AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : ‘સુજલામ સુફલામ અભિયાન’ના વેગ માટે યોજાઈ બેઠક, પાણીની સમસ્યાનો નિવેડો લાવવા કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ મુદ્દાઓ પર કરી ચર્ચા

આ બેઠકમાં જિલ્લા(Jamnagar District) કલેકટર ડો.સૌરભ પારઘી, અધિક નિવાસી કલેકટર મિતેષ પંડયા, ડે. મ્યુનસિપલ કમિશનર વસ્તાણી,જિલ્લાના સર્વે પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Jamnagar : 'સુજલામ સુફલામ અભિયાન'ના વેગ માટે યોજાઈ બેઠક, પાણીની સમસ્યાનો નિવેડો લાવવા કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ મુદ્દાઓ પર કરી ચર્ચા
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 9:40 AM
Share

Jamnagar news : જામનગરમાં રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીપટેલે (Raghvjibhai Patel) કલેકટર કચેરી ખાતે જિલ્લાના સુજલામ સુફલામ્ જળ અભિયાન-2022 ના હાથ ધરવામાં આવેલ કામોની પ્રગતિ તથા લોક ભાગીદારીના કામો અંગે કરવાની થતી કામગીરીના આયોજન અંગે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી તેમજ સિંચાઇ સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ (Officers) સાથે બેઠક યોજી હતી.

વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થાય તે જરૂરી : રાઘવજી પટેલ

આ બેઠકમાં કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લો (Jamnagar District) એ દરિયાકાંઠાનો વિસ્તાર છે. ત્યારે વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થાય તે ખૂબ આવશ્યક છે. તેમજ ખેડૂતોને આ યોજનાની ફળશ્રુતિ સ્વરૂપે પુષ્કળ લાભો મળી શકે તેમ છે અને આ યોજના ખેડૂતો (Farmer) માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે તે માટે પ્રયત્નો કરવા જણાવ્યુ છે. ઉપરાંત મંત્રીએ બેઠકમાં અધિકારીશ્રીઓ સાથે જિલ્લામાં ચાલી રહેલ જળ સંચયના પ્રગતિ હેઠળના કામો, કામોનો પ્રગતિ અહેવાલ તેમજ લક્ષ્યાંક બાબતે વિગતવાર સમીક્ષા કરી હતી અને વરસાદ થાય એ પહેલાં કામોની માપણી પૂર્ણ કરી જળ સંચયના વધુમાં વધુ કામો હાથ ધરવા સૂચન કર્યું હતુ.

ક્લેકટર સહિત આ અધિકારો બેઠકમાં ઉપસ્થિત રહ્યા

આ બેઠકમાં જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, અધિક નિવાસી કલેકટર મિતેષ પંડયા, ડે. મ્યુનસિપલ કમિશનર વસ્તાણી,જિલ્લાના સર્વે પ્રાંત અધિકારીઓ, સર્વે મામલતદારઓ, ચીફ ઓફિસરો, ક્ષાર અંકુશ વિભાગ, સિંચાઇ વિભાગ, પંચાયત સિંચાઇ વિભાગ વગેરે વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુજલામ સુફલામ જળ અભિયાન

તમને જણાવી દઈએ કે, સુજલમ સુફલામ જળ અભિયાનની શરૂઆત મે 2018માં થઈ હતી.વર્ષ 2021 માં લોક ભાગીદારીના4964 મનરેગા હેઠળ 5950 કામો હાથ ધરવામાં આવ્યા હતા.વિભાગીય રીતે 4296 એમ કુલ મળીને 15210 કામો હાથ ધર્યા હતા.જેને પગલે જળસંગ્રહ શક્તિમાં 19717 ધનફૂટ જેટલો વધારો થયો. રાજ્યમાં 4 વર્ષમાં 56698 કામો હાથ ધરવામાં આવ્યા.તેમજ તળાવની વાત કરીએ તો તેને ઉંડા કરવાના 21402 કામો હાથ ધરાયા.એટલું જ નહીં આ અભિયાનથી રાજ્યમાં 156.93 લાખ લોકોને રોજગારી પ્રાપ્ત થઈ.તેમજ લોકભાગીદારી હેઠળ 182.00 કરોડનો સરકારને સહયોગ પ્રાપ્ત થયો.છેલ્લા ચાર વર્ષમાં 61781 ઘન ફૂટ જળસંગ્રહ શક્તિનો વધારો થયો છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">