Jamnagar : પાણી પહેલા પાળ, કોરોનાની સંભવિત ત્રીજી લહેરના પગલે હોસ્પિટલ તંત્ર સજ્જ

|

Jul 22, 2021 | 9:55 PM

ત્રીજ લહેરમાં બાળકોને વધુ અસર થવાની શકયતાના પગલે બાળકો માટે 200 બેડની હોસ્પીટલને રીનોવેટ કરીને તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત ખાનગી કંપની દ્વારા 400 બેડની હોસ્પીટલ તૈયાર રાખવામાં આવી છે.

Jamnagar :  પાણી પહેલા પાળ, કોરોનાની સંભવિત ત્રીજી લહેરના પગલે હોસ્પિટલ તંત્ર સજ્જ
Hospital system equipped in the wake of a possible third wave of corona

Follow us on

હાલ રાજયમાં કોરોના કેસ ઓછા થયા છે. પરંતુ નજીકના સમયમાં ફરી કોરોનાની ત્રીજી લહેર આવવાની શકયતા નિષ્ણાંતો દ્વારા વ્યકત કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્રની હોસ્પીટલમાં ત્રીજી લહેર આવે તે પહેલા જ આયોજન કરવામાં આવી રહ્યું છે.

થોડા સમય પહેલા કોરોની બીજી લહેરમાં ખાટલા, બાટલા ખુંટી પડયા હતા. દર્દીઓની સંખ્યા વધતા અનેક મુશકેલી દર્દીઓ અને તેના સગાઓને વઠેવી પડી હતી. એમ્બ્યુલન્સની લાંબી કતારો દિવસભર હોસ્પીટલની બહાર રહેતી. તેવી સ્થિતીનો ફરી સામનો ન કરવો પડે તે માટે અગાઉથી આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરમાં આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી. હોસ્પીટલમાં ત્રીજી લહેરની તૈયારી કરવામાં આવી છે. જામનગરમાં થોડા વર્ષો પહેલા જ 700 બેડની નવી હોસ્પીટલ તૈયાર થઈ છે. કોરોનાની બીજી લહેરમાં સૌરાષ્ટ્રભરમાં દર્દીઓ સારવાર માટે જામનગરની હોસ્પીટલમાં આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો. જેને લઇને  2200 બેડ સુધીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ફરી કોરોનાની ત્રીજી લહેરમાં આવી સ્થિતી ન થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યુ છે.

જીજી હોસ્પીટલની નવી બીલ્ડીંગમાં કોવીડ હોસ્પીટલ તૈયાર કરવામાં આવી છે. હોસ્પીટલમાં કુલ 1608 બેડની તૈયારી પુર્ણ કરવામાં આવી છે. સાથે ત્રીજ લહેરમાં બાળકોને વધુ અસર થવાની શકયતાના પગલે બાળકો માટે 200 બેડની હોસ્પીટલને રીનોવેટ કરીને તૈયાર કરવામાં આવશે.

આ ઉપરાંત ખાનગી કંપની દ્રારા 400 બેડની હોસ્પીટલ તૈયાર રાખવામાં આવી છે. કુલ 2208 બેડ સુધી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ઓકસીજનની તંગી ન થાય તે માટે 37 હજાર લીટર ઓકસીજનની વ્યવસ્થા કરી શકે તેવા પ્લાન્ટને તૈયાર કરવામાં આવ્યો છે.

સાથે જ વધુ એક 280 લીટર ઓકસીજનની વ્યવસ્થા થઇ શકે તે માટે પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ અન્ય 1 હજાર લીટરની ક્ષમતા વાળા પ્લાનનું કામ હાલ ચાલુ છે. જે ચાર દિવસમાં તૈયાર થવાનું અનુમાન છે. ખાનગી કંપનીઓ દ્વારા 400 બેડની હોસ્પીટલમાં 30 હજાર લીટર ઓકસીજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

જી.જી. હોસ્પીટલમાં 650 નસીંગ સ્ટાફ છે. જેમાં જરૂરીયાત મુજબ વધારો કરી શકાશે. હોસ્પીટલમાં ઓકસીજન, બેડ, વેન્ટીલેટર, દવા, સ્ટાફ સહીતની વ્યવસ્થા પુરતી હોવાનો હોસ્પીટલ તંત્ર દ્રારા દાવો કરવામાં આવેલ છે.

 

આ પણ વાંચો – મહારાષ્ટ્રમાં આકાશી આફત! રત્નાગીરી-રાયગઢ સહીતના વિસ્તારો ભારે વરસાદને પગલે થયાં જળમગ્ન, CM ઠાકરેએ બોલાવી તાત્કાલિક મીટીંગ

Published On - 8:19 pm, Thu, 22 July 21

Next Article