર્ષે લોકોને પીવાના પાણી માટે સમસ્યા નહીં સર્જાય.

જામનગરને પીવાનું પાણી પૂરું પાડતો રણજીતસાગર ડેમ ઓવરફ્લો

ગુજરાતમાં ચોમાસુ અંતિમ ચરણમાં છે. ધીરે ધીરે તે ગુજરાતમાંથી વિદાય લઇ રહ્યુ છે. હાલમાં માત્ર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જ વરસાદ વરસી રહ્યો છે. જામનગર જિલ્લામાં પણ વરસાદે વિરામ લીધો છે. તેમ છતા જામનગર જિલ્લાનો રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો છે. ત્યારે તમને પ્રશ્ન થશે કે વરસાદ ન હોવા છતા રણજીતસાગર ડેમ ઓવરફ્લો કેવી રીતે થયો. તો તમને જણાવી દઇએ કે નર્મદાના નીરથી સૌની યોજના વડે અધૂરા ડેમને ભરવામાં આવ્યો છે. જેથી જામનગરને પીવાનું પાણી પૂરું પાડતો એક માત્ર રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો છે. જેથી આ વર્ષે જામનગરવાસીઓને પીવાના પાણીની સમસ્યા નહીં રહે.

જામનગરવાસીઓની સમસ્યા થઇ દૂર

થોડા દિવસ પહેલા વરસેલા વરસાદથી રણજીતસાગર ડેમમાં પાણીની આવક થઈ હતી, પરંતુ ડેમ છલકાયો ન હતો. જેથી તંત્ર દ્વારા સૌની યોજના હેઠળ ડેમમાં પાણી ભરવામાં આવ્યુ છે. રણજીત સાગર ડેમની કુલ સપાટી 27 ફૂટ છે અને ડેમ છલકાઇ ગયો છે. આ ડેમ રાજાશાહી સમયનો બનેલો છે અને તે સમગ્ર જામનગરવાસીઓને પીવાનું પાણી પુરુ પાડે છે. તેથી આ વર્ષે હવે લોકોને પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય તેવી લોકોને આશા છે.

ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને હીરા જડિત સોનાની વીંટીથી નવાજવામાં આવ્યા
વિરાટ કોહલીએ IPLમાં 'પ્લેયર ઓફ ધ મેચ' બની કેટલી કમાણી કરી ?
અભિનેતાએ પત્ની સામે કહ્યું મને 4 વખત લગ્ન કરવાની છૂટ છે, જુઓ ફોટો
IPLમાં ચીયરલીડર્સને કેટલો પગાર મળે છે ?
રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP
તુલસી પર અપરાજિતાનું ફૂલ ચઢાવાથી શું થાય છે?

આજથી સત્તાવાર કચ્છમાંથી ચોમાસાની વિદાય

હવે ગુજરાતમાં વરસાદ નહીં પડે. આજથી સત્તાવાર કચ્છમાંથી ચોમાસાની વિદાય થઈ છે. પરંતુ 23 અને 24 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જયારે અમદાવાદમાં 23 સપ્ટેમ્બરે છુટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શકયતા છે. ઉલ્લેખનીય છે કે, વરસાદની એક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં 23 અને 24 સપ્ટેમ્બરે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યકત કરી છે.

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
g clip-path="url(#clip0_868_265)">