Jamnagar: લગ્ન કરીને બે દિવસમાં નાસી ગઈ લુંટેરી દુલ્હન, યુવાને દુલ્હન, તેના સગા, અને બે દલાલ સહિત છ સામે નોંધાવી ફરિયાદ

લાંબા સમય સુધી તે પરત ન આવી હતી. તેણે અગાઉ પણ આ રીતે કોઈ સાથે લગ્ન કર્યા છે. જેની જાણ સાગરને થતા તેણે પોતાની પત્ની, અને તેમના સગા સહીત કુલ 6 લોકો સામે પોલિસ (Jamnagar Police) ફરીયાદ નોંધાવી હતી.

Jamnagar: લગ્ન કરીને બે દિવસમાં નાસી ગઈ લુંટેરી દુલ્હન, યુવાને દુલ્હન, તેના સગા, અને બે દલાલ સહિત છ સામે નોંધાવી ફરિયાદ
જામનગરમાં લગ્ન કરીને દુલ્હન ફરાર
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jun 12, 2022 | 4:12 PM

જામનગર (Jamnagar News)માં યુવાન સાથે લગ્ન બાદ છેતરપિંડી થઈ છે. લગ્નના બે દિવસ બાદ દુલ્હન સોનાના દાગીના અને રોકડ લઈને નાસી ગઈ. લાંબા સમય બાદ યુવાનને છેતર્યાના અનુભવ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છ આરોપી સામે ફરિયાદ નોંધ્યા બાદ બે આરોપીને પકડી પાડ્યા છે. જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં કાપડ મીલની ચાલી પાસે રહેતા સાગર સદાશિવા મહારનવરના ફેબ્રુઆરીમાં લગ્ન થયા હતા. બીજા દિવસે તેની પત્ની સોનાના દાગીના અને રોકડ લઈને નાસી ગઈ હતી. જેના સગાને પુછતા તે યુવતી પોતાના વાલીને ત્યાં આવી હોવાનું અને કોઈને કોઈ કારણ આપીને ત્યાં જ રહી હતી.

લાંબા સમય સુધી તે પરત ન આવી હતી અને અન્ય રીતે જાણ પણ થઈ કે તેણે અગાઉ પણ આ રીતે કોઈ સાથે લગ્ન કર્યા છે. જેની જાણ સાગરને થતા તેણે પોતાની પત્ની, અને તેમના સગા સહીત કુલ 6 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં સાગરે લગ્ન કરનાર દુલ્હન શુભાંગીબેન પ્રભાકરણભાઈ શીંદે(પત્ની), મનીષાબેન પ્રભાકરણભાઇ શીંદે(સાસુ), આશાબેન સુરેશભાઇ ભોરે( માસીજી), પ્રકાશભાઇ ધરમશીભાઇ મારૂ, સંગીતાબેન ઉર્ફે સુધાબેન જીતેન્દ્રભાઇ ભાટી તેમજ વિષ્ણુભાઇ સહીત કુલ છ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં બે લોકોને પોલીસે પકડી પાડ્યા છે. મહારાષ્ટ્રીયન યુવતી અને પરિવાર તથા અમદાવાદ સુરતના શખ્સો સામે રોકડ રકમ અને દાગીના સહિત પોણા ત્રણ લાખની મતાની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?

બંજરગ ઢોલામાં રસોઇ કામ કરતા સાગર સદાશિવ ભાઈના પિતાએ તેના લગ્નની વાત સગા સંબંધીઓ અને મિત્રોને કરી હતી. લાંબા સમય બાદ રાજકોટ રહેતા એક મિત્ર પ્રકાશ મારુએ પોતાના ધ્યાનમાં એક છોકરી હોવાનું જણાવી અમદાવાદના વિષ્ણુને મહારાષ્ટ્રીયન પરિવાર સાથે સંબંધ હોવાની અને તેની યુવતી કુવારી હોવાનું જણાવ્યું હતું. જેને લઈને પ્રકાશ તથા વિષ્ણુએ સુરતના પુણા ગામમાં નારાયણ સોસાયટીમાં રહેતા સુધાબેનના ઘરે બોલાવી કન્યા જોવાનું ગોઠવ્યું હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

શુભાંગી પ્રભાકરન શિંદે નામની કન્યા બતાવી તેની સાથે સાગરના લગ્ન નક્કી થયા હતા. ત્યારબાદ આ મહારાષ્ટ્રીયન પરિવાર જામનગર આવ્યો હતો અને જામનગરમાં સાગરના ઘરે ભોજન કર્યા બાદ લગ્નનું નક્કી કર્યુ. તારીખ 29 /01/ 2022ના રોજ મહારાષ્ટ્રીયન પરિવાર કન્યાને સાથે રાખી જામનગર આવ્યો હતો અને લગ્નનું નક્કી થયું હતું. દરમિયાન તા. 14/2ના રોજ કોર્ટ મેરેજની વિધિ કરાવી હતી, લગ્નના ખર્ચ પેટે સાગરના પરિવારે મહારાષ્ટ્રીયન પરિવારને રૂપિયા એક લાખ 80 હજાર આપ્યા હતા.

ત્યારબાદ તા.16/2ના રોજ શુભાંગી કોઈને કહ્યા વગર જ કયાંક ચાલી ગઈ હતી. પાછળથી સાગર અને તેના પરિવારે શોધખોળ કરી પણ શુભાંગી ક્યાંય મળી ન હતી. ઘરમાંથી રૂપિયા 40 હજાર અને દાગીના ગાયબ હોવાથી શુભાંગી આ તમામ મુદ્દામાલ લઈ ગઈ હોવાની પરિવારને શંકા ગઈ હતી. બીજા દિવસે શુભાંગીની માસીએ ફોન કરી કહ્યું હતું કે તેની માતાની તબિયત સારી ન હોવાથી મહારાષ્ટ્ર આવતી હોવાનું કહ્યું હતું. ત્યારબાદ સમયાંતરે જુદા જુદા બહાના બનાવી શુભાંગીને મોકલી ન હતી.

સાગરને જાણ થઈ કે શુંભાગી અગાઉ પણ અન્ય યુવાન સાથે આવી જ રીતે લગ્નના નામે છેતરપિંડી કરી હતી. તેથી સાગરે આ લૂંટેરી દુલ્હન અને તેની માતા, માસી તેમજ અન્ય બે દલાલ સામે સીટી બી ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી. લગ્ન ગ્રંથીથી જોડાઈ સાથે રહેવાનું કહી ફરીયાદી પાસે લગ્ન ખર્ચ પેટે રોકડા રૂ.1,80,000/- અને બાદ ઘરના કબાટમા રાખેલ રોકડા રૂ.40,000/- તથા સોનાના ઘરેણા, જેમાં મંગલસુત્ર,સોનાની વીંટી સહિતના કુલ 2,40,000ની કિમતનો સામાન લઈને નાસી ગઈ છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">