AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામનગરઃ શહેરમાં આવકના દાખલા માટે અરજદારોના વલખા, અનેક મુશ્કેલી છતાં કોઈ સાંભળનાર નહીં

જામનગર શહેરમાં મામલતદાર કચેરી (Mamlatdar's office) ખુલ્લે તે પહેલાથી અરજદારો દોડી આવે છે કે વહેલી સવારે આવે તો દિવસભરમાં એક આવકનો દાખલો મળી શકે. લાંબી કતારોમાં તડકામાં ઉભું રહેવું ન પડે.

જામનગરઃ શહેરમાં આવકના દાખલા માટે અરજદારોના વલખા, અનેક મુશ્કેલી છતાં કોઈ સાંભળનાર નહીં
Jamnagar: Many difficulties for applicants for income certificate in the city
Divyesh Vayeda
| Edited By: | Updated on: Apr 11, 2022 | 9:52 PM
Share

જામનગર (Jamnagar) શહેરમાં આવકના દાખલા માટે લોકોને પારાવાર મુશેકલી પડે છે. અધિકારીને રજુઆત કરે તો કોઈ સાંભળનાર નથી. કચેરી ખુલ્લે તે પહેલાથી લાંબી કતારોમાં આવકના દાખલા માટે લોકો પરેશાન. દિવસભરમાં લાંબી કતારોમાં ઉભીને આવકનો દાખલો (Income certificate)મેળવવા લોકો હેરાન પરેશાન થાય છે. ઉનાળાના દિવસોમાં તાપમાં લાંબી કતારોમાં (Long queues)ઉભા માટે અરજદાર મજબુર બન્યા છે. વડીલ-વૃધ્ધો માટે અનેક સમસ્યા વચ્ચે આવકના દાખલો મળે શકે. એકથી બે દિવસની આવક ગુમાવીને આવકનો દાખલો મળે તેવી સ્થિતી ઉભી થઈ છે. એટલે કે કામ-ધંધો કે નોકરીમાં રજા મેળવીને આવકના દાખલા માટે સંઘર્ષ કરવો પડે છે.

જામનગર શહેરમાં મામલતદાર કચેરી (Mamlatdar’s office) ખુલ્લે તે પહેલાથી અરજદારો દોડી આવે છે કે વહેલી સવારે આવે તો દિવસભરમાં એક આવકનો દાખલો મળી શકે. લાંબી કતારોમાં તડકામાં ઉભું રહેવું ન પડે. પરંતુ એસી ચેમ્બરમાં અને કારમાં ફરતા અધિકારીઓને આ સમસ્યા દેખાતી નથી. દૈનિક આવકના દાખલા માટે આવતા મોટી સંખ્યામાં અરજદારો વિશે તંત્રને જાણ થતા તેમની મુશ્કેલી દુર કરવાના બદલે માત્ર સબસલામતનો દાવો કરવામાં આવે છે. લોકોની ભીડ વધતા સ્થાનિક તંત્રએ પોલીસને જવાનો તૈનાત કર્યો, પરંતુ આવકના દાખલા માટે વધુ સ્ટાફ, વધુ ઝડપી કામગીરી માટે કોઈ પગલા ના લેતા લોકો પરેશાન થયા છે. હાલ રાઈટ ટુ એજ્યુકેશન માટે આવકનો દાખલો ફરજીયાત હોવાથી વાલીઓ કતારમાં ઉભા માટે મજબુર હોય છે. સાથે આયુષ્માન કાર્ડ, શિષ્યવૃતિ, સહીતની સરકારી યોજનાના લાભ માટે આવકના દાખલાની જરૂરીયાત હોવાથી લોકો કચેરીના ધકકા ખાય છે. વેપાર-ધંધા મુકીને દિવસભર એક દાખલા માટે લોકો અનેક પરેશાનીનો સામનો કરે છે.

સામાન્ય લોકોને થતી પરેશાની વિશે મામલદ સાહેબને પુછતા જામનગર શહેર મામલતદાર સાહેબ જે.ડી.જાડેજાએ આ સમસ્યા માત્ર જામનગર શહેર પુરતી નથી. દરેક શહેરમાં આ સમયે દર વર્ષે થતી આ સમસ્યા છે. આવકના દાખલા માટે આવતા અરજદારો માંગ કરે છે. શહેરની વસ્તી મુજબ વધુ કર્માચારી, અન વધુ જગ્યાએ આવકના દાખલા માટે વ્યવસ્થા કરવી જોઈએ. પરંતુ દૈનિક 1000થી વધુ આવતા અરજદારો બાદ પણ સ્થાનિક તંત્રને કોઈ મુશ્કેલી દેખાઈ નથી.

આ પણ વાંચો :ગાંધીનગર : મુખ્યમંત્રી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મંગળવારે સરઢવ ગામે પ્રભાત ફેરીમાં હાજર રહેશે

ગુજરાત હજ સમિતિ દ્વારા હજ-2022 માટે નવી માર્ગદર્શિકા જાહેર, આગામી 22 એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">