AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામનગરઃ વિવિધ વેરાની રકમ ઉપર 75 ટકા લેખે વ્યાજમાફી યોજનામાં એક માસનો વધારો

બાકી પ્રોપર્ટી ટેકસ, વોટરચાર્જ તથા વ્યવસાય વેરામાં 'વ્યાજ રાહત યોજના' અંતર્ગત જાહેર થયેલ 75% વ્યાજમાફીની મુદત વધુ એક માસ માટે એટલે કે તા.30/4/2022 સુધી વધારો કરવામાં આવેલ છે.

જામનગરઃ  વિવિધ વેરાની રકમ ઉપર 75 ટકા લેખે વ્યાજમાફી યોજનામાં એક માસનો વધારો
JMC (File Image)
Divyesh Vayeda
| Edited By: | Updated on: Apr 06, 2022 | 7:56 PM
Share

Jamnagar: “વ્યાજ રાહત યોજના”ની મુદતમાં 1 (એક) માસનો વધારો, 2006થી ક્ષેત્રફળ આધારીત બાકી (TAX)મિલ્કત વેરા, વોટરચાર્જ તથા વ્યવસાય વેરાની રકમ ઉપર 75% લેખે વ્યાજ માફી યોજનામાં (Interest waiver scheme) એક માસનો વધારો.જામનગર શહેર હદમાં સમાવિષ્ટ થતી તમામ મિલ્કતોનાં મિલ્કતધારકોને જામનગર મહાનગરપાલિકાના મંજુર થયેલ જનરલ બોર્ડ ઠરાવ અનુસાર જે મિલ્કતોનો 2006થી અમલમાં આવેલ ક્ષેત્રફળ આધારીત પ્રોપર્ટી ટેકસની બાકી રોકાતી મિલકત વેરા તથા વોટરચાર્જની એકી સાથે 100% બાકી રકમ ભરપાઈ કરે તેવા મિલ્કતધારકો માટે તેમજ બાકી વ્યવસાય વેરાની સંપૂર્ણ રકમ ભરપાઇ કરનાર વ્યવસાયધારકો માટે 75% વ્યાજમાફીની મુદત તા.31/3/2022 સુધી જાહેર કરવામાં આવી હતી.

જામનગર મહાનગર પાલિકાની તા.30/3/2022ની મળેલ સ્થાયી સમિતીની બેઠકમાં લેવામાં આવેલ નિર્ણય તથા જનરલ બોર્ડની મંજુરીની અપેક્ષાએ બાકી પ્રોપર્ટી ટેકસ, વોટરચાર્જ તથા વ્યવસાય વેરામાં ‘વ્યાજ રાહત યોજના’ અંતર્ગત જાહેર થયેલ 75% વ્યાજમાફીની મુદત વધુ એક માસ માટે એટલે કે તા.30/4/2022 સુધી વધારો કરવામાં આવેલ છે.

આમ, ઉપરોકત 75% વ્યાજમાફીની મુદત માહે એપ્રિલ-2022 માટે (એક માસ માટે) છેલ્લી વખત વધારવામાં આવેલ હોય, આપનો બાકી મિલ્કતવેરો, વોટરચાર્જ તથા વ્યવસાય વેરાની બાકી રહેતી સંપૂર્ણ રકમ ભરપાઇ કરી વ્યાજનાં ભારણથી બચવા તથા શહેરનાં વિકાસકાર્યમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવે છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 ના વાર્ષિક મિલ્કત વેરા / વોટરચાર્જનાં બીલોની ડોર-ટુ-ડોર બજવણીની કામગીરી પૂર્ણ થનાર હોય, જે કરદાતાઓને બીલ ન મળેલ હોય તેઓ જુના બીલનો કોઇપણ આધાર સાથે રાખવાથી બીલની રકમ ભરપાઇ કરી શકશે. તેમજ જામનગર મહાનગર પાલિકાની વેબસાઇટ www.mcjamngar.com પરથી પણ બીલ ડાઉનલોડ કરી શકશે. મિલ્કત વેરા તથા વોટરચાર્જની રકમ જામનગર મહાનગરપાલિકાનાં (1) મુખ્ય કેશ કલેકશન વિભાગ (2) સરૂ સેકશન / રણજીતનગર / ગુલાબનગર સીટી સીવીક સેન્ટર ખાતે ભરપાઇ કરી શકાશે. તેમજ જામનગર શહેરની એચ.ડી.એફ. સી. બેંક, નવાનગર કો-ઓપરેટીવ બેંક, આઇ.ડી.બી.આઇ. બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં પણ ભરપાઇ કરી શકાશે. તદઉપરાંત, મોબાઇલ ટેકસ કલેકશન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઇટ www.mjamnagar.com પરથી પણ પોતાનો વેરો ઓનલાઇન ભરપાઇ કરી શકાશે. ઓનલાઇન ટેકસ ભરનારને 2% ડીસ્કાઉન્ટ (વધુમાં વધુ રૂ.250/-) આપવામાં આવશે.

આ પણ વાંચો :રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 7 એપ્રિલથી વેરા વળતર યોજનાનો પ્રારંભ, એડવાન્સ વેરો ભરનારને મળશે આટલું વળતર

આ પણ વાંચો : Rajkot ડેરીને મળશે મોટી ભેટ,પનીર પ્લાન્ટની સ્થાપના માટે ચેરમેન દિલ્હીના પ્રવાસે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">