AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિવ-પાર્વતીના લગ્ન : જામનગરમાં સાતમાં નોરતે પુરુષોએ ખાસ પોષકમાં ઈશ્વર વિવાહની ઉજવણી કરી, વર્ષો જૂની પરંપરા

Navratri 2021 : અર્વાચીન રાસ ગરબાના વધતા ક્રેઝ વચ્ચે પણ અનેક પ્રાચીન ગરબાઓ પોતાની પરંપરા જાળવે છે. અનેક વિશેષતાના કારણે જલાનીજારનો આ શિવવિવાહનો રાસ રાજયભરમાં પ્રખ્યાત છે.

શિવ-પાર્વતીના લગ્ન : જામનગરમાં સાતમાં નોરતે પુરુષોએ ખાસ પોષકમાં ઈશ્વર વિવાહની ઉજવણી કરી, વર્ષો જૂની પરંપરા
A unique old tradition of Shiva Parvati marriage in the seventh Day of Navratri in Jamnagar
Divyesh Vayeda
| Edited By: | Updated on: Oct 13, 2021 | 5:47 PM
Share

JAMNAGAR : જામનગરના જલાનીજાર વિસ્તારમાં પુરૂષો પિંતાબર પહેરીને ગરબા રમે છે. નવરાત્રીના સાતમાં નોરતે અહી ઈશ્વર વિવાહ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. અહી સાતમાં નોરતામાં અનોખા રાસ લેવાય છે, જે ઈશ્વર વિવાહથી ઓળખાય છે. આ રાસ માત્ર પુરૂષો બોલે છે અને રમે છે એ પણ ખાસ પોશોકમાં.

આશરે 350 વર્ષથી જામનગરના જલાનીજાર વિસ્તારમાં અનોખી ગરબી થાય છે. આ પ્રાચીન ગરબીમાં માત્ર પુરૂષો રાસ રમે છે અને ખાસ પોશોકમાં, જેમાં ઝભ્ભો કે બંડી અને ધોતીયુ અને પીતાંબર વસ્ત્રો પહેરે છે અને રમે છે. નવરાત્રીના સાતમાં દિવસે અંહી ઈશ્વર વિવાહનો રાસ રમાય છે. જેમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થાય છે. આ રાસ 3 કલાકથી વધુ સમય સુધી ચાલે છે. વૃદ્ધ, યુવાનો અને નાના બાળકો આ ગરબામાં એક સાથે એક તાલે ઝુમે છે.

જામનગરમાં જલાનીજાર વિસ્તરારમાં થતી પુરષોની ગરબી રાજયભરમાં પ્રખ્યાત બની છે. પ્રાચીન ગરબાની પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખવા પેઢીદરપેઢીથી સફળ પ્રયાસ થાય છે. જેમાં પુરૂષોની સાથે નવી પેઢીના યુવાનો અને કિશોરો પણ આ ગરબીમાં ગરબા રમે છે. જયા કોઈ સાઉન્ડ સીસ્ટમ નહી પરંતુ નગારુ વગાડીને એક સાથે ઈશ્વર વિવાહનો છંદ ગાતા ગાતા ગરબા રમે છે. ગરબામાં એક તાલે પુરૂષો રમે છે. અર્વાચીન ગરબાની જેમ અંહી આધુનિક સાઉન્ડ સીસ્ટમ કે સ્પીકર નથી હોતા. રમતા પુરૂષો જ રાસ રમતા-રમતા છંદ ગાય છે.

પ્રાચીન આ ગરબીમાં વડીલોની સાથે યુવાનો અને નાના બાળકો પણ જોડાય છે અને પરંપરા જાળવી રાખી છે. આ અનોખા રાસને જોવા મોટી સંખ્યામાં લોકો આવે છે. ગુજરાત બહારથી લોકો અંહી ખાસ આ રાસ રમવા માટે આવે છે.જેમાં ખાસ નવરાત્રીના સાતમના દિવસના ખાસ ઈશ્વર વિવાહના ગરબાનુ વિશેષ આકર્ષણ હોય છે. જેમાં એક જ પંકિત ચાર વખત રાગ સાથે ગાવામાં આવે છે. અંદાજે સાડા 3 કલાક સુધી આ છંદ ચાલે છે. જામનગર છોડીને નોકરી વ્યવસાય અર્થે અન્ય શહેર કે રાજયમાં વસવાટ કરનાર પણ ખાસ આ દિવસે ગરબા રમવા અને માણવા માટે ખાસ જામનગર આવે છે. માત્ર પુરૂષોની આ પ્રાચીન ગરબી વિખ્યાત બની છે.

અર્વાચીન રાસ ગરબાના વધતા ક્રેઝ વચ્ચે પણ અનેક પ્રાચીન ગરબાઓ પોતાની પરંપરા જાળવે છે. અનેક વિશેષતાના કારણે જલાનીજારનો આ શિવવિવાહનો રાસ રાજયભરમાં પ્રખ્યાત છે.

આ પણ વાંચો : PHOTOS : CM ભુપેન્દ્ર પટેલે આદ્યાશકિત ધામ અંબાજીમાં અષ્ટમીએ માતાજીના પૂજન અર્ચન કર્યા

આ પણ વાંચો : જસ્ટિસ અરવિંદ કુમાર ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">