રાજ્યમાં લમ્પી વાયરસે (Lumpy virus) હાહાકાર મચાવ્યો છે.પશુઓ માટે આ વાયરસ જીવલેણ બની રહ્યો છે.લમ્પીના કારણે હજારો મુંગા પશુઓ મોતને ભેટ્યા છે, ત્યારે જામનગરમાં (jamnagar) લમ્પી વાયરસથી પશુઓનાં મોત પશુપાલકો પણ ચિંતિત બન્યા છે.જામનગરના ફલ્લા ગામમાં લમ્પીથી (Lumpy virus case) સેંકડો પશુઓના (Cattle) મોત થઈ ચૂક્યા છે.પશુપાલકોનું કહેવું છે કે, લમ્પીને અટકાવવા રસીકરણ (vaccination) સહિતની કામગીરી થઈ રહી છે તેમ છતાં પશુઓનાં મોત થઈ રહ્યા છે.દૂધ વેચીને જે પરિવારનું ગુજરાન ચાલતું હતું એ પરિવાર મુશ્કેલીમાં છે.લોકો હવે સરકાર પાસેથી સહાયની આશ લગાવીને બેઠા છે.
બીજી તરફ જામનગરના અન્ય તાલુકાઓના ગામડાઓમાં પણ લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે અને ગૌવંશના મોતથી પશુપાલકો પર આભ તૂટી પડ્યું છે.લોકોનું કહેવું છે કે જો સરકાર તાત્કાલિક સહાય નહીં કરે તો પરિવારનું ગુજરાન ચલાવવું વધુ મુશ્કેલ બનશે.
મહત્વનું છે કે ગઈકાલે મળેલી રાજ્યની કેબિનેટ બેઠકમાં સાત સભ્યોની ટાસ્ક ફોર્સ રચવામાં આવી છે. જેના અધ્યક્ષ કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ નરેશ કેલાવાલાને બનાવવામાં આવ્યા છે. રસીકરણ ની વાત કરીએ તો અત્યાર સુધીમાં 11.68 લાખથી વધુ પશુઓનું વેક્સીનેશન કરવામાં આવ્યું છે.હાલમાં જિલ્લા કક્ષાએ 10.79 લાખ ડોઝ ઉપલબ્ધ છે.