ઓખાથી નવલખીના દરિયા કિનારા પર ચેરના વૃક્ષોની લીલી સાંકળ, વનવિભાગની વર્ષોની મહેતનનો રંગ દેખાયો

કચ્છના અખાતમાં અનેક નાના મોટા ટાપુઓ, ખાડી વિસ્તાર આવેલા છે. દરિયાને આગળ આવતા રોકવા, તેમજ દરીયાઈ જીવસુષ્ટી માટે ખુબ ઉપયોગી ગણતા ચેરના વૃક્ષોનુ વાવેતર મરીન નેશનલ પાર્ક જામનગર  દ્વારા કરવામાં આવ્યા હતા.

ઓખાથી નવલખીના દરિયા કિનારા પર ચેરના વૃક્ષોની લીલી સાંકળ, વનવિભાગની વર્ષોની મહેતનનો રંગ દેખાયો
ઓખાથી નવલખીના દરીયાકિનારા પર ચેરના વૃક્ષોની લીલી સાંકળ
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Mar 28, 2022 | 11:26 AM

દરિયા કાંઠા (seashore) ના વિસ્તારોમાં વનવિભાગ (forest department) દ્વારા ચેરના વૃક્ષો (cher trees) ની વાવેતર કરાયું છે, જે અનેક પ્રકારે ફાયદાકારક સાબિત થયા છે. સૌરાષ્ટ્ર (Saurashtra) ના નવલખીથી ઓખા સુધીના દરિયા વિસ્તારમાં ચેર વૃક્ષોના જંગલો (forest) જોવા મળે છે. જામનગર મરીન નેશનલ પાર્ક દ્વારા દરિયા (sea) વિસ્તારના સરક્ષણ માટે કરતા અનેક પ્રયાસો પૈકી એક સફળ પ્રયાસ સ્વરૂપે ચેરના જંગલો અસ્તિત્વમાં આવ્યા છે. કચ્છના અખાતમાં અનેક નાના મોટા ટાપુઓ, ખાડી વિસ્તાર આવેલા છે. દરિયાને આગળ આવતા રોકવા, તેમજ દરીયાઈ જીવસુષ્ટી માટે ખુબ ઉપયોગી ગણતા ચેરના વૃક્ષોનુ વાવેતર મરીન નેશનલ પાર્ક જામનગર (Jamnagar)  દ્વારા કરવામાં આવ્યાં હતાં.

વર્ષોના પ્રયાસો બાદ આજે આ વિસ્તારના દરિયા કાંઠે, ટાપુઓ પર તેમજ ખાડી વિસ્તારમાં લીલા જંગલો સ્થાપિત થયા છે. વિસ્તારની વાત કરીએ તો દેવભુમિદ્રારકા, જામનગર અને રાજકોટ, મોરબી ચાર જીલ્લાના વિસ્તારમાં આવેલા દરિયા કાંઠાને સુરક્ષાની સાંકળ આપવાનો સફળ પ્રયાસ ચેરના જંગલો દ્વારા થયો છે. જે 1985 કુલ 492 ચોકિમીના વિસ્તાર પૈકી માત્ર 33 ચોકિમીમાં ચેરના વૃક્ષો અસ્થિત્વમાં હતા. જે બાદ વનવિભાગના મરીન નેશનલ પાર્ક દ્વારા ચેરનુ વાવેતર કરીને હાલ જે હાલ 231.26 ચો.કિમીના વિસ્તારમાં ચેરના જંગલો છવાયેલા છે. છેલ્લા બે વર્ષમાં 1.76 ચો.કિમીના વિસ્તારમાં ચેરના વૃક્ષો વધ્યાં છે.

ચેરના વૃક્ષોથી ફુલ, ફળ મળતા નથી. પરંતુ તેના કારણે પર્યાવરણ બચાવવા માટે તેમજ અનેક પ્રકારે ઉપયોગી થતા હોય છે. જેના લાભની વાત કરીએ તો તે વાવાઝોડા કે સુનામી વધતે દરીયાઈ મોજા સામે દીવાલનું કામ કરે છે. જેને પર્યાવરણ બચાવવા માટેના સેનિક ગણાવામાં આવે છે. ચેરના વૃક્ષો ખારાશનું શોષણ કરે છે. તેથી દરીયા કાંઠાના વિસ્તારોમાં ખેતરોની ફળદ્રુપતા વધે છે. અને જમીનના તળના પાણીની ખારાંશ ઓછી થતા હવે ટાપુઓ પર ખેતી શકય બની છે. દરિયાને આગળ આવતા રોકે છે. જમીનનુ ધોવાણ અટકાવે છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ચેરના જંગલ વિશિષ્ટ પ્રકારની જૈવિક વૈવિધ્યતાને સંરક્ષિત કરે છે. દરિયા વિસ્તારમાં કાર્બન ડાયોકસાઈનુ શોષણ કરે છે. ચેરના જંગલો વિવિધ જાતિની માછલીઓ માટે પ્રજનન અને ખોરાક તેમજ પક્ષીઓ માટે આશ્રયસ્થાનો પુરા પાડે છે. વાડિનાર નજીક આવેલા નરારા પાસે ચેરનાં વિશાળ જંગલોના કારણે વાડિનાર તથા આસપાસના ગામનો અનેક પ્રકારે ફાયદાકારક સાબિત થયા છે. જેમાં દરીયાઈ જીવસુષ્ટી અને દેશવિદેશના પક્ષીઓ અંહી આવતા અનેક પ્રવાસીઓને આકર્ષે છે. જેના કારણે પ્રવાસન સ્થળ તરીકે વિકસતા આસપાસના ગામને રોજગારી તકો વધી છે.

વર્ષોના કરેલા પ્રયાસોના સ્વરૂપે આજે કચ્છના અખાતમાં ચેરના જંગલની લીલી સાંકળ જોવા મળે છે. જે અનેક પ્રકારે ફાયદાકારક સાબિત થઈ રહી છે. જેના વાવેતર, જતન, સંરક્ષણ માટે મરીન નેશનલ પાર્કની ટીમ મહેનતનો રંગ દેખાય છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં પણ રાજસ્થાનની જેમ રાજવી મહેલો ટુરીસ્ટો માટે ખુલ્લા મુકાશે, વિશ્વના હેરીટેજ ટુરીઝમના નકશા ઉપર ગુજરાત ફેવરીટ ડેસ્ટીનેશન બનશે

આ પણ વાંચોઃ સોમવારથી ધો.10-12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, 14.68 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">