AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામનગરઃ શહેરમાં આવકના દાખલા માટે અરજદારોના વલખા, અનેક મુશ્કેલી છતાં કોઈ સાંભળનાર નહીં

જામનગર શહેરમાં મામલતદાર કચેરી (Mamlatdar's office) ખુલ્લે તે પહેલાથી અરજદારો દોડી આવે છે કે વહેલી સવારે આવે તો દિવસભરમાં એક આવકનો દાખલો મળી શકે. લાંબી કતારોમાં તડકામાં ઉભું રહેવું ન પડે.

જામનગરઃ શહેરમાં આવકના દાખલા માટે અરજદારોના વલખા, અનેક મુશ્કેલી છતાં કોઈ સાંભળનાર નહીં
Jamnagar: Many difficulties for applicants for income certificate in the city
Divyesh Vayeda
| Edited By: | Updated on: Apr 11, 2022 | 9:52 PM
Share

જામનગર (Jamnagar) શહેરમાં આવકના દાખલા માટે લોકોને પારાવાર મુશેકલી પડે છે. અધિકારીને રજુઆત કરે તો કોઈ સાંભળનાર નથી. કચેરી ખુલ્લે તે પહેલાથી લાંબી કતારોમાં આવકના દાખલા માટે લોકો પરેશાન. દિવસભરમાં લાંબી કતારોમાં ઉભીને આવકનો દાખલો (Income certificate)મેળવવા લોકો હેરાન પરેશાન થાય છે. ઉનાળાના દિવસોમાં તાપમાં લાંબી કતારોમાં (Long queues)ઉભા માટે અરજદાર મજબુર બન્યા છે. વડીલ-વૃધ્ધો માટે અનેક સમસ્યા વચ્ચે આવકના દાખલો મળે શકે. એકથી બે દિવસની આવક ગુમાવીને આવકનો દાખલો મળે તેવી સ્થિતી ઉભી થઈ છે. એટલે કે કામ-ધંધો કે નોકરીમાં રજા મેળવીને આવકના દાખલા માટે સંઘર્ષ કરવો પડે છે.

જામનગર શહેરમાં મામલતદાર કચેરી (Mamlatdar’s office) ખુલ્લે તે પહેલાથી અરજદારો દોડી આવે છે કે વહેલી સવારે આવે તો દિવસભરમાં એક આવકનો દાખલો મળી શકે. લાંબી કતારોમાં તડકામાં ઉભું રહેવું ન પડે. પરંતુ એસી ચેમ્બરમાં અને કારમાં ફરતા અધિકારીઓને આ સમસ્યા દેખાતી નથી. દૈનિક આવકના દાખલા માટે આવતા મોટી સંખ્યામાં અરજદારો વિશે તંત્રને જાણ થતા તેમની મુશ્કેલી દુર કરવાના બદલે માત્ર સબસલામતનો દાવો કરવામાં આવે છે. લોકોની ભીડ વધતા સ્થાનિક તંત્રએ પોલીસને જવાનો તૈનાત કર્યો, પરંતુ આવકના દાખલા માટે વધુ સ્ટાફ, વધુ ઝડપી કામગીરી માટે કોઈ પગલા ના લેતા લોકો પરેશાન થયા છે. હાલ રાઈટ ટુ એજ્યુકેશન માટે આવકનો દાખલો ફરજીયાત હોવાથી વાલીઓ કતારમાં ઉભા માટે મજબુર હોય છે. સાથે આયુષ્માન કાર્ડ, શિષ્યવૃતિ, સહીતની સરકારી યોજનાના લાભ માટે આવકના દાખલાની જરૂરીયાત હોવાથી લોકો કચેરીના ધકકા ખાય છે. વેપાર-ધંધા મુકીને દિવસભર એક દાખલા માટે લોકો અનેક પરેશાનીનો સામનો કરે છે.

સામાન્ય લોકોને થતી પરેશાની વિશે મામલદ સાહેબને પુછતા જામનગર શહેર મામલતદાર સાહેબ જે.ડી.જાડેજાએ આ સમસ્યા માત્ર જામનગર શહેર પુરતી નથી. દરેક શહેરમાં આ સમયે દર વર્ષે થતી આ સમસ્યા છે. આવકના દાખલા માટે આવતા અરજદારો માંગ કરે છે. શહેરની વસ્તી મુજબ વધુ કર્માચારી, અન વધુ જગ્યાએ આવકના દાખલા માટે વ્યવસ્થા કરવી જોઈએ. પરંતુ દૈનિક 1000થી વધુ આવતા અરજદારો બાદ પણ સ્થાનિક તંત્રને કોઈ મુશ્કેલી દેખાઈ નથી.

આ પણ વાંચો :ગાંધીનગર : મુખ્યમંત્રી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મંગળવારે સરઢવ ગામે પ્રભાત ફેરીમાં હાજર રહેશે

ગુજરાત હજ સમિતિ દ્વારા હજ-2022 માટે નવી માર્ગદર્શિકા જાહેર, આગામી 22 એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

Follow Us
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
g clip-path="url(#clip0_868_265)">